શોધખોળ કરો
મોહમ્મદ શમી આત્મહત્યા કરવાનો હતો! ફાઇનલ પહેલાં મિત્રએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમીને લઈને એક અત્યંત ચોંકાવનારી માહિતી સામે આવી છે.
જાણવા મળ્યું છે કે શમી એક સમયે આત્મહત્યા કરવા માટે ગંભીર હતા અને પોતાના ઘરની બાલ્કનીમાંથી કૂદીને જીવન ટૂંકાવવા માંગતા હતા. આ ઘટસ્ફોટ શમીના એક નજીકના મિત્ર દ્વારા કરવામાં આવ્યો છે, જેનાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
1/6

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયા રવિવારે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે, જ્યાં શમી ભારતીય બોલિંગ આક્રમણનું મહત્વનું હથિયાર હશે.
2/6

આ ટુર્નામેન્ટમાં શમીએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને 8 વિકેટ ઝડપી છે. પરંતુ ફાઇનલ મેચ પહેલાં સામે આવેલા આ સમાચારથી ક્રિકેટ ચાહકો અને ટીમ ઈન્ડિયાના સપોર્ટરો ચિંતામાં મુકાઈ ગયા છે.
3/6

મોહમ્મદ શમી તાજેતરમાં રમઝાન દરમિયાન ઉપવાસ ન રાખવાને કારણે વિવાદમાં આવ્યા હતા. કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓએ તેમની ટીકા કરી હતી, જ્યારે ઘણા લોકોએ તેમનો બચાવ પણ કર્યો હતો. આ વિવાદ હજુ શાંત થયો નથી, ત્યાં જ આ આત્મહત્યાના વિચારવાળા સમાચાર સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
4/6

'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના અહેવાલ અનુસાર, શમીના નજીકના મિત્ર અને ઉત્તરાખંડના ખાનપુરના ધારાસભ્ય ઉમેશ કુમારે આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
5/6

ઉમેશ કુમારના જણાવ્યા પ્રમાણે, શમી એટલો હતાશ થઈ ગયો હતો કે તેણે પોતાના ઘરની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ લીધો હતો.
6/6

શમી સાથે જોડાયેલા આ સમાચાર વાસ્તવમાં ગયા વર્ષના છે, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ પહેલાં ફરીથી ચર્ચામાં આવ્યા છે. આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે શમી ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ મેચ રમવા માટે તૈયાર છે અને ટીમમાં ઉત્સાહનું વાતાવરણ હોવું જોઈએ.
Published at : 07 Mar 2025 07:14 PM (IST)
આગળ જુઓ
Advertisement





















