Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી
ભારતીય ક્રિકેટર રોહિત શર્મા પર કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદનું વિવાદાસ્પદ નિવેદન ચર્ચામાં છે.

ભારતીય ક્રિકેટર રોહિત શર્મા પર કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદનું વિવાદાસ્પદ નિવેદન ચર્ચામાં છે. રોહિત શર્માના બોડી શેમિંગ બાદ ભાજપે કોંગ્રેસની આકરી ટીકા કરી હતી. આવી સ્થિતિમાં શમા મોહમ્મદે પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું છે.
Dr. Shama Mohammed, National Spokesperson of the Indian National Congress, made certain remarks about a cricketing legend that do not reflect the party's position.
— Pawan Khera 🇮🇳 (@Pawankhera) March 3, 2025
She has been asked to delete the concerned social media posts from X and has been advised to exercise greater…
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું હતું કે પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે એક દિગ્ગજ ક્રિકેટર વિશે કેટલાક નિવેદનો આપ્યા હતા જે પાર્ટીના વલણ સાથે મેળ ખાતા નથી. તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તે ટ્વીટ ડિલીટ કરવાનું કહેવામાં આવ્યું છે અને ભવિષ્યમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. ખેડાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ખેલાડીઓના યોગદાનને ખૂબ મહત્વ આપે છે અને એવી કોઈપણ વાણી-વર્તનને સમર્થન આપતી નથી જે તેમની છબીને અસર કરી શકે.
#WATCH | On her comment on Indian Cricket team captain Rohit Sharma, Congress leader Shama Mohammed says, "It was a generic tweet about the fitness of a sportsperson. It was not body-shaming. I always believed a sportsperson should be fit, and I felt he was a bit overweight, so I… pic.twitter.com/OBiLk84Mjh
— ANI (@ANI) March 3, 2025
આ સમગ્ર મામલા પર સ્પષ્ટતા આપતાં શમા મોહમ્મદે કહ્યું કે તે ખેલાડીની ફિટનેસ અંગે એક સામાન્ય ટ્વિટ હતું. તે બોડી શેમિંગ નહોતું. મારું માનવું છે કે ખેલાડી ફિટ હોવો જોઈએ. મને લાગ્યું કે તેનું વજન થોડું વધારે છે. તો મેં તેના વિશે ટ્વિટ કર્યું. પરંતુ કોઈ પણ કારણ વગર તેને અતિશયોક્તિપૂર્ણ રીતે મહત્વ આપવામાં આવ્યું. જ્યારે હું રોહિત શર્માની તુલના અન્ય કેપ્ટનો સાથે કરીશ ત્યારે હું આ કહીશ. મને તે કહેવાનો અધિકાર છે. આ લોકશાહી છે.
#WATCH | Delhi: BJP leader Pradeep Bhandari says, "The Congress party is trying to send a message that every patriot, who does good for the country, will be opposed by the Congress. They have an issue that Rohit Sharma, and Indian winning Captain, has done good for the country… https://t.co/wkbHEfD5Pv pic.twitter.com/7Gdq4N5mCn
— ANI (@ANI) March 3, 2025
જોકે, ભાજપે આ મુદ્દા પર કોંગ્રેસને જોરદાર ઘેરી લીધી છે. આ મામલે ભાજપના નેતા પ્રદીપ ભંડારીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી એ સંદેશ આપવા માંગે છે કે કોંગ્રેસ દેશ માટે સારું કામ કરનારા દરેક દેશભક્તનો વિરોધ કરશે. તેમને એ વાતથી વાંધો છે કે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ દેશ માટે સારું પ્રદર્શન કર્યું છે અને ન્યૂઝીલેન્ડની ટીમને હરાવી છે. આનાથી કોંગ્રેસની દેશભક્તિ પર સવાલ ઉભા થાય છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ પાર્ટી એવા લોકોનો વિરોધ કરશે જેઓ ભારતને ટેકો આપે છે, દેશભક્ત છે અને દેશનું ભલું કરે છે. કોંગ્રેસ દેશ વિરુદ્ધ બોલનારાઓને ટેકો આપશે.
કોંગ્રેસના પ્રવક્તાએ શું કહ્યું?
વાસ્તવમાં, કોંગ્રેસના પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, "રોહિત એક ખેલાડી તરીકે જાડો છે. તેને વજન ઘટાડવાની જરૂર છે. અને હા ભારતનો અત્યાર સુધીનો સૌથી નિરાશાજનક કેપ્ટન."




















