શોધખોળ કરો
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Railway Time Table: ભારતીય રેલવે દ્વારા સમયપત્રકમાં ફેરફાર, વંદે ભારત અને અન્ય ટ્રેનોની સંખ્યામાં વધારો.
Railway New Time Table: દેશના 3 કરોડથી વધુ દૈનિક ટ્રેન મુસાફરો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. ભારતીય રેલવે 1 જાન્યુઆરી, 2025થી નવું ટાઈમ ટેબલ લાગુ કરશે. હાલનું ટાઈમ ટેબલ, ‘ટ્રેન એટ અ ગ્લાન્સ’નું 44મું સંસ્કરણ, 31 ડિસેમ્બર, 2024 સુધી અમલમાં રહેશે.
1/5

ગયા વર્ષે, ભારતીય રેલ્વેએ ‘ટ્રેન્સ એટ અ ગ્લાન્સ’ (TAG) બહાર પાડ્યું હતું, જે 1 ઓક્ટોબરથી લાગુ થયું હતું અને તે ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.
2/5

2025માં, રેલ્વે મંત્રાલય 136 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો, 2 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો અને નમો ભારત રેપિડ રેલ (વંદે મેટ્રો) શરૂ કરવાની યોજના ધરાવે છે. ગયા વર્ષે, મુસાફરોની સુવિધા વધારવા માટે 64 વંદે ભારત ટ્રેનો અને 70 વધારાની સેવાઓ શરૂ કરવામાં આવી હતી. સામાન્ય રીતે, રેલ્વે મંત્રાલય દર વર્ષે 30મી જૂન પહેલાં ‘ટ્રેન્સ એટ અ ગ્લાન્સ’ (TAG) જાહેર કરે છે અને નવું ટાઈમ ટેબલ 1 જુલાઈથી લાગુ થાય છે, પરંતુ આ વર્ષે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
Published at : 28 Dec 2024 06:54 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
ઓટો




















