એશિયા કપમાં ન રમ્યો હોવા છતાં ભારતનો નિયમિત કેપ્ટન વિરાટ કોહલી 884 પોઇન્ટ સાથે પ્રથમ નંબર પર છે.
2/5
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને સાતમી વખત એશિયા કપ વિજેતા બનાવવામાં બંને ઓપનર્સ શિખર ધવન અને કેપ્ટન રોહિત શર્માનો મહત્વનો ફાળો હતો. એશિયા કપમાં આ બંનેએ શાનદાર બેટિંગ કરી હોવા છતાં તેમનો વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. પરંતુ એશિયા કપના પ્રદર્શનના કારણે બંનેના ICC વનડે રેન્કિંગમાં સુધારો થયો છે.
3/5
રોહિત શર્માની સાથે શિખર ધવનના રેન્કિંગમાં પણ 4 ક્રમનો સુધારો થયો છે. એશિયા કપ પહેલા ધવન 9માં નંબર પર હતો, જે નવા રેન્કિંગ મુજબ પાંચમાં નંબર પર આવી ગયો છે. શિખર ધવને એશિયા કપની 5 ઈનિંગમાં બે સદીની મદદથી 342 રન બનાવ્યા હતા.
4/5
રોહિત શર્માએ એશિયા કપની 5 મેચમાં 105.66ની સરેરાશથી 317 રન ફટકાર્યા હતા. જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થતો હતો. રોહિત શર્માના આ પ્રદર્શનની અસર આઈસીસી વન ડે રેન્કિંગમાં પણ જોવા મળી. રોહિત શર્મા 842 પોઇન્ટ સાથે બીજા ક્રમે પહોંચી ગયો છે. એશિયા કપ પહેલા તે ચોથા નંબર પર હતો.
5/5
એશિયા કપની છ મેચમાં 10 વિકેટ ઝડપનારો સ્પિનર કુલદીપ યાદવ 700 પોઈન્ટ સાથે વન ડે કરિયરના સર્વશ્રેષ્ઠ ક્રમાંક 3 પર પહોંચી ગયો છે. બુમરાહે બોલર્સન યાદીમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.