Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી બાદ શું રોહિત શર્મા નિવૃતિ લેશે? ગૌતમ ગંભીરે આપ્યો જવાબ
Champions Trophy 2025:ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હવે તેના અંતિમ તબક્કામાં છે. ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી ગઈ છે

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હવે તેના અંતિમ તબક્કામાં છે. ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં મોટો પ્રશ્ન એ છે કે 9 માર્ચે રમાનારી ફાઇનલ પછી ભારતીય કેપ્ટન રોહિત શર્માનો નિર્ણય શું હશે? શું તે નિવૃત્તિ લેશે કે 50 ઓવરના ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે? સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ મોટા પ્રશ્નનો જવાબ આપ્યો છે.
"I don't care about it": Gautam Gambhir's simple message to critics after India storms into CT final
— ANI Digital (@ani_digital) March 4, 2025
Read @ANI story | https://t.co/Sfs3f4lVPd #India #ChampionsTrophy pic.twitter.com/dCJNuE96on
ચેમ્પિયન્સ ટ્રોફી પછી રોહિતની નિવૃત્તિ અંગે અટકળો
વાસ્તવમાં ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા એવા અહેવાલો બહાર આવ્યા હતા કે BCCI હવે વન-ડે ફોર્મેટમાં રોહિત શર્માથી આગળ વિચારી રહ્યું છે. તે 2027ના વન-ડે વર્લ્ડ કપની તૈયારી માટે ટીમ માટે નવા કેપ્ટનની શોધમાં છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની યજમાની હેઠળ રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી રોહિતના વનડે કારકિર્દીની છેલ્લી ટુર્નામેન્ટ હશે. મતલબ કે આ પછી તે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે.
ગૌતમ ગંભીરને પૂછવામાં આવ્યું કે, રોહિતનો પ્લાન શું છે?
જોકે, જે રીતે રોહિતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. ટીમને ફાઇનલમાં પહોંચાડી છે. આ જોયા પછી ચાહકો ફરીથી વિચારવા મજબૂર થયા કે શું રોહિત ખરેખર વનડેમાંથી નિવૃત્તિ લેશે? દુબઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ગૌતમ ગંભીરની સામે ચાહકોનો આ જ વિચાર એક પ્રશ્નના રૂપમાં આવ્યો ત્યારે તેમણે તેનો જવાબ આપ્યો હતો. ગૌતમ ગંભીરને સીધો સવાલ કરાયો હતો કે ચેમ્પિયન્સ ટ્રોફી પછી રોહિત શર્માનો શું પ્લાન છે? તેનામાં હજુ કેટલું ક્રિકેટ બાકી છે?
ગૌતમ ગંભીરે કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ હજુ સામે છે. અત્યારે હું તેના વિશે શું કહું? પણ હું એક વાત કહીશ કે જો તમારો કેપ્ટન આ પ્રકારના ટેમ્પો પર બેટિંગ કરે છે તો તે ડ્રેસિંગ રૂમને સંદેશ આપે છે કે તેનામાં હજુ પણ ક્રિકેટ બાકી છે. ગંભીરે કહ્યું કે રોહિતે ભલે મોટી ઇનિંગ્સ ન રમી હોય પણ તેની ઇનિંગ્સ પ્રભાવશાળી હતી. અમે અમારા ખેલાડીઓનું મૂલ્યાંકન પણ આ જ આધારે કરીએ છીએ.
ગંભીરે વધુમાં કહ્યું કે એક નિષ્ણાત અને પત્રકાર તરીકે તમે રન અને સરેરાશ જુઓ છો પરંતુ અમે ફક્ત એ જોઈએ છીએ કે તે ખેલાડીએ મેચ પર શું અસર છોડી છે. જો તે સારુ છે તો કોઈ વાંધો નથી. આપણે જે પ્રકારનું ક્રિકેટ રમવા માંગીએ છીએ તેના માટે જો કેપ્ટન પહેલા સૌથી આગળ આવે છે તો તેનાથી સારું બીજું કંઈ હોઈ શકે નહીં. રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલમાં 29 બોલમાં 28 રન બનાવ્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે.




















