શોધખોળ કરો
હવેથી આ લોકોને 200 નહીં પણ 400 રૂપિયા સસ્તો મળશે LPG Cylinder, જાણો કોને મળશે આ વધારાનો લાભ
LPG Cylinder Prices: મોંઘા રાંધણ ગેસે લોકોના ઘરનું બજેટ બગાડ્યું છે. આવી સ્થિતિમાં ચૂંટણીના નુકસાનથી બચવા માટે મોદી સરકારે સસ્તા રાંધણ ગેસને લઈને મોટો નિર્ણય લીધો છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

PM Ujjwala Yojana: રક્ષાબંધન અને ઓણમના અવસર પર મોદી સરકારે મોંઘવારીથી પીડિત લોકોને સસ્તા એલપીજી સિલિન્ડરની ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. મોંઘા એલપીજી સિલિન્ડરને લઈને વિપક્ષના સતત હુમલાઓનો સામનો કરી રહેલી મોદી સરકારે 33 કરોડ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સહિત તમામ ઘરેલું એલપીજી ગેસ ગ્રાહકોને એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડાનો લાભ મળશે.
2/5

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ઓણમ અને રક્ષાબંધનના અવસર પર સરકારે તમામ LPG ગ્રાહકોને 200 રૂપિયા સસ્તું LPG સિલિન્ડર આપવાનો નિર્ણય કર્યો છે.
Published at : 30 Aug 2023 06:24 AM (IST)
આગળ જુઓ





















