શોધખોળ કરો

'ચેમ્પિયન્સ ટ્રોફી તેની છેલ્લી...', સુરેશ રૈનાએ રોહિત શર્માને લઈ કરી ચોંકાવનારી ભવિષ્યવાણી  

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. આ પછી તેણે T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.

Suresh Raina Prediction On Rohit Sharma: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. આ પછી તેણે T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. હવે હિટમેન ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં મેન ઇન બ્લુની કમાન્ડ કરતો જોવા મળશે. રોહિત ધીમે-ધીમે પોતાના કરિયરના અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો છે, જેને જોતા ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાએ ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે.

કેપ્ટન તરીકે છેલ્લી ICC ટ્રોફી હોઈ શકે

રૈનાએ સ્પષ્ટ કર્યું કે ચેમ્પિયન્સ ટ્રોફી રોહિત શર્મા માટે કેપ્ટન તરીકે છેલ્લી ICC ટ્રોફી હોઈ શકે છે. આ સિવાય રૈનાએ કહ્યું કે તેના માટે રન બનાવવા પણ મહત્વપૂર્ણ રહેશે.  રૈનાએ પણ કહ્યું હતું કે રોહિતને એ જ રીતે રમવું જોઈએ જે રીતે તે 2023 ODI વર્લ્ડ કપમાં રમતા જોવા મળ્યો હતો.

સ્ટાર સ્પોર્ટ્સ પર બોલતા સુરેશ રૈનાએ કહ્યું, "જ્યારે રોહિત રન બનાવે છે, ત્યારે તે તેની કેપ્ટનશિપ પર પણ અસર કરે છે. કેપ્ટન તરીકે આ તેની છેલ્લી ICC ટ્રોફી હોઈ શકે છે અને જો તે જીતશે તો તે (વિરાટ કોહલી સાથે) ચાર ICC ટ્રોફી જીતનારા પ્રથમ ભારતીય ખેલાડી બની જશે.  તે પહેલાથી જ T20 વર્લ્ડ કપ જીતી ચૂક્યો છે અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી એક મોટી ઉપલબ્ધિ હશે. તે આમ કરવા માટે પ્રેરિત થશે, પરંતુ તેના માટે રન બનાવવા મહત્વપૂર્ણ રહેશે.

રોહિત શર્માની રમવાની શૈલી વિશે વધુ વાત કરતાં રૈનાએ કહ્યું, "મને લાગે છે કે રોહિતે આક્રમક રીતે રમવું જોઈએ. તમે જોયું કે તેણે ODI વર્લ્ડ કપમાં કેવી બેટિંગ કરી હતી. તે ફાઇનલમાં આક્રમક રમતો હતા. તેથી જ મને લાગે છે કે તેનો અભિગમ એવો જ રહેશે. પ્રશ્ન એ છે કે તેની સાથે કોણ ઓપનિંગ કરશે, શું તે શુભમન ગિલ હશે ? મને યાદ છે જ્યારે તેઓ સાથે રમે છે ત્યારે આક્રમક ઇરાદો જાળવી રાખે છે.

રોહિત શર્મા કેપ્ટન તરીકે ખૂબ જ સફળ સાબિત થયો હતો. આંકડા દર્શાવે છે કે ભારતીય T20 કેપ્ટન તરીકે રોહિત શર્માના આંકડા ખૂબ જ પ્રભાવશાળી રહ્યા છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે કુલ 62 T20 મેચ રમી હતી, જેમાંથી ભારતીય ટીમે રેકોર્ડ 49 મેચમાં જીત મેળવી હતી. જો કે, T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય T20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget