શોધખોળ કરો

KL Rahul બાદ અક્ષર પટેલ પણ પહોંચ્યો મહાકાલના દરબારમાં, પત્ની સાથે ભસ્મ આરતીમાં થયો સામેલ 

ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ બાદ હવે ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ પૂજા કરવા ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચી ગયો છે.

IND vs AUS, Axar Patel: ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ બાદ હવે ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ પૂજા કરવા ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચી ગયો છે. અક્ષર તેની પત્ની સાથે મહાકાલના દરબારમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. હવે અક્ષર પટેલ મહાકાલના દરબારમાં પૂજા કરતા હોવાની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કેએલ રાહુલે ભગવાન મહાકાલના આશીર્વાદ પણ લીધા હતા

રવિવારે ક્રિકેટર કેએલ રાહુલ પત્ની આથિયા શેટ્ટી સાથે ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તેમણે ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. આ પછી ગર્ભગૃહમાં જલાભિષેક દ્વારા પૂજા કરવામાં આવી હતી. તાજેતરમાં કેએલ રાહુલે લગ્ન કર્યા છે. સોમવારે ક્રિકેટર અક્ષર પટેલ પણ પત્ની મેહા પટેલ સાથે ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા પહોંચ્યો હતો. તેણે ભસ્મ આરતી જોઈ. આ પછી ગર્ભગૃહમાં પૂજા પણ કરવામાં આવી હતી.

અક્ષર પટેલે જણાવ્યું કે તે 5 વર્ષ પહેલા ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા ઉજ્જૈન પહોંચ્યો હતો, પરંતુ ભસ્મ આરતી જોઈ શક્યો ન હતો. ત્યારથી તેને ભસ્મ આરતી જોવાની ઈચ્છા હતી. આજે તેની ઈચ્છા પૂરી થઈ છે. ભસ્મ આરતી જોઈને નવવિવાહિત યુગલ ખૂબ જ ખુશ અને સંતુષ્ટ દેખાતા હતા.

ત્રીજી ટેસ્ટ મેચ ઈન્દોરમાં રમાશે

મહત્વપૂર્ણ છે કે, ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ શ્રેણીમાં ભારતીય ટીમે પ્રથમ 2 મેચ જીતીને 2-0ની લીડ મેળવી લીધી છે. બીજી તરફ જો ભારતીય ટીમ ત્રીજી મેચ જીતી જશે તો ફરી એકવાર ટીમ ઈન્ડિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતશે. ટીમે નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં એક દાવ અને 132 રનથી અને દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં 6 વિકેટે જીત મેળવી હતી.  

Rishabh Pant Update: ઋષભ પંત ક્યારે કરશે મેદાનમાં વાપસી? સૌરવ ગાંગુલી આપ્યો જવાબ

તાજેતરમાં જ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત અકસ્માતનો શિકાર બન્યો હતો. આ અકસ્માતમાં ઋષભ પંતને ગંભીર ઈજા થઈ હતી. હાલ તે ક્રિકેટથી દૂર છે. ઋષભ પંત IPL 2023નો ભાગ નહીં હોય, તે દિલ્હી કેપિટલ્સ માટે મોટો ફટકો માનવામાં આવે છે. જો કે, ઋષભ પંત ક્યારે ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે... આ પ્રશ્ન યથાવત છે. હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આ સવાલનો જવાબ આપ્યો છે. દાદાએ કહ્યું ઋષભ પંત ક્યારે ક્રિકેટના મેદાનમાં પરત ફરશે.

સૌરવ ગાંગુલીનું માનવું છે કે ઋષભ પંતને મેદાનમાં પાછા ફરતા લગભગ 2 વર્ષ લાગી શકે છે. તેણે કહ્યું કે મેં ઋષભ પંત સાથે ઘણી વખત વાત કરી છે. તેમના માટે આ મુશ્કેલ સમય છે. તે અકસ્માત બાદ ઋષભ પંતે સર્જરી કરાવી, મારી શુભકામનાઓ તેની સાથે છે. ભૂતપૂર્વ ભારતીય સુકાનીએ કહ્યું કે ઋષભ પંતને મેદાનમાં વાપસી કરવામાં એક વર્ષ લાગશે અથવા તો 2 વર્ષ પણ લાગી શકે છે, પરંતુ મને ખાતરી છે કે તે ભારત માટે ફરીથી મેદાન પર ચોક્કસપણે દેખાશે. વાસ્તવમાં સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. જોકે, BCCI પ્રમુખ બન્યા બાદ તેમણે દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટરનું પદ છોડી દીધું હતું, પરંતુ ફરી એકવાર તેઓ ટૂંક સમયમાં આ જવાબદારીમાં જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
Petrol Diesel Expiry Date: શું પેટ્રોલ-ડીઝલની પણ હોય છે એક્સપાયરી? જાણો ક્યાં સમય સુધી કરી શકો છો સ્ટોર
Petrol Diesel Expiry Date: શું પેટ્રોલ-ડીઝલની પણ હોય છે એક્સપાયરી? જાણો ક્યાં સમય સુધી કરી શકો છો સ્ટોર
Tata Punch CNG કે Hyundai Exter CNG,7 લાખના બજેટમાં કઈ કાર ખરીદવી બેસ્ટ? જાણો ફિચર્સ
Tata Punch CNG કે Hyundai Exter CNG,7 લાખના બજેટમાં કઈ કાર ખરીદવી બેસ્ટ? જાણો ફિચર્સ
TECH EXPLAINED: શું હોય RAM? જાણો કેવી રીતે તેની અછતથી વધશે સ્માર્ટફોનની કિંમત
TECH EXPLAINED: શું હોય RAM? જાણો કેવી રીતે તેની અછતથી વધશે સ્માર્ટફોનની કિંમત
Shani Shingnapur Mandir: ભારતનું એક અનોખું ગામ, જ્યાં ક્યારેય નથી થતી ચોરી, હંમેશા તાળા વગર રહે છે ઘર અને બેંક
Shani Shingnapur Mandir: ભારતનું એક અનોખું ગામ, જ્યાં ક્યારેય નથી થતી ચોરી, હંમેશા તાળા વગર રહે છે ઘર અને બેંક
Embed widget