શોધખોળ કરો

US Iran War: શું હવે ઈરાનમાં થશે તખ્તાપલટ? રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન અને IRGC ચીફ વચ્ચે મતભેદથી બળવો થવાના સંકેત

US Iran War: ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન અને IRGC ચીફ અહમદ વાહિદી વચ્ચે મતભેદના સંકેતો દેખાઈ રહ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઈરાનના રાષ્ટ્રપતિ અને IRGC ચીફ વચ્ચે યુદ્ધ રોકવા બાબતે મતભેદ.
  • રાષ્ટ્રપતિને દેશનું અર્થતંત્ર પડી ભાંગવાનો ડર.
  • વહીવટી સત્તા સરકારને સોંપવા રાષ્ટ્રપતિની માંગ.
  • યુદ્ધને કારણે ઈરાનમાં આર્થિક હાલાકી અને મોંઘવારી.

US Iran War: ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશ્કિયન અને IRGC (ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) ના ચીફ અહેમદ વાહિદી વચ્ચે યુદ્ધ રોકવા બાબતે ગંભીર મતભેદો સપાટી પર આવ્યા છે. પેજેશ્કિયન નરમપંથી વિચારધારા ધરાવે છે, જ્યારે અહેમદ વાહિદી કટ્ટરપંથી માનસિકતા ધરાવે છે અને અમેરિકા-ઈઝરાયેલને કટ્ટર દુશ્મન માને છે. આ વિવાદ મુખ્યત્વે યુદ્ધની અસરો અને દેશના અર્થતંત્રને કેવી રીતે સંભાળવું તે બાબતે છે.

અર્થતંત્ર ધરાશાયી થવાનો ડર

'ઈરાન ઈન્ટરનેશનલ' ના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ પેજેશ્કિયને IRGC ની રણનીતિ પર સવાલો ઉઠાવ્યા છે. તેમનું માનવું છે કે સતત તણાવ વધારવા અને પડોશી દેશો પર હુમલા કરવાથી દેશની આર્થિક સ્થિતિ વધુ કથળી રહી છે. તેમણે ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં યુદ્ધ નહીં અટકે, તો આગામી ૩ અઠવાડિયાથી 1 મહિનાની અંદર ઈરાનનું અર્થતંત્ર સંપૂર્ણપણે પડી ભાંગી શકે છે. નોંધનીય છે કે, 7 માર્ચના રોજ પેજેશ્કિયને એક વીડિયો સંદેશ દ્વારા પડોશી દેશો પર થયેલા હુમલા બદલ માફી માંગી હતી અને સેનાને આવા હુમલા રોકવા નિર્દેશ આપ્યો હતો, છતાં હુમલા ચાલુ રહ્યા હતા.

સત્તા સંઘર્ષ અને સામસામે આક્ષેપો

રાષ્ટ્રપતિએ માંગ કરી છે કે વહીવટી નિર્ણયો લેવાની સંપૂર્ણ સત્તા ફરીથી સરકારને સોંપવામાં આવે જેથી પરિસ્થિતિ સુધારી શકાય, પરંતુ અહેમદ વાહિદીએ આ માંગનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. વાહિદીના મતે, વર્તમાન સ્થિતિ માટે સરકાર પોતે જવાબદાર છે, કારણ કે યુદ્ધ શરૂ થતા પહેલા જરૂરી સુધારા કરવામાં આવ્યા નહોતા.

ઈરાનની જનતાની હાલાકી

ઈઝરાયેલના મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈરાનની સત્તામાં તિરાડો સ્પષ્ટ દેખાઈ રહી છે. યુદ્ધને કારણે દેશની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની છે:

  • અનેક શહેરોમાં ATM ખાલી છે અથવા કામ કરતા બંધ થઈ ગયા છે.

  • ઓનલાઈન બેંકિંગ સેવાઓ વારંવાર ખોરવાઈ રહી છે, જેનાથી સામાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે.

  • સરકારી કર્મચારીઓને છેલ્લા ૩ મહિનાથી સમયસર પગાર અને ભથ્થા મળ્યા નથી.

આસમાને પહોંચતી મોંઘવારી

ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયું તે પહેલા જ ઈરાનમાં આવશ્યક ચીજવસ્તુઓની મોંઘવારી 105% થી 115% ની વચ્ચે પહોંચી ગઈ હતી. હવે યુદ્ધના કારણે સ્થિતિ વધુ વણસી છે. આમ, ઈરાન અત્યારે એક તરફ બહારના યુદ્ધનો સામનો કરી રહ્યું છે, તો બીજી તરફ સરકાર અને સેના વચ્ચેના આંતરિક સંઘર્ષને કારણે દેશની સ્થિતિ વધુ જટિલ બની રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget