શોધખોળ કરો
ઇમરજન્સીમાં આયુષ્માન કાર્ડ કામ નહીં કરે! જો આ અપડેટ બાકી હશે તો હોસ્પિટલમાં ભરવા પડશે લાખો રૂપિયા
નકલી લાભાર્થીઓને પકડવા સરકારનો AI અને BIS 2.0 નો ઉપયોગ, જાણો પરિવારના સભ્યો ઉમેરવાના નવા નિયમો.
ayushman card new rules: ટૂંકો સારાંશ જો તમારી પાસે પણ આયુષ્માન કાર્ડ છે, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત યોજનાના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. હવે માત્ર કાર્ડ હોવું પૂરતું નથી, પરંતુ તેને એક્ટિવ રાખવા માટે e-KYC ની પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત બની ગઈ છે. જો તમે આ અપડેટ ચૂકી જશો, તો હોસ્પિટલમાં ઈમરજન્સી સમયે મફત સારવાર મેળવવામાં મોટી મુશ્કેલી પડી શકે છે.
1/5

કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગ માટે સ્વાસ્થ્ય સુરક્ષાનું મોટું કવચ છે, પરંતુ હવે તેના નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. સરકારે સારવાર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે કડક વલણ અપનાવ્યું છે. નવા નિયમો મુજબ, હવે દરેક લાભાર્થી માટે આધાર કાર્ડ આધારિત e-KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો તમારું e-KYC બાકી હશે, તો તમને નવું કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે નહીં અને જૂના કાર્ડ પર પણ હોસ્પિટલમાં સારવાર અટકાવી દેવામાં આવી શકે છે.
2/5

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સત્તામંડળ (National Health Authority) એ છેતરપિંડી રોકવા માટે હવે હાઈ-ટેક સિસ્ટમનો સહારો લીધો છે. કાર્ડ ઈશ્યુ કરવા માટે નવી 'બેનિફિશિયરી આઈડેન્ટિફિકેશન સિસ્ટમ 2.0' (BIS 2.0) લાગુ કરવામાં આવી છે, જે આધાર દ્વારા જ લાભાર્થીની સાચી ઓળખ કરે છે. આ સિવાય, સરકાર હવે ફ્રોડ ડિટેક્શન (Fraud Detection) માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની મદદ લઈ રહી છે. ડેટા એનાલિસિસમાં જે કાર્ડ શંકાસ્પદ કે ખોટા દસ્તાવેજોના આધારે બન્યા હશે, તેને તાત્કાલિક બ્લોક કરી દેવામાં આવશે.
Published at : 04 Jan 2026 05:40 PM (IST)
આગળ જુઓ
Advertisement




















