શોધખોળ કરો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં હાર બાદ દ્રવિડને BCCIએ શું આપી ચેતવણી, શું લેવાઇ શકે છે મોટો નિર્ણય ?

વર્ષ 2013માં છેલ્લી વખત આઈસીસી ટ્રોફી જીતનારી ભારતીય ટીમ આઈસીસી ઈવેન્ટમાં ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે પરંતુ હજુ પણ વિજેતા બનવામાં સફળ થઈ શકી નથી

BCCI Sends Warning To Indian Team Support Staff: વર્ષ 2013માં છેલ્લી વખત આઈસીસી ટ્રોફી જીતનારી ભારતીય ટીમ આઈસીસી ઈવેન્ટમાં ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે પરંતુ હજુ પણ વિજેતા બનવામાં સફળ થઈ શકી નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં હાર બાદ ભારતીય ટીમના ખેલાડીઓની સાથે ટીમના સપોર્ટ સ્ટાફની પણ ટીકા થઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હવે ટીમના સપોર્ટ સ્ટાફને ચેતવણી આપી છે.

WTC ફાઇનલમાં ભારતીય ટીમના પ્રદર્શન બાદ ઇનસાઇડ સ્પોર્ટ્સમાં જાહેર થયેલા રિપોર્ટમાં બીસીસીઆઇના અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે વન-ડે વર્લ્ડકપ 2023ને ધ્યાનમાં રાખીને આ હાર બાદ બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બરે અંગે ચર્ચા થશે.

બીસીસીઆઈના અધિકારીએ કહ્યું હતું કે આ બધી વસ્તુઓ એટલી સરળ નથી. આપણે એમ ન કહી શકીએ કે બધી વસ્તુઓ સારી નહોતી. અમે ભારતમાં જીતવામાં સફળ રહ્યા. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું એ કોઈ મજાક નથી. પરંતુ વિદેશ પ્રવાસમાં અમારું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. દરમિયાન, આપણે વન-ડે વર્લ્ડ કપને પણ ધ્યાનમાં રાખવો જોઈએ, જેને ફક્ત 4 મહિના બાકી છે. આપણે વિચાર્યા વિના પ્રતિક્રિયા આપી શકતા નથી. પરંતુ ચોક્કસપણે આંતરિક ચર્ચા થશે.

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ 2023 વન-ડે વર્લ્ડકપ સુધી આ જવાબદારી નિભાવતા જોવા મળી શકે છે. એશિયા કપ, ટી-20 વર્લ્ડકપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર બાદ પણ બોર્ડને તેમના પર વિશ્વાસ છે. વન-ડે વર્લ્ડ કપમાં ટીમના પ્રદર્શનના આધારે દ્રવિડની સ્થિતિ પર વધુ ચર્ચા કરવામાં આવશે.

રોહિત શર્માની કેપ્ટનશિપ પર કોઈ ખતરો નથી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર છતાં રોહિત શર્માની કેપ્ટનશિપ પર કોઈ ખતરો નથી. બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય ક્રિકેટ બોર્ડને હિટમેન પર પૂરો વિશ્વાસ છે. ભારતીય ટીમ આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝના લાંબા પ્રવાસ માટે રવાના થવાની છે. જ્યાં બે ટેસ્ટ, ત્રણ વનડે અને ચાર T20 ઈન્ટરનેશનલ મેચ રમાશે. આ દરમિયાન ટેસ્ટ સિરીઝમાં માત્ર રોહિત જ ટીમની કમાન સંભાળશે. જો કે, જો રોહિત ડોમિનિકા અથવા પોર્ટ ઓફ સ્પેનમાં (20 થી 24 જુલાઈ) યોજાનારી બીજી ટેસ્ટમાં કોઈ મોટી ઇનિંગ્સ નહીં રમે, તો BCCI ટોચના અધિકારીઓ અને રાષ્ટ્રીય પસંદગી સમિતિ પર આકરો નિર્ણય લેવાનું દબાણ હશે

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget