આ પ્રસાદ બનાવવા માટે અને તેની વ્યવસ્થા માટે 15 હજાર સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. ખોડલધામમાં ભાવિકો માટે ચા, પાણીની અલગ વ્યવસ્થા ઊભી કરાઇ છે. મહોત્સવના પહેલા દિવસે 10 લાખ ભાવિકોએ પ્રસાદ લીધો હતો, જ્યારે બીજા દિવસે 11 લાખ ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
3/12
4/12
5/12
ખોડલધામની ભોજનશાળામાં 210 બાય 240 ફૂટનું રસોઇ ગૃહ તૈયાર કરાયું છે. રસોઇ માટે 48 ચુલા બનાવાયા છે. રસોડાની અંદર પ્રસાદની હેરફેર માટે 60 ટ્રેક્ટર રાખવામાં આવ્યા છે. પ્રસાદમાં મોહનથાળ, ગુંદી, રોટલી, શાક, સલાડ અને દાળભાતનો સમાવેશ થાય છે.
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
રાજકોટઃ પાંચ દિવસીય ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે રોજે આ મહોત્સવમાં લાખો પાટીદારો ભાગ લેવા આવી રહ્યા છે. ખોડલધામ ખાતે આવી રહેલા ભાવિકો માટે પ્રસાદીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આના માટે 48 વિઘામાં ભોજન શાળા ઊભી કરવામાં આવી છે. રસોડાનું ખાસ આકર્ષણ રોટલી છે. આ રોટલી વણીને આપવામાં આવી રહી છે. એક કલાકમાં 70 હજાર રોટલી બનાવવામાં આવે છે.