શોધખોળ કરો

Sri Lanka Cricket: વર્લ્ડ કપ વચ્ચે ICCએ શ્રીલંકાની સદસ્યતા રદ કરતા ખળભળાટ,જાણો હવે ટીમ પર શું થશે અસર

Sri Lanka Cricket Team: આઈસીસીએ શ્રીલંકા સરકારની દખલગીરીને કારણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડની સદસ્યતા રદ કરી દીધી છે. છેલ્લા ઘણા દિવસોથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડ અને શ્રીલંકન સરકાર વચ્ચે બરાબર ચાલી રહ્યું નહોતું.

Sri Lanka Cricket Team: આઈસીસીએ શ્રીલંકા સરકારની દખલગીરીને કારણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડની સદસ્યતા રદ કરી દીધી છે. છેલ્લા ઘણા દિવસોથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડ અને શ્રીલંકન સરકાર વચ્ચે બરાબર ચાલી રહ્યું નહોતું. શ્રીલંકાની સરકારે શ્રીલંકા ક્રિકેટની વર્તમાન ગવર્નિંગ બોડી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે અને ગયા ગુરુવારે શ્રીલંકાના ગૃહમાં વિપક્ષ અને વિપક્ષના નેતાઓએ સર્વાનુમતે શ્રીલંકા ક્રિકેટની વર્તમાન ગવર્નિંગ બોડીને બરતરફ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો.

 

શ્રીલંકન ક્રિકેટમાં શ્રીલંકા સરકારની આ દખલગીરી બાદ ICCએ શુક્રવારે એક બેઠક બોલાવી હતી, જેમાં શ્રીલંકન ક્રિકેટની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આઈસીસીને શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં સરકારનો આ નિર્ણય પસંદ ન આવ્યો અને તેથી શ્રીલંકા ક્રિકેટની સદસ્યતા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી. ICCએ એક સભ્ય તરીકે શ્રીલંકા પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.

ICC દ્વારા સસ્પેન્ડ થશે તો શું થશે?
જો ICC કોઈપણ દેશના ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરે છે, તો તે દેશ પ્રતિબંધ હટાવવામાં આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારની ICC ઈવેન્ટનો ભાગ બની શકશે નહીં. આનો અર્થ એ થયો કે જ્યાં સુધી શ્રીલંકાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે ત્યાં સુધી શ્રીલંકાની ક્રિકેટ ટીમ ICCની કોઈપણ ટૂર્નામેન્ટમાં રમી શકશે નહીં. શ્રીલંકાની ટીમ આઈસીસી વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરી શકી ન હતી અને આ ઘટનાઓ તેમના ક્રિકેટ ભવિષ્ય માટે ખતરો ઉભી કરી શકે છે.

ક્યા શું શું બન્યું?
આ મહિનાની શરૂઆતમાં, શ્રીલંકા સરકારના રમત મંત્રીએ શમ્મી સિલ્વાના નેતૃત્વમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડની ગવર્નિંગ કમિટિ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. આ કારણોસર રમતગમત મંત્રી રોશન રણસિંઘે સાત સભ્યોની એક સમિતિ બનાવી હતી, જેમાં શ્રીલંકાના કેટલાક ભૂતપૂર્વ ન્યાયાધીશો પણ સામેલ હતા. આ સમિતિની અધ્યક્ષતા ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાને સોંપવામાં આવી હતી, જેણે શ્રીલંકા માટે એકમાત્ર ODI વર્લ્ડ કપ જીત્યો હતો. આ સિવાય અર્જુન રણતુંગાને બોર્ડના વચગાળાના અધ્યક્ષ પણ જાહેર કરવામાં આવ્યા હતા.

આ ઘટના પછી શ્રીલંકા ક્રિકેટે પણ સરકાર વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ 9 નવેમ્બરના રોજ શ્રીલંકાના ગૃહમાં મુખ્ય વિરોધ પક્ષના નેતા સાજિથ પ્રેમદાસાએ 'ભ્રષ્ટ શ્રીલંકા ક્રિકેટ પ્રબંધનને હટાવવા' નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. લંકા ક્રિકેટ મેનેજમેન્ટ' આ પ્રસ્તાવને વિપક્ષી નેતાઓ તેમજ શાસક પક્ષના નેતાઓનું સમર્થન મળ્યું અને તમામની સંમતિથી શ્રીલંકા ક્રિકેટની વર્તમાન ગવર્નિંગ કમિટીને બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ તમામ ઘટનાઓ બાદ આજે 10મી નવેમ્બરે ICCએ એક મોટો નિર્ણય લીધો છે, અને શ્રીલંકા ક્રિકેટની સદસ્યતા રદ કરી દીધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?Hun To Bolish : હું તો બોલીશ : ડિલિવરી બોય ડોર સુધી જRajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
Embed widget