શોધખોળ કરો
Advertisement
ચેન્નાઇની પીચ પર ધમાલ મચાવવા ભારતે કયા ગૂગલી સ્પિનરને ટીમમાં સમાવ્યો, કોને કરી દેવાયો બહાર, જાણો વિગતે
ગુજરાતી સ્પિનર અક્ષર પટેલ પ્રથમ ટેસ્ટ માટે પહેલા ફિટ હતો પરંતુ ગઇકાલે ઇજા થતાં તે ટીમમાંથી બહાર થઇ ગયો છે. ચેન્નાઇની પીચ ખાસ કરીને સ્પિનરોનો મદદ કરે છે, આ માટે ભારતે આર અશ્વિનની સાથે શાહવાજ નદીમને ઉતાર્યો છે
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ચાર ટેસ્ટ મેચોની સીરીઝ શરૂ થઇ છે, ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે પકડ જમાવવા ટીમમાં ગૂગલી સ્પિનર ગણાતા શાહવાજ નદીમને ટીમમાં સામેલ કર્યો છે. ખાસ વાત છે કે પ્રથમ ટેસ્ટ માટે ગુજરાતી ઓલરાઉન્ડર અને સ્પિનર અક્ષર પટેલને સ્થાન મળ્યુ હતુ પરંતુ ઇજાના કારણે અંત સમયે તેને બહાર કરીને શાહવાજ નદીમને ટીમમાં મોકો અપાયો છે.
ગુજરાતી સ્પિનર અક્ષર પટેલ પ્રથમ ટેસ્ટ માટે પહેલા ફિટ હતો પરંતુ ગઇકાલે ઇજા થતાં તે ટીમમાંથી બહાર થઇ ગયો છે. ચેન્નાઇની પીચ ખાસ કરીને સ્પિનરોનો મદદ કરે છે, આ માટે ભારતે આર અશ્વિનની સાથે શાહવાજ નદીમને ઉતાર્યો છે.
ફાઈલ તસવીર
અક્ષર પટેલની ઇજા અંગે બીસીસીઆઇએ કહ્યું કે, - અક્ષર પટેલને ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ પેટીએમ ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ઓલરાઉન્ડરે ગઇ કાલે ટીમ ઇન્ડિયાના વૈકલ્પિક મેડિકલ ટીમ તરફથી પોતાના ડાબા ધૂંટણમાં દુઃખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. હાલ મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે, અને પુરેપુરા રિપોર્ટની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે. તે શરૂઆતી મેચ માટે પસંદગી માટે અવેલેબલ નહીં થાય.
ભારતીય ટીમઃ
રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), વૉશિંગટન સુંદર, આર.અશ્વિન, શાહવાજ નદીમ, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ.
ઇંગ્લેન્ડ ટીમઃ
રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, જો રૂટ (કેપ્ટન), ડેનિયલ લૉરેન્સ, જૉસ બટલર (વિકેટકીપર), બેન સ્ટૉક્સ, ઓલી પોપ, ડૉમ બેસ, જેક લીય, જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion