શોધખોળ કરો

IND vs ENG 4th Test: ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીની કરિયર પર ખતરો, ઈંગ્લેન્ડ પ્રવાસ બની શકે છે અંતિમ સીરિઝ

IND vs ENG: પુજારા અને કોહલીએ લીડ્સમાં અડધી સદી ફટકારીને ફોર્મમાં ફરવાનો સંકેત આપ્યો છે પરંતુ રહાણેનું ખરાબ ફોર્મ અટકવાનું નામ જ નથી લઈ રહ્યું.

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમ 278 રનમાં ઓલઆઉટ થતાં ઈંગ્લેન્ડનો એક ઈનિંગ અને 76 રનથી વિજય થયો હતો. આ સાથે જ પાંચ મેચની સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. સીરિઝની ચોથી ટેસ્ટ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલમાં 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રમાશે.

ભારતીય ટીમનો મિડલ ઓર્ડર છેલ્લી કેટલીક સીરિઝથી સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને અજિંક્ય રહામે જેવા બેટ્સમેનો લાંબા સમયથી મોટી ઈનિંગ રમી શક્યા નથી. પુજારા અને કોહલીએ લીડ્સમાં અડધી સદી ફટકારીને ફોર્મમાં ફરવાનો સંકેત આપ્યો છે પરંતુ રહાણેનું ખરાબ ફોર્મ અટકવાનું નામ જ નથી લઈ રહ્યું.

રહાણે વિદેશી પિચો પર ભારતનો સૌથી ભરોસામંદ બેટ્સમેન છે. પરંતુ છેલ્લા થોડા સમયથી તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા. મેલબર્નમાં ઓસ્ટ્રેલિયા સામે સદી બાદ કરતાં તે એક પણ મોટી ઈનિંગ રમી શક્યો નથી. ઈંગ્લેન્ડ સામેની વર્તમાન સીરિઝની 6 ઈનિંગમાં માત્ર એક અડધી સદી ફટકારી શક્યો છે. લીડ્સ ટેસ્ટની બીજી ઈનિંગમાં તેની પાસેથી મોટી ઈનિંગની આશા હતી પણ માત્ર 10 રન જ બનાવી શક્યો હતો.

આ પ્રદર્શનને જોતાં તેના ટીમમાં રહેવાને લઈ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. ચોથી ટેસ્ટમાં તેને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. બેંચ પર સૂર્યકુમાર યાદવ, હનુમા વિહારી, પૃથ્વી શૉ જેવા બેટ્સમેનો બેઠા છે, જેઓ તેમને તક મળવાની રાહ જોઈ રહ્યા છે. રહાણે 33 વર્ષનો થઈ ગયો છે અને તે માત્ર ટેસ્ટ ફોર્મેટમાં જ રમે છે. ઈંગ્લેન્ડ પ્રવાસ તેના કરિયરની અંતિમ સીરિઝ પણ સાબિત થઈ શકે છે.

ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમના થયેલા કારમા પરાજય ચોથી મેચમાં ટીમ ઈન્ડિયામાં ત્રણથી ચાર બદલાવ થઈ શકે છે. ટીમ ઈન્ડિયામાંથી અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા અને ઈશાંત શર્માની બાદબાકી થઈ શકે છે. આ ઉપરાંત બેટિંગમાં નિષ્ફળ જઈ રહેલા વિકેટ કિપર બેટ્સમેન રિષભ પંતની પણ બાદબાકી થઈ શકે છે. તેમના સ્થાને સૂર્યકુમાર યાદવ કે પૃથ્વી શૉ, રવિચંદ્રન અશ્વીન, ઉમેશ યાદવ તથા રિદ્ધિમાન સાહાને કોહલી મોકો આપી શકે છે.

ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે પ્રથમ સત્રમાં જ શરણાગતિ

ભારતની બીજી ઈનિંગ 278 રન પર સમેટાઈ ગઈ હતી. ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે પ્રથમ સત્રમાં જ ભારતીય ટીમે શરણાગતિ સ્વીકારી લીધી હતી. ભારત તરફથી ચેતેશ્વર પુજારાએ સર્વાધિક 91 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે ઓલી રોબિન્સને સર્વાધિક 5 વિકેટ ઝડપી હતી.

મેચના પ્રથમ દિવસે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો લીધો હતો, જે ખોટો સાબિત થયો હતો. ભારતની પ્રથમ ઈનિંગ પ્રથમ દિવસે માત્ર 78 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જે બાદ ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં કેપ્ટન જો રૂટની સદીની મદદથી 432 રન બનાવીને 354 રનની લીડ લીધી હતી.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Stock Market Today: ભારત પાકિસ્તાના તણાવ વચ્ચે માર્કેટમાં પણ તણાવ, શેર બજાર ધડામ...સેંસેક્સમાં  600 અંકનો કડાકો
Stock Market Today: ભારત પાકિસ્તાના તણાવ વચ્ચે માર્કેટમાં પણ તણાવ, શેર બજાર ધડામ...સેંસેક્સમાં 600 અંકનો કડાકો
ઓપરેશન સિંદૂર વચ્ચે રોહિત શર્માની પત્ની રિતિકાએ ઈન્ડિયન આર્મી વિશે જે કહ્યું તે દરેક ભારતીયોએ વાંચવું જોઈએ
ઓપરેશન સિંદૂર વચ્ચે રોહિત શર્માની પત્ની રિતિકાએ ઈન્ડિયન આર્મી વિશે જે કહ્યું તે દરેક ભારતીયોએ વાંચવું જોઈએ
India Pakistan Attack :જમ્મુ,જેસલમેર, જાલંધર  પર PAKનો હુમલો, જાણો સીમાવર્તી શહેરોમાં શું છે સ્થિતિ
India Pakistan Attack :જમ્મુ,જેસલમેર, જાલંધર,પર PAKનો હુમલો, જાણો સીમાવર્તી શહેરોમાં શું છે સ્થિતિ
Operation Sindoor: રાફેલ ઉડાવનાર પ્રથમ કાશ્મીરી મુસ્લિમ પાયલોટ, જેની થઈ રહી છે દરેક જગ્યાએ ચર્ચા, શું તે ઓપરેશન સિંદૂરમાં સામેલ હતા?
Operation Sindoor: રાફેલ ઉડાવનાર પ્રથમ કાશ્મીરી મુસ્લિમ પાયલોટ, જેની થઈ રહી છે દરેક જગ્યાએ ચર્ચા, શું તે ઓપરેશન સિંદૂરમાં સામેલ હતા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

જો અમારા પર હુમલો થયો તો જડબાતોડ  જવાબ આપીશુંઃ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરનું મોટુ નિવેદનPunjab Gurdaspur blackout : આજથી પંજાબના ગુરદાસપુરમાં બ્લેકઆઉટનો આદેશMEA Press Conference: ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો: MEAIndia Strikes Pakistan : ભારતના ડ્રોન હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમ તબાહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Today: ભારત પાકિસ્તાના તણાવ વચ્ચે માર્કેટમાં પણ તણાવ, શેર બજાર ધડામ...સેંસેક્સમાં  600 અંકનો કડાકો
Stock Market Today: ભારત પાકિસ્તાના તણાવ વચ્ચે માર્કેટમાં પણ તણાવ, શેર બજાર ધડામ...સેંસેક્સમાં 600 અંકનો કડાકો
ઓપરેશન સિંદૂર વચ્ચે રોહિત શર્માની પત્ની રિતિકાએ ઈન્ડિયન આર્મી વિશે જે કહ્યું તે દરેક ભારતીયોએ વાંચવું જોઈએ
ઓપરેશન સિંદૂર વચ્ચે રોહિત શર્માની પત્ની રિતિકાએ ઈન્ડિયન આર્મી વિશે જે કહ્યું તે દરેક ભારતીયોએ વાંચવું જોઈએ
India Pakistan Attack :જમ્મુ,જેસલમેર, જાલંધર  પર PAKનો હુમલો, જાણો સીમાવર્તી શહેરોમાં શું છે સ્થિતિ
India Pakistan Attack :જમ્મુ,જેસલમેર, જાલંધર,પર PAKનો હુમલો, જાણો સીમાવર્તી શહેરોમાં શું છે સ્થિતિ
Operation Sindoor: રાફેલ ઉડાવનાર પ્રથમ કાશ્મીરી મુસ્લિમ પાયલોટ, જેની થઈ રહી છે દરેક જગ્યાએ ચર્ચા, શું તે ઓપરેશન સિંદૂરમાં સામેલ હતા?
Operation Sindoor: રાફેલ ઉડાવનાર પ્રથમ કાશ્મીરી મુસ્લિમ પાયલોટ, જેની થઈ રહી છે દરેક જગ્યાએ ચર્ચા, શું તે ઓપરેશન સિંદૂરમાં સામેલ હતા?
India Pakistan Attack : ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, 50થી વધુ ડ્રોન ધ્વંશ કર્યો
India Pakistan Attack : ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, 50થી વધુ ડ્રોન ધ્વંશ કર્યો
India Pakistan Attack News Live: યુદ્ધની સ્થિતિ વચ્ચે , યુપી બિહાર, રાજસ્થાન સુધી એલર્ટ, ચંદીગઢમાં વાગ્યું સાયરન
India Pakistan Attack News Live: યુદ્ધની સ્થિતિ વચ્ચે , યુપી બિહાર, રાજસ્થાન સુધી એલર્ટ, ચંદીગઢમાં વાગ્યું સાયરન
Operation Sindoor: ભારતથી ડર્યું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ,બીસ્તરા પોટલા બાંધીને PSL આ દેશમાં ખસેડી
Operation Sindoor: ભારતથી ડર્યું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ,બીસ્તરા પોટલા બાંધીને PSL આ દેશમાં ખસેડી
બલૂચ લેખક મીર યારે બલૂચિસ્તાનની સ્વતંત્રતાનો કર્યો દાવો, ભારત પાસે દિલ્હીમાં માંગી એમ્બેસી
બલૂચ લેખક મીર યારે બલૂચિસ્તાનની સ્વતંત્રતાનો કર્યો દાવો, ભારત પાસે દિલ્હીમાં માંગી એમ્બેસી
Embed widget