શોધખોળ કરો

IND vs BAN, World Cup 2023: શું બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયા પ્લેઇંગ ઇલેવનમાં કરશે ફેરફાર ? જાણો કોને મળી શકે છે તક?

Team India Playing 11: વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાની આગામી મેચ બાંગ્લાદેશ સામે છે

Team India Playing 11: વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાની આગામી મેચ બાંગ્લાદેશ સામે છે. 19 ઓક્ટોબર (ગુરુવાર)ના રોજ બપોરે 2 વાગ્યે આ બંને ટીમો પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ટકરાશે. ભારતીય ટીમે અત્યાર સુધી આ વર્લ્ડ કપમાં પોતાની ત્રણેય મેચો એકતરફી રીતે જીતી છે. આવી સ્થિતિમાં અટકળો લગાવવામાં આવી રહી છે કે બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઈન્ડિયા તેના બે ઝડપી બોલર (બુમરાહ અને સિરાજ)માંથી કોઈ એકને આરામ આપી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શાર્દુલ ઠાકુરને પડતો મૂકવામાં આવી શકે છે. એટલે કે મોહમ્મદ શમીને પ્લેઇંગ-11માં તક મળી શકે છે. જો કે બાંગ્લાદેશ ટીમનું ફોર્મ જોતા ટીમ ઈન્ડિયામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તેવી શક્યતા ઓછી છે.

બાંગ્લાદેશ સાથેની છેલ્લી 5 વન-ડે મેચોમાં ટીમ ઈન્ડિયાને 3 હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા કોઈ પણ સંજોગોમાં બાંગ્લાદેશને નબળી ટીમ ગણશે નહીં. આ ટીમ સામે થોડી બેદરકારી પણ ટીમ ઈન્ડિયા માટે મોંઘી સાબિત થઈ શકે છે. તેથી, ભારતીય ટીમ મેનેજમેન્ટ આ મેચ માટે ફક્ત તેના શ્રેષ્ઠ પ્લેઇંગ-11ને જ મેદાનમાં ઉતારવા માંગશે.

છેલ્લી ત્રણ મેચમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં એક ફેરફાર થયો છે. પ્રથમ મેચમાં સ્પિન ફ્રેન્ડલી વિકેટના કારણે ટીમ ઈન્ડિયાએ ત્રણ સ્પિનરોને રમાડ્યા હતા જેમાં આર અશ્વિનનો સમાવેશ થાય છે. બીજી મેચમાં અશ્વિનના સ્થાને શાર્દુલને તક આપવામાં આવી હતી અને પછી ત્રીજી મેચમાં ઈશાન કિશનને પડતો મૂકવામાં આવ્યો હતો અને શુભમન ગિલને પ્લેઈંગ-11માં સામેલ કરાયો હતો.  જો કે ચોથી મેચમાં કોઈ ફેરફાર શક્ય નથી. એટલે કે ટીમ ઈન્ડિયા એ જ પ્લેઈંગ-11 સાથે મેદાનમાં ઉતરશે જે અમદાવાદમાં પાકિસ્તાન સામે હતી.

ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ ટીમનો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત નથી. તમામ ખેલાડીઓ સંપૂર્ણપણે ફિટ છે. એટલે કે કોઈપણ ખેલાડીના આઉટ થવાની કોઈ શક્યતા નથી. પુણેનું મેદાન ઝડપી બોલરો અને બેટ્સમેનોને વધુ મદદ કરશે આવી સ્થિતિમાં ભારતીય ટીમ પોતાના બે સ્પિનરોની ફોર્મ્યુલા સાથે મેદાનમાં ઉતરશે. તમામ ખેલાડીઓ પણ સારા ફોર્મમાં છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ સેમિફાઈનલમાં પ્રવેશ નિશ્વિત નહી થાય ત્યાં સુધી તેના કોઈપણ સ્ટાર ખેલાડીને આરામ આપવાનું પસંદ કરશે નહીં.

બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયા શાર્દુલ ઠાકુરના સ્થાને મોહમ્મદ શમીને તક આપી શકે છે. કારણ કે છેલ્લી મેચમાં શાર્દુલ ઠાકુરને માત્ર બે ઓવર ફેંકવાની તક મળી હતી.  

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકર/મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહીJunagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડJasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Embed widget