શોધખોળ કરો
Health: ફળોમાં નમક છાંટીને ખાવાની આદત છે? તો સાવધાન, આપ આ બીમારીને નોતરો છો
ફળોને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આને ખાવાથી શરીરને સંપૂર્ણ પોષણ મળે છે અને રોગો સામે લડવામાં પણ મદદ મળે છે.

પ્રતીકાત્મક તસવીર
1/7

ફળોને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આને ખાવાથી શરીરને સંપૂર્ણ પોષણ મળે છે અને રોગો સામે લડવામાં પણ મદદ મળે છે.
2/7

કેટલાક લોકો ફળોને આખા ખાવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો ફળોને કાપીને ખાવાનું પસંદ કરે છે.
3/7

જો કે, કેટલાક લોકો એવા પણ છે જેઓ જુદા જુદા ફળોને કાપીને તેમાં મીઠું ભેળવીને ખાય છે.
4/7

હવે સવાલ એ ઊભો થાય છે કે મીઠું ભેળવીને ફળો ખાવા કેટલા ફાયદાકારક છે?
5/7

નિષ્ણાતો કહે છે કે, ફ્રૂટ સલાડમાં મીઠું ઉમેરવાની ભૂલ ન કરવી જોઈએ. ફ્રુટ સલાડમાં મીઠું નાખીને ખાવાથી થોડું સ્વાદિષ્ટ લાગતું હોય, પરંતુ આમ કરવાથી તેમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે.આટલું જ નહીં, મીઠું ભેળવીને ફળ ખાવાથી પણ કિડની પર ખરાબ અસર પડે છે. શરીરમાં સોજાની સમસ્યા પણ ઊભી થઈ શકે
6/7

જો તમે હાઈ બ્લડ પ્રેશર અથવા હ્રદય સંબંધિત બીમારીઓના દર્દી છો, તો તમારે ભૂલથી પણ ફ્રૂટ સલાડમાં મીઠું ન નાખવું જોઈએ અને જો તમે આ રોગોના દર્દી ન હોવ તો પણ તમારે આવું કરવાનું ટાળવું જોઈએ. કારણ કે મીઠું તમારી સમસ્યાને વધારી શકે છે.
7/7

ફ્રૂટ સલાડમાં વધુ પડતું મીઠું ખાવાથી પણ વોટર રિટેન્શનની સમસ્યા થઈ શકે છે. જેના કારણે તમારું શરીર ફૂલી શકે છે. આંખો પર સોજો આવી શકે છે. આ કારણે હાથ-પગમાં સોજા પણ આવી જાય છે. આ સમસ્યાઓથી બચવા માટે જરૂરી છે કે તમે આજથી જ ફ્રૂટ સલાડમાં મીઠું ખાવાનું બંધ કરી દો.
Published at : 01 Jun 2023 07:56 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
