![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs NZ: ટીમ ઈન્ડિયા માટે આવતીકાલે કરો યા મરો મેચ, ન્યુઝીલેન્ડને હરાવવા માટે આ 3 ફેરફાર કરવા જરૂરી!
કીવી ટીમને હરાવવા માટે ટીમ ઈન્ડિયાએ પાછલી મેચની ભૂલોમાંથી બોધપાઠ લઈને નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવું પડશે.
![IND vs NZ: ટીમ ઈન્ડિયા માટે આવતીકાલે કરો યા મરો મેચ, ન્યુઝીલેન્ડને હરાવવા માટે આ 3 ફેરફાર કરવા જરૂરી! how can indian team can beat new zealand with these three formula know in details IND vs NZ: ટીમ ઈન્ડિયા માટે આવતીકાલે કરો યા મરો મેચ, ન્યુઝીલેન્ડને હરાવવા માટે આ 3 ફેરફાર કરવા જરૂરી!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/30/050fe8d2e0801d0dbf646f2b7ed236c6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India vs new zealand: T20 વર્લ્ડ કપની શરૂઆત ટીમ ઈન્ડિયા માટે સારી રહી ન હતી. પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે 10 વિકેટની હાર અને ગ્રુપમાં અન્ય ટીમોના સારા પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાનો આગળનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. હવે ભારતની આગામી મેચ આવતીકાલે ન્યુઝીલેન્ડ સામે છે. સેમિફાઇનલની રેસમાં રહેવા માટે ટીમે આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. કીવી ટીમને હરાવવા માટે ટીમ ઈન્ડિયાએ પાછલી મેચની ભૂલોમાંથી બોધપાઠ લઈને નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવું પડશે. આવો જાણીએ 3 ટ્રિક્સ જેના દ્વારા વિરાટ કોહલીની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવી શકે છે.
હાર્દિક પંડ્યાની જગ્યાએ ઈશાન કિશન - હાર્દિક પંડ્યાનું હાલનું ફોર્મ સારું નથી. તે ટીમમાં ઓલરાઉન્ડર તરીકે રમે છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી ઈજાના કારણે તે બોલિંગ કરી રહ્યો નથી. આવી સ્થિતિમાં, તેના સ્થાને રેગ્યુલર બેટ્સમેનને રમાડવાનું વધુ સારું હોઈ શકે છે. બેટિંગ માટે ટીમમાં ઈશાન કિશન શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તેનું વર્તમાન ફોર્મ સારું છે અને તે ઝડપી બેટિંગ કરે છે. ટી 20માં માત્ર ઝડપી સ્કોર જ મહત્વ ધરાવે છે.
મોહમ્મદ શમીના સ્થાને શાર્દુલ ઠાકુર - છેલ્લી મેચમાં લગભગ દરેક બોલરે નિરાશ કર્યા હતા. પરંતુ સૌથી વધુ નિરાશ ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીએ કર્યા હતા. ભુવનેશ્વરમાં બોલને બંને બાજુ સ્વિંગ કરવાની ક્ષમતા હોવાથી અને તે થોડી બેટિંગ પણ કરી શકે છે, તેથી તેના માટે પ્લેઈંગ ઈલેવનમાં હોવું મહત્વપૂર્ણ છે. જો કે ટીમ ઈન્ડિયાએ મોહમ્મદ શમીના બદલે શાર્દુલ ઠાકુરને તક આપવી જોઈએ. શાર્દુલના આગમન સાથે બેટિંગનો વિકલ્પ પણ ઉપલબ્ધ થશે. તે બેટિંગમાં પણ સતત સારો દેખાવ કરી રહ્યો છે.
વરુણ ચક્રવર્તીની જગ્યાએ આર. અશ્વિન સારો વિકલ્પ - છેલ્લી મેચમાં ટીમે મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને તક આપી હતી. તેણે બોલિંગથી ઘણો નિરાશ કર્યો. અશ્વિન જેવા અનુભવી સ્પિનરની જગ્યાએ વરુણને સામેલ કરવાના ટીમના નિર્ણયની ટીકા પણ થઈ હતી. આવી સ્થિતિમાં આ મેચમાં અશ્વિનને તક આપવાથી જીતનો દાવો વધુ મજબૂત થઈ શકે છે. ખરેખર, અશ્વિન પણ થોડી બેટિંગ કરે છે, આવી સ્થિતિમાં ટીમને તેનો ફાયદો મળી શકે છે. ટીમની બેટિંગની ઊંડાઈ મજબૂત હશે અને તેને રન ચેઝ કરવાની સ્થિતિમાં ફાયદો થઈ શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)