શોધખોળ કરો
હોમરાજકોટપટેલ વેપારીનું ર૪ દિવસ બાદ મોત, મૃતદેહ ન સ્વીકારવાનું રટણ, ખેડૂતોના ફસાયેલા પાંચ કરોડ પાછા મળે તેવી માંગણી
પટેલ વેપારીનું ર૪ દિવસ બાદ મોત, મૃતદેહ ન સ્વીકારવાનું રટણ, ખેડૂતોના ફસાયેલા પાંચ કરોડ પાછા મળે તેવી માંગણી
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 03 Jul 2017 12:59 PM (IST)
1/7

પીએસઆઇ રાણાએ કહ્યું કે, પોલીસ ફરિયાદ નોંધવા પહોંચી પણ મૃતકના પત્નિએ કહ્યું- ૨૪ કલાક વિચારવાનો સમય આપો. બનાવ સમયે, અરજી આવી ત્યારે પણ પોલીસે ફરિયાદ નોંધાવવાનું કહેતાં પરિવારજનોએ રમેશભાઇ સારા થઇ જાય પછી ફરિયાદ કરવાનું વિચારશું તેમ જણાવ્યું હતું.
2/7

મૃતક રમેશભાઇના કુટુંબીજનોએ એવી માંગણી પણ કરી છે કે અમારી ફરિયાદ નોંધવામાં આવે તો ડીએસપીની હાજરીમાં નોંધાય અને હાલના તપાસનીશ ત્યારે હાજર ન રહે. હજુ પણ આ કેસમાં સમાધાન કરી લેવા આડકતરી રીતે દબાણ થતું હોવાનો આક્ષેપ પણ કરાયો છે. ત્યારે હવે પોલીસ આગળ કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું છે.
3/7

મૃતક રમેશભાઇના પત્નિ જીજ્ઞાબેન તથા કુટુંબીજનો અશોકભાઇ નાનજીભાઇ ગમઢા, કેતનભાઇ નાનજીભાઇ ગમઢા, ભરતભાઇ નારણભાઇ ગમઢા સહિત વીસ જેટલા લોકો રમેશભાઇનું શનિવારે રાત્રે ઓલમ્પસ હોસ્પિટમલાં મૃત્યુ થયું ત્યારથી હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે બેઠા છે. આ તમામે જણાવ્યું હતું કે રમેશભાઇ જીન મીલ પણ ચલાવતાં હોઇ તેણે ખેડુતો પાસેથી પાંચ-છ કરોડાનું કપાસ ખરીદ કર્યુ હતું. આ ખેડુતોના નાણા પણ વ્યાજની ઉઘરાણી પેટે પડાવી જવાયા છે. અમારી મિલ્કતો ભલે વેંચાઇ જાય પણ આ ખેડૂતોને તેના નાણા પાછા મળી જાય તેવી કાર્યવાહી કરવાની અમારી માંગણી છે. આ માંગણી નહિ સંતોષાય ત્યાં સુધી અમે લાશ સંભાળશું નહિ.
4/7

કરોડોનું વ્યાજ ચુકવી દીધા છતાં વધુને વધુ વ્યાજ માંગી આ શખ્સો જમીનો, નવ મકાનોના દસ્તાવેજો, મહિલાઓનું સો તોલા સોનુ પણ પડાવી ગયા હતાં અને પ્રોમીસરી નોટો તથા કોરા સ્ટેમ્પ પેપરોમાં ધમકીઓ આપી સહીઓ કરાવી ગયા હતાં. આમ છતાં વધુ વ્યાજની ઉઘરાણી સતત ચાલુ હઇ જેથી પતિ રમેશભાઇ ઘર છોડીને જતાં રહ્યા બાદ ૯મીએ છાપરા ગામની ઓઇલ મીલે જઇ ઝેર પી લીધું હતું.
5/7

રમેશભાઇ ગમઢાએ ૯મીએ ઝેર પી લેતાં પ્રગતિ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમના પત્નિ જીજ્ઞાબેને બાદમાં પોલીસને અરજી કરી હતી. જેમાં પતિ રમેશભાઇએ કોની પાસેથી કેટલા રૂપિયા વ્યાજે લીધા હતાં તેનો ઉલ્લેખ હતો. જેમાં ડી. કે. સખીયા-તિરૂપતિ ફાયનાન્સ પાસેથી ૨૮ કરોડ, વાજડીના વિનુભાઇ મૈત્રા પાસેથી ૧.૧૫ કરોડ, ખીરસરાના લાખાભાઇ સાગઠીયા પાસેથી ૧.૯૦ કરોડ, રોશન થોભાણીના માતા પાસેથી ૫ કરોડ, બાબુભાઇ મેપાભાઇ બાંભવા પાસેથી ૧૧ કરોડ, મોટા મવાના દિનેશભાઇ પરસાણા પાસેથી ૧ કરોડા, ચીભડાના મોહનભાઇ ભાણાભાઇ પાસેથી ૯૫ લાખ, વિનુભાઇ પટેલ પાસેથી ૧.૭૦ કરોડ, મેણંદભાઇ સુરાભાઇ પાસેથી રૂ. ૩.૧૩ કરોડ અને લાખાભાઇ પાસેથી ૩ કરોડ વ્યાજે લીધા હતાં. આ બધા પાસેથી ૩ થી ૫ ટકાના વ્યાજે નાણા લઇ ચુકવી દીધાની અરજી કરાઇ હતી.
6/7

કુટુંબીજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ૩૦મીએ પ્રગતિ હોસ્પિટલમાં રમેશભાઇ ગમઢા જાતે ઉભા થઇ પલંગમાંથી ખુરશીમાં બેઠા હતાં. તે સાજા થઇ ગયા હતાં માત્ર બોલી શકતા નહોતાં. બાદમાં અચાનક બે કલાક બાદ સિરીયસ થઇ ગયા હતાં અને અમને ઓલમ્પસ હોસ્પિટલમાં લઇ જવાનું કહેવાતાં અમે તેમને ત્યાં લઇ ગયા હતાં.
7/7

રાજકોટઃ ભાજપ આગેવાનો સહિત ૧૧-૧૧ વ્યાજંકવાદીઓની ધાક-ધમકીથી કંટાળી લોધીકા છાપરા ગામે ર૪ દિવસ પહેલા જ ઝેરી દવા પી લેનાર રમેશભાઈ જાદવભાઈ ગમઢા નામના પટેલ વેપારીએ દમ તોડતા અરેરાટી વ્યાપી ગઈ છે. બીજી તરફ પટેલ પરિવારે જયાં સુધી ભાજપ જિલ્લા પ્રમુખ ડી.કે.સખીયા સહિત ૧૧ વ્યાજંકવાદીઓ સામે ગુનો ન નોંધાય કે તેમની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતાં વાતાવરણ વધુ તંગ બની ગયું હતુ.
Published at : 03 Jul 2017 12:59 PM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
દુનિયા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
ટેકનોલોજી
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
દુનિયા
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
દેશ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
ટ્રેન્ડિંગ સમાચાર





















