શોધખોળ કરો

Joginder Sharma: ભારતને ટી-20 વર્લ્ડકપ જીતાડનારા આ ખેલાડીએ જાહેર કરી નિવૃતિ, જય શાહને લખ્યો પત્ર

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ વર્લ્ડકપની જીતના હીરો રહેલા ફાસ્ટ બોલર જોગિન્દર શર્માએ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. શુક્રવારે (3 ફેબ્રુઆરી), 39 વર્ષીય જોગિન્દર શર્માએ ટ્વિટર પર નિવૃત્તિની જાહેરાત કરી હતી.

હરિયાણાના રોહતકથી આવેલા જોગિન્દર શર્માએ ભારત માટે માત્ર 4 ODI અને 4 T20 મેચ રમી છે. ખાસ વાત એ છે કે તેણે પોતાના કરિયરની તમામ ટી20 મેચો માત્ર વર્લ્ડ કપમાં જ રમી અને ઈતિહાસ રચાઈ ગયો હતો. જ્યારે તેણે 2004માં ભારત માટે ODI ડેબ્યૂ કર્યું હતું અને 2007માં છેલ્લી ODI રમી હતી. જોગિન્દર શર્મા હાલમાં હરિયાણા પોલીસમાં ડીએસપી છે, તે થોડા સમય પહેલા હરિયાણા માટે રણજી ટ્રોફી પણ રમી રહ્યો હતો.

જોગિન્દર શર્માએ ટ્વિટર પર પોતાનો પત્ર શેર કર્યો, જે તેણે BCCI સચિવ જય શાહને મોકલ્યો હતો અને નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોગિન્દર શર્માએ લખ્યું હતું કે તેઓ BCCI, હરિયાણા ક્રિકેટ એસોસિએશન, ચેન્નાઈ સુપર કિંગ્સ અને હરિયાણા સરકારનો આભાર માને છે. જોગિન્દર શર્માએ તેના ચાહકો, પરિવારજનો, મિત્રોનો આભાર માન્યો, જેમણે તેની કારકિર્દીના ઉતાર-ચઢાવમાં તેનો સાથ આપ્યો હતો.

24 સપ્ટેમ્બર, 2007ના રોજ જ્હોનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયા પ્રથમ ટી-20માં ચેમ્પિયન બની હતી. આ સાથે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ 1983 પછી વર્લ્ડકપ જીતવામાં સફળ રહી હતી.

2007 T20 વર્લ્ડ કપ પહેલા જોગિન્દરને કોઈ ઓળખતું પણ નહોતું, જ્યારે તેણે 2004માં જ ટીમ ઈન્ડિયા માટે વનડે ડેબ્યૂ કર્યું હતું. જોગિન્દરે 23 ડિસેમ્બર 2004ના રોજ બાંગ્લાદેશ સામે ડેબ્યુ કર્યું હતું. તેણે તેની છેલ્લી ODI 24 જાન્યુઆરી 2007ના રોજ બારાબતી સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી.

જોગિન્દરે 19 સપ્ટેમ્બર 2007ના રોજ કિંગ્સમીડ ખાતે ઈંગ્લેન્ડ સામે ટી20માં ડેબ્યૂ કર્યું હતું.  તેણે ભારત માટે છેલ્લી T20 24 સપ્ટેમ્બર 2007ના રોજ પાકિસ્તાન સામે વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમી હતી. તે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ હતી. ફાઇનલમાં ભારતને છેલ્લી ઓવરમાં 13 રન બચાવવા પડ્યા હતા, જ્યારે મિસ્બાહ-ઉલ-હક સામે હતો. કેપ્ટન ધોનીએ હરભજન સિંહના બદલે જોગિન્દર શર્માને બોલિંગ આપી અને તે માસ્ટર સ્ટ્રોક સાબિત થયો હતો.

જોગિન્દરે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ચાર વનડે અને ચાર ટી-20 રમી હતી. તેની વનડેમાં એક વિકેટ અને ટી20માં ચાર વિકેટ છે. તેણે IPLમાં પણ 16 મેચ રમી છે અને 12 વિકેટ લીધી છે. 27 રનમાં બે વિકેટ તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ છે. જોગિન્દર આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત જાયન્ટ્સ તરફથી રમી ચૂક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Advertisement

વિડિઓઝ

Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Hun To Bolish : હું તો બોલીશ : આખરે નિર્ણય કરવો પડ્યો રદ
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીમાં તોડબાજ?
Valsad Rape Case: વલસાડમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર લાંછન લગાવતો કિસ્સો!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Railway News: હવે ટ્રેક પર પાણી ભરાવા છતાં અટકશે નહીં ટ્રેન, રેલવે લાવી રહ્યું છે નવી સિગ્નલ સિસ્ટમ
Railway News: હવે ટ્રેક પર પાણી ભરાવા છતાં અટકશે નહીં ટ્રેન, રેલવે લાવી રહ્યું છે નવી સિગ્નલ સિસ્ટમ
ન્યૂયોર્કના મેનહટનમાં ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી હુમલાખોરે કર્યું ફાયરિંગ, પાંચના મોત
ન્યૂયોર્કના મેનહટનમાં ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી હુમલાખોરે કર્યું ફાયરિંગ, પાંચના મોત
Rakshabandhan 2025: 9 ઓગસ્ટે રક્ષાબંધન, જાણો કાંડા પર  કેટલા દિવસ સુધી રાખડી બાંધી શકાય?
Rakshabandhan 2025: 9 ઓગસ્ટે રક્ષાબંધન, જાણો કાંડા પર કેટલા દિવસ સુધી રાખડી બાંધી શકાય?
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
Embed widget