શોધખોળ કરો

Asia Cup: પાકિસ્તાનમાં નહી યોજાય એશિયા કપ 2023, એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પહેલા જ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાનો ઈનકાર કરી દીધો હતો.

પાકિસ્તાન એશિયા કપ 2023ની યજમાની કરશે નહીં. એક રિપોર્ટ અનુસાર, એશિયા કપ 2023 પાકિસ્તાનમા યોજાશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પહેલા જ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાનો ઈનકાર કરી દીધો હતો. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એશિયા કપ પાકિસ્તાનમાં યોજાય તે માટે પ્રયાસો કરી રહ્યું હતું. આ પ્રયાસના ભાગરૂપે 4 ફેબ્રુઆરીના રોજ એશિયન ક્રિકેટ કાઉન્સિલની ઈમરજન્સી બેઠક યોજાઈ હતી. જેમાં આ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં નહીં યોજાય તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે આ નિર્ણય પણ પાકિસ્તાનની ખરાબ આર્થિક સ્થિતિને કારણે લેવામાં આવ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર એશિયા કપ 2023 યુએઇમાં રમાય તેવી વધુ સંભાવના છે. જોકે આ અંગેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરાશે.

 

IND vs AUS: બોર્ડર-ગાવસ્કર સીરીઝમાં વિરાટ કોહલી ઈતિહાસ રચી શકે છે, 318 રનની જરુર

Virat Kohli Border-Gavaskar Trophy 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર શ્રેણી 9 ફેબ્રુઆરી, 2023થી શરૂ થશે. શ્રેણીની પ્રથમ મેચ નાગપુરમાં રમાશે. આ સિરીઝમાં બધાની નજર ઘણા મોટા ખેલાડીઓ પર રહેશે. આ વખતે રોહિત શર્મા ભારતીય ટીમની કમાન સંભાળશે. તે જ સમયે, ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસે ઘણી આશાઓ છે. વિરાટ કોહલી આ દિવસોમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં તે આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કરી શકે છે. કોહલી આ સિરીઝમાં 318 રન બનાવીને મોટી સિદ્ધિ મેળવી શકે છે.

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં 2000 રન પૂરા કરી શકે છે

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધીમાં કુલ 20 ટેસ્ટ મેચ રમી છે. આ મેચોની કુલ 30 ઇનિંગ્સમાં તેણે 48.05ની એવરેજથી 1682 રન બનાવ્યા છે. 2023માં રમાનારી બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે 318 રન બનાવીને ટેસ્ટ ક્રિકેટમાં 2000 રન પૂરા કરી શકે છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધીમાં કુલ 7 સદી અને 5 અડધી સદી ફટકારી છે. આમાં તેનો હાઈ સ્કોર 169 રન છે.

બીજી તરફ, બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં પૂર્વ ભારતીય દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર નંબર વન પર છે. સચિને 34 ટેસ્ટ મેચોની 65 ઇનિંગ્સમાં 56.24ની એવરેજથી 3262 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 9 સદી અને 16 અડધી સદી નીકળી છે. આમાં તેનો હાઈ સ્કોર 241* રન રહ્યો છે.

કોહલીએ તેની છેલ્લી ટેસ્ટ સદી 2019માં ફટકારી હતી

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી 2019થી ટેસ્ટ ક્રિકેટમાં સારા ફોર્મમાં જોવા મળ્યો નથી. 2019 થી, તેના બેટમાંથી કોઈ ટેસ્ટ સદી નીકળી નથી. તે વર્ષે (2019) તેની ટેસ્ટ એવરેજ 68 હતી. આ પછી, 2020 માં, તેણે ટેસ્ટ ક્રિકેટમાં માત્ર 19.33 ની સરેરાશથી રન બનાવ્યા. આ પછી તેણે 2021માં 28.21 અને 2022માં 26.50ની એવરેજથી રન બનાવ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget