Ind vs Ban, 2nd Test: બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ રહ્યો ભારતના નામે, જાણો ટીમ ઈન્ડિયાને ટ્રાયલ માટે કેટલા રનની જરૂર
IND vs BAN, 2nd Test: બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટમાં ભારતીય બોલરોની ચુસ્ત બોલિંગના કારણે ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 227 રન કરી ઓલ આઉટ થઈ ગઈ હતી.
![Ind vs Ban, 2nd Test: બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ રહ્યો ભારતના નામે, જાણો ટીમ ઈન્ડિયાને ટ્રાયલ માટે કેટલા રનની જરૂર Ind vs Ban, 2nd Test: India trail by 208 runs against Bangladesh 1st Innings Sher-e-Bangla Stadium Ind vs Ban, 2nd Test: બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ રહ્યો ભારતના નામે, જાણો ટીમ ઈન્ડિયાને ટ્રાયલ માટે કેટલા રનની જરૂર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/22/1d3bfc276013fcfcd37f23740549cfb81671712882886397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs BAN, 2nd Test: બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટમાં ભારતીય બોલરોની ચુસ્ત બોલિંગના કારણે ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 227 રન કરી ઓલ આઉટ થઈ ગઈ હતી. જે બાદ દિવસના અંતે ટીમ ઈન્ડિયાએ વિના વિકેટે 19 રન બનાવી લીધા છે. શુભમન ગીલ 14 રન અને કેએલ રાહુલ 3 રન બનાવી નોટ આઉટ રહ્યા છે. ભારત હજુ બાંગ્લાદેશની 208 રન પાછળ છે. ભારત તરફથી અશ્વિન અને ઉમેદ યાદવે 4-4 વિકેટ લીધી હતી જ્યારે જયદેવ ઉનડકટે 2 વિકેટ લીધી હતી.
It’s Stumps on Day 1️⃣ of the second #BANvIND Test!#TeamIndia move to 19/0, trail by 208 runs.
— BCCI (@BCCI) December 22, 2022
Scorecard - https://t.co/XZOGpedIqj pic.twitter.com/dyeBicJ4Xh
અશ્વિન-ઉમેશ યાદવની શાનદાર બોલિંગ
બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે આ મેચમાં કુલદીપ યાદવને તક આપી નહોતી. કુલદીપની જગ્યાએ જયદેવ ઉનડકટને તક આપવામાં આવી છે. બાંગ્લાદેશની ટીમ 227 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. મોમીનુલ હકે સર્વાધીક 84 રન બનાવ્યા, ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિને 4 - 4 વિકેટ લીધી. ટીમ ઈન્ડિયામાં 12 વર્ષ કમબેક કરનારા ગુજરાતી ક્રિકેટર જયદેવ ઉનડકટને પણ 2 સફળતા મળી હતી.
બાંગ્લાદેશે કેમ પ્રથમ બેટિંગ લીધી
બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેનું કહેવું છે કે આ વિકેટ પર શરૂઆતના દિવસે બેટ્સમેનોને મદદ મળશે અને બાદમાં સ્પિનરોનો દબદબો રહેશે. બાંગ્લાદેશે આ ટેસ્ટ માટે પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. ટીમ ઈન્ડિયામાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે.
કુલદીપ યાદવ બહાર
ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન
કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત, આર અશ્વિન, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.
12 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં સામેલ થયો ઉનડકટ
કુલદીપની જગ્યાએ ડાબોડી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. જયદેવની આ વાપસી એટલા માટે પણ ખાસ છે કારણ કે તે 12 વર્ષ બાદ ટેસ્ટ રમશે.
પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનમાં રમ્યો હતો.
જયદેવ ઉનડકટની વાત કરીએ તો તેણે 2010માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે સમયે તેને માત્ર એક જ મેચ રમવાની તક મળી હતી. તેણે સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે તેની કારકિર્દીની એકમાત્ર ટેસ્ટ મેચ રમી હતી. હવે 12 વર્ષની લાંબી રાહ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ તેને તેનો પુરસ્કાર મળ્યો છે.
ઉનડકટે અનોખો રેકોર્ડ બનાવ્યો
12 વર્ષ બાદ વાપસી કરી રહેલા ઉનડકટે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે બે ટેસ્ટ મેચ રમવા વચ્ચેના લાંબા અંતરના સંદર્ભમાં બીજા નંબરે પહોંચી ગયો છે. તેની પ્રથમ અને આ ટેસ્ટ વચ્ચે 118 ટેસ્ટ મેચ રમાઈ હતી. આ યાદીમાં ઉનડકટ બીજા નંબરે છે.
- 142 ગેરેથ બેટી (2005-16)
- 118 જયદેવ ઉનડકટ (2010-22)*
- 114 માર્ટિન બિકનેલ (1993-03)
- 109 ફ્લોયડ રીફર (1999-09)
- 104 યુનુસ અહેમદ (1969-87)
- 103 ડેરેક શેકલટન (1951–63)
- 87 દિનેશ કાર્તિક (2010-18)
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)