Champions Trophy: પાકિસ્તાન પર જીત બાદ પણ ટીમ ઇન્ડિયા થઇ શકે છે બહાર, જાણો સમીકરણ
Champions Trophy: ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ પાકિસ્તાનને હરાવ્યું હતું

Champions Trophy: ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ પાકિસ્તાનને હરાવ્યું હતું. રવિવાર 23 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમની આ જીતનો સ્ટાર વિરાટ કોહલી હતો, જેણે શાનદાર સદી ફટકારી અને ટીમ ઈન્ડિયાને જીત તરફ દોરી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ ટુર્નામેન્ટમાં 2 મેચમાંથી 2 મેચ જીતી લીધી છે અને સેમિફાઇનલની નજીક પહોંચી ગઈ છે, જ્યારે પાકિસ્તાન બહાર થવાના આરે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ટીમ ઈન્ડિયા હજુ પણ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે.
આ છે પોઈન્ટ ટેબલની સ્થિતિ
આ 8 ટીમોની ટુર્નામેન્ટનું ફોર્મેટ એવું છે કે સતત બે મજબૂત જીત નોંધાવવા છતાં ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. તાર્કિક રીતે કહીએ તો આવું થવાની લગભગ કોઈ શક્યતા નથી પરંતુ પોઈન્ટ ટેબલના ગણિત અને સમીકરણો એવા છે કે તે હજુ પણ થઈ શકે છે. આ માટે જાણો સમીકરણને સમજીએ. તે પહેલા પોઈન્ટ ટેબલ જાણીએ. સતત 2 જીત સાથે ટીમ ઈન્ડિયા 4 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ન્યૂઝીલેન્ડ 2 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે બાંગ્લાદેશ ત્રીજા સ્થાને છે અને પાકિસ્તાન ચોથા સ્થાને છે. બંને ટીમોનું ખાતું ખુલ્યું નથી.
જો બાકીની ૩ મેચમાં આવું થાય તો
હવે સેમિફાઇનલ વિશે વાત કરીએ. સતત બે જીત બાદ એવું નિશ્ચિત લાગે છે કે ટીમ ઈન્ડિયા નોકઆઉટ રાઉન્ડમાં પહોંચશે પરંતુ આ ગ્રુપમાં હજુ ત્રણ મેચ બાકી છે. આગામી મેચ 24 ફેબ્રુઆરી સોમવારના રોજ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે છે. આવી સ્થિતિમાં જો બાંગ્લાદેશ આ મેચ જીતે છે તો તેને 2 પોઈન્ટ મળશે. બાંગ્લાદેશની છેલ્લી મેચ પાકિસ્તાન સામે છે અને જો તે આ મેચ પણ જીતી જાય તો બાંગ્લાદેશના 4 પોઈન્ટ થશે. ન્યૂઝીલેન્ડના ફક્ત 2 પોઈન્ટ રહેશે અને પછી તેનો સામનો છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયા સામે થશે. જો ન્યૂઝીલેન્ડ તે મેચમાં ભારતને હરાવે છે, તો તેના પણ 4 પોઈન્ટ મળશે.
ટીમ ઈન્ડિયા બહાર થઈ શકે છે
આ રીતે ગ્રુપ A ની ત્રણેય ટીમો 4-4 પોઈન્ટ સાથે બરાબર રહેશે. આવી સ્થિતિમાં નિર્ણય નેટ રન રેટના આધારે લેવામાં આવશે. જો બાંગ્લાદેશ તેની બંને મેચ મોટા માર્જિનથી જીતે છે તો તેનો નેટ રન રેટ, જે હાલમાં -0.408 છે, તેમાં સુધારો થશે. હાલમાં ટીમ ઈન્ડિયાનો નેટ રન રેટ 0.647 છે, જ્યારે ન્યૂઝીલેન્ડનો 1.200 છે. જો ટીમ ઈન્ડિયા છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે મોટા માર્જિનથી હારી જાય છે તો ભારતીય ટીમનો રન રેટ ઘટશે, જ્યારે ન્યૂઝીલેન્ડનો રન રેટ સુધરશે. આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયા નેટ રન રેટની દોડમાં પાછળ રહે છે, તો તે સેમિફાઇનલની દોડમાંથી બહાર થઈ જશે. જોકે, જો આગામી મેચમાં ન્યૂઝીલેન્ડ બાંગ્લાદેશને હરાવે તો પરિસ્થિતિ આ અહીં સુધી નહીં પહોંચે તો ભારત અને ન્યૂઝીલેન્ડ સીધા સેમિફાઇનલમાં પહોંચશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
