![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs BAN World Cup 2023: શું ભારત અને બાંગ્લાદેશ મેચ દરમિયાન વરસાદ બનશે વિલન? જાણો કેવું રહેશે પુણેમાં હવામાન ?
India vs Bangladesh Weather WC 2023: ભારત અને બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ કપ 2023માં આજે સામસામે ટકરાશે.
![IND vs BAN World Cup 2023: શું ભારત અને બાંગ્લાદેશ મેચ દરમિયાન વરસાદ બનશે વિલન? જાણો કેવું રહેશે પુણેમાં હવામાન ? IND vs BAN World Cup 2023: World Cup 2023, IND vs BAN Weather report IND vs BAN World Cup 2023: શું ભારત અને બાંગ્લાદેશ મેચ દરમિયાન વરસાદ બનશે વિલન? જાણો કેવું રહેશે પુણેમાં હવામાન ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/19/2f1acba1213a78e17ec932231c2bc8b0169769834954874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India vs Bangladesh Weather WC 2023: ભારત અને બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ કપ 2023માં આજે સામસામે ટકરાશે. આ બંને ટીમો પુણેમાં મેચ રમશે. પુણેમાં વર્લ્ડ કપ 2023ની આ પ્રથમ મેચ હશે. અહીં ભારતનો રેકોર્ડ સારો રહ્યો છે. વિરાટ કોહલીએ અહીં બે સદી ફટકારી છે. જો હવામાનની વાત કરીએ તો તે ક્રિકેટરોની સાથે ચાહકો માટે પણ સારું રહેશે. મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ પહેલા પુણેમાં હળવા વાદળો છવાયેલા રહેશે. હવામાન ખુશનુમા રહેશે. પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. આ સાથે મેચમાં વચ્ચે કોઈ વિક્ષેપ નહીં આવે. આકાશમાં વાદળોને કારણે ગરમી નહીં રહે. તેનાથી ખેલાડીઓને રમવામાં સરળતા રહેશે.
જો આપણે પુણેની પિચની વાત કરીએ તો તે બેટ્સમેનો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અહીં કુલ સ્કોર ઘણી વખત 300 રનને પાર કરી ગયો છે. રસપ્રદ વાત એ છે કે અહીં ભારતીય બેટ્સમેનોનો રેકોર્ડ સારો છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલે સદી ફટકારી છે. ટીમ ઈન્ડિયા રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખીને શાર્દુલ ઠાકુરને તક આપી શકે છે.
જો ભારતની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો શુભમન ગિલ રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. શ્રેયસ અય્યર અને કેએલ રાહુલને પણ સ્થાન મળી શકે છે. બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન આ મેચમાં રમી શકે છે. ટીમ લિટન દાસની સાથે તંજીદ તમીમને ઓપનિંગ કરવાની તક મળી શકે છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપ 2023ની 17મી મેચ પુણેમાં રમાશે. બાંગ્લાદેશની ટીમ લગભગ 25 વર્ષ બાદ ભારતમાં ભારત સામે વનડે મેચ રમશે. આ બંને ટીમો વચ્ચે છેલ્લી વનડે 1998માં મુંબઈમાં રમાઈ હતી. જો આ વર્લ્ડ કપની વાત કરીએ તો ભારતે પ્રથમ ત્રણ મેચ જીતી છે. જ્યારે બાંગ્લાદેશ 3 માંથી માત્ર એક મેચ જીતી શક્યું છે. તેના માટે આ મેચમાં પણ જીત મેળવવી ઘણી મુશ્કેલ બની શકે છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
બાંગ્લાદેશની સંભવિત પ્લેઇંગ ઇલેવન
લિટન દાસ, તંજીદ તમીમ, મેહદી હસન મિરાજ, નઝમુલ હુસૈન શાંતો, શાકિબ અલ હસન (કેપ્ટન), મુશફિકુર રહીમ (વિકેટકીપર), તૌહીદ હૃદોય, મહમુદુલ્લાહ, તસ્કીન અહમદ, મુસ્તફિઝુર રહેમાન, શોરફુલ ઈસ્લામ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)