શોધખોળ કરો

IND vs ENG 4th Test: ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીની કરિયર પર ખતરો, ઈંગ્લેન્ડ પ્રવાસ બની શકે છે અંતિમ સીરિઝ

IND vs ENG: પુજારા અને કોહલીએ લીડ્સમાં અડધી સદી ફટકારીને ફોર્મમાં ફરવાનો સંકેત આપ્યો છે પરંતુ રહાણેનું ખરાબ ફોર્મ અટકવાનું નામ જ નથી લઈ રહ્યું.

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમ 278 રનમાં ઓલઆઉટ થતાં ઈંગ્લેન્ડનો એક ઈનિંગ અને 76 રનથી વિજય થયો હતો. આ સાથે જ પાંચ મેચની સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. સીરિઝની ચોથી ટેસ્ટ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલમાં 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રમાશે.

ભારતીય ટીમનો મિડલ ઓર્ડર છેલ્લી કેટલીક સીરિઝથી સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને અજિંક્ય રહામે જેવા બેટ્સમેનો લાંબા સમયથી મોટી ઈનિંગ રમી શક્યા નથી. પુજારા અને કોહલીએ લીડ્સમાં અડધી સદી ફટકારીને ફોર્મમાં ફરવાનો સંકેત આપ્યો છે પરંતુ રહાણેનું ખરાબ ફોર્મ અટકવાનું નામ જ નથી લઈ રહ્યું.

રહાણે વિદેશી પિચો પર ભારતનો સૌથી ભરોસામંદ બેટ્સમેન છે. પરંતુ છેલ્લા થોડા સમયથી તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા. મેલબર્નમાં ઓસ્ટ્રેલિયા સામે સદી બાદ કરતાં તે એક પણ મોટી ઈનિંગ રમી શક્યો નથી. ઈંગ્લેન્ડ સામેની વર્તમાન સીરિઝની 6 ઈનિંગમાં માત્ર એક અડધી સદી ફટકારી શક્યો છે. લીડ્સ ટેસ્ટની બીજી ઈનિંગમાં તેની પાસેથી મોટી ઈનિંગની આશા હતી પણ માત્ર 10 રન જ બનાવી શક્યો હતો.

આ પ્રદર્શનને જોતાં તેના ટીમમાં રહેવાને લઈ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. ચોથી ટેસ્ટમાં તેને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. બેંચ પર સૂર્યકુમાર યાદવ, હનુમા વિહારી, પૃથ્વી શૉ જેવા બેટ્સમેનો બેઠા છે, જેઓ તેમને તક મળવાની રાહ જોઈ રહ્યા છે. રહાણે 33 વર્ષનો થઈ ગયો છે અને તે માત્ર ટેસ્ટ ફોર્મેટમાં જ રમે છે. ઈંગ્લેન્ડ પ્રવાસ તેના કરિયરની અંતિમ સીરિઝ પણ સાબિત થઈ શકે છે.

ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમના થયેલા કારમા પરાજય ચોથી મેચમાં ટીમ ઈન્ડિયામાં ત્રણથી ચાર બદલાવ થઈ શકે છે. ટીમ ઈન્ડિયામાંથી અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા અને ઈશાંત શર્માની બાદબાકી થઈ શકે છે. આ ઉપરાંત બેટિંગમાં નિષ્ફળ જઈ રહેલા વિકેટ કિપર બેટ્સમેન રિષભ પંતની પણ બાદબાકી થઈ શકે છે. તેમના સ્થાને સૂર્યકુમાર યાદવ કે પૃથ્વી શૉ, રવિચંદ્રન અશ્વીન, ઉમેશ યાદવ તથા રિદ્ધિમાન સાહાને કોહલી મોકો આપી શકે છે.

ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે પ્રથમ સત્રમાં જ શરણાગતિ

ભારતની બીજી ઈનિંગ 278 રન પર સમેટાઈ ગઈ હતી. ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે પ્રથમ સત્રમાં જ ભારતીય ટીમે શરણાગતિ સ્વીકારી લીધી હતી. ભારત તરફથી ચેતેશ્વર પુજારાએ સર્વાધિક 91 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે ઓલી રોબિન્સને સર્વાધિક 5 વિકેટ ઝડપી હતી.

મેચના પ્રથમ દિવસે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો લીધો હતો, જે ખોટો સાબિત થયો હતો. ભારતની પ્રથમ ઈનિંગ પ્રથમ દિવસે માત્ર 78 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જે બાદ ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં કેપ્ટન જો રૂટની સદીની મદદથી 432 રન બનાવીને 354 રનની લીડ લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિરાટ કોહલી આ પોર્ન સ્ટાર સાથે જોવા મળ્યો? ખુદ પોર્ન સ્ટારે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર
વિરાટ કોહલી આ પોર્ન સ્ટાર સાથે જોવા મળ્યો? ખુદ પોર્ન સ્ટારે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર
BCCI ની નવી એડવાઈઝરી: હવે નિયમોનું ઉલ્લંઘન કર્યું તો ખેલાડીઓને દંડથી લઈને પ્રતિબંધ સુધીની સજા 
BCCI ની નવી એડવાઈઝરી: હવે નિયમોનું ઉલ્લંઘન કર્યું તો ખેલાડીઓને દંડથી લઈને પ્રતિબંધ સુધીની સજા 
ICC T20 Rankings: ક્યાં પહોંચી ગઇ આઇસીસી રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા ? ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન કયા નંબર પર, જાણો
ICC T20 Rankings: ક્યાં પહોંચી ગઇ આઇસીસી રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા ? ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન કયા નંબર પર, જાણો
Amanpreet Singh Gill Dies: માત્ર 36 વર્ષની ઉંમરમાં આ પૂર્વ ભારતીય ક્રિકેટરનું નિધન, ક્રિકેટ જગતમાં શોકની લહેર
Amanpreet Singh Gill Dies: માત્ર 36 વર્ષની ઉંમરમાં આ પૂર્વ ભારતીય ક્રિકેટરનું નિધન, ક્રિકેટ જગતમાં શોકની લહેર

વિડિઓઝ

PM Modi in Somnath Temple: PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કરી પૂજા-અર્ચના
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Gujarat Heat Wave: અંગ દઝાડતી ગરમીમાં તપવા રહેજો તૈયાર: રાજ્યમાં 4 દિવસ હિટવેવની આગાહી
PM Modi Road Show: સોમનાથમાં હકડેઠઠ જનમેદની વચ્ચે PM મોદીનો રોડ શૉ
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશનું જીવલેણ વળગણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
Embed widget