શોધખોળ કરો
Ambaji Melo: ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાના ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, જુઓ તસવીરો
51 શક્તિપીઠમાં અંબાજી અનોખું સ્થાન ધરાવે છે. કહેવાય છે કે માતાજીનું પ્રાગટ્ય અહીં જ્યોત સ્વરૂપે થયું હતું અને ત્યારથી જ ભક્તોનો મેળાવડો દર્શનાર્થે ઉમટી પડે છે.

અંબાજી મેળો
1/10

અહીં મોટી સંખ્યામાં પદયાત્રીઓ ભાદરવી પૂર્ણિમાના દિવસે આવે છે એક તરફ અરવલ્લીની ગિરિમાળાઓ 16 કળાએ ખીલી છે.
2/10

બીજી તરફ ગબ્બરે પહોંચવા માટે રોપવેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષોથી અહીં લોકો રોપવે અથવા તો 999 પગથિયાં ચડીને ગબ્બરના ગોખે પહોંચે છે
3/10

વહેલી સવારથી જ માના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટેલી જોવા મળે છે. જય અંબેના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠ્યા છે. અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે.
4/10

મા અંબાના ધામમાં અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. આંખોને પણ આંજી દે તેવી રોશનીથી અંબે માનું મંદિર શણગારવામાં આવ્યું છે.
5/10

અંબાજી ધામમાં દિવ્ય જ્યોત.
6/10

અંબાજીમાં કોરોના કાળના બે વર્ષ બાદ મેળો ભરાતો હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માનતા પૂરી કરવા આવ્યા છે..
7/10

અંબાજી ધામમાં છેલ્લા પાંચ દિવસથી ભક્તોનો સતત અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે.
8/10

ભાદરવી પૂર્ણિમાના દિવસે આરતીનું વિશેષ મહત્વ છે. પદયાત્રીઓ સાથે નિત્ય પૂનમ ભરનારા શ્રદ્ધાળુઓએ લીધો આરતીનો લાભ લીધો હતો.
9/10

બોલ મારી અંબે જય જય અંબેના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું હતું. શક્તિપીઠ અંબાજીમાં ભક્તિના રંગે રંગાયા ભક્તો
10/10

ચરણ પાદુકા
Published at : 10 Sep 2022 09:24 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
સુરત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
