શોધખોળ કરો
Indian railway: શું ભારતીય રેલ્વે જનરલ કોચ નાબૂદ કરવા જઈ રહી છે? રેલવે મંત્રીએ કહી આ વાત
Indian Railway: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ બુલેટ ટ્રેન અને વંદે મેટ્રો ઇન્ટરસિટી ટ્રેન વિશે વાત કરી છે. તેમણે દેશમાં વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધારવાની પણ મોટી વાત કરી છે.
Ashwini Vaishnaw On Train General Coach: એશિયામાં સૌથી મોટા રેલ નેટવર્ક ધરાવતા દેશમાં, મોટાભાગના લોકો હજી પણ દરરોજ સામાન્ય કોચમાં મુસાફરી કરે છે. આ દરમિયાન રેલ મંત્રીએ કહ્યું કે તેમણે ટ્રેનના જનરલ કોચને લઈને મોટું નિવેદન આપ્યું છે.
1/6

જ્યારે રેલવે મંત્રીને પૂછવામાં આવ્યું કે શું ટ્રેનોમાંથી જનરલ કોચ (General Coach) ઘટાડવામાં આવી રહ્યા છે? આ પ્રશ્નના જવાબમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, "જનરલ કોચમાં ઘટાડો કરવામાં આવી રહ્યો નથી. દેશમાં અમૃત ભારત ટ્રેનનું (Amrit Bharat Train) ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે, તે નોન-એસી ટ્રેન છે." તેમણે કહ્યું કે રેલવેનું ફોકસ ઓછી આવક ધરાવતા મુસાફરો છે.
2/6

નવી NDA સરકારમાં કાર્યભાર સંભાળ્યા બાદ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ બુલેટ ટ્રેન અને વંદે મેટ્રો ઇન્ટરસિટી ટ્રેન અંગે અપડેટ આપી છે. તેમણે કહ્યું, "508 કિમીમાંથી 310 કિમીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બુલેટ ટ્રેન માટે તૈયાર થઈ ગયું છે.
Published at : 16 Jun 2024 07:03 AM (IST)
આગળ જુઓ





















