શોધખોળ કરો

Cricket: વર્લ્ડકપ પહેલા બાગેશ્વર બાબાના શરણમાં પહોંચ્યો આ ભારતીય ક્રિકેટર, પગે લાગીને લીધા આશીર્વાદ, જુઓ....

ભારતીય ક્રિકેટર કુલદીપની તસવીરો બાગેશ્વર ધામ સરકાર નામના ટ્વીટર હેન્ડલથી શેર કરવામાં આવી હતી. આમાં યાદવ હાથ જોડીને બાબાના પગ પાસે બેઠેલા જોવા મળી રહ્યો છે.

Cricket News: ભારતીય ટીમ આગામી દિવસોમાં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જશે, આ પછી ટીમ ઇન્ડિયા પોતાના વનડે વર્લ્ડકપ 2023ના મિશનની શરૂઆત કરશે. જોકે, આ પહેલા ટીમ ઇન્ડિયાના ક્રિકેટરો એક્ટિવ થઇ ગયા છે, ટીમ ઈન્ડિયા આ મહિને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. જ્યાં તેને ટેસ્ટ, ટી20 અને વનડે સીરીઝ રમવાની છે. આ બધાની વચ્ચે ટીમમાં સ્ટાર બૉલર કુલદીપ યાદવની તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આ ટીમમાં કુલદીપ યાદવને જગ્યા મળી છે. હવે તે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર જતા પહેલા બાબા બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ સ્પિન બૉલરે ધીરેન્દ્ર શાસ્ત્રીના પગે લાગીને આશીર્વાદ લીધા હતા. 

ભારતીય ક્રિકેટર કુલદીપની તસવીરો બાગેશ્વર ધામ સરકાર નામના ટ્વીટર હેન્ડલથી શેર કરવામાં આવી હતી. આમાં યાદવ હાથ જોડીને બાબાના પગ પાસે બેઠેલા જોવા મળી રહ્યો છે. દિલ્હીના પટપરગંજ વિસ્તારમાં 6 અને 7 જુલાઈએ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કુલદીપ યાદવ પણ પહોંચ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, કુલદીપ યાદવને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 અને વનડે ટીમમાં જગ્યા આપવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી તે ભક્તિમાં તલ્લીન જોવા મળી રહ્યો છે. કુલદીપ ગયા મહિને વૃંદાવન પહોંચ્યો હતો, જ્યાં તેને બાંકે બિહારીની મુલાકાત લીધી હતી. કુલદીપ યાદવે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી વનડે મેચ 22 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. તે મેચમાં તેને 3 વિકેટો ઝડપી હતી. ત્યારપછી તેને ફરી ક્યારેય તક મળી નથી.

કુલદીપ યાદવે પોતાની કારકિર્દીમાં 8 ટેસ્ટ, 81 વનડે અને 28 ટી-20 મેચ રમી છે. આ દરમિયાન તેને અનુક્રમે 34, 134 અને 46 વિકેટો ઝડપી છે. કુલદીપે ટેસ્ટ મેચમાં 3 વાર જ્યારે વનડે અને ટી20માં 1 વખત 5 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. કુલદીપે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં કુલ 73 મેચ રમી છે. આ 73 મેચોમાં તેની કુલ 71 વિકેટ છે. આ દરમિયાન તેની ઇકોનૉમી માત્ર 28ની આસપાસ રહી છે.

 

-

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન
KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન
KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Embed widget