શોધખોળ કરો

IND vs NZ 3rd ODI Live: બીજી મેચ વરસાદને કારણે રદ, ન્યૂઝીલેન્ડે વનડે શ્રેણી 1-0થી જીતી

ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાનમાં વનડેમાં સર્વશ્રેષ્ઠ રેકોર્ડ ન્યુઝીલેન્ડના નામે છે. કિવી ટીમે અહીં અત્યાર સુધી 11 વનડે રમી છે જેમાં 10માં જીત મેળવી છે અને માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

LIVE

Key Events
IND vs NZ 3rd ODI Live: બીજી મેચ વરસાદને કારણે રદ, ન્યૂઝીલેન્ડે વનડે શ્રેણી 1-0થી જીતી

Background

IND vs NZ, 3જી ODI Live Updates: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ODI શ્રેણીની છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. આ પહેલા શ્રેણીની બીજી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. જ્યારે પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 7 વિકેટે હરાવ્યું હતું. આ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ હાલમાં 1-0થી આગળ છે. જો ભારતે આ શ્રેણી બચાવવી હશે તો કિવી ટીમને છેલ્લી વનડેમાં હાર આપવી પડશે.

ક્રાઇસ્ટચર્ચમાં કિવી ટીમનો રેકોર્ડ શાનદાર છે

ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાનમાં વનડેમાં સર્વશ્રેષ્ઠ રેકોર્ડ ન્યુઝીલેન્ડના નામે છે. કિવી ટીમે અહીં અત્યાર સુધી 11 વનડે રમી છે જેમાંથી તેણે 10માં જીત મેળવી છે અને માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ન્યૂઝીલેન્ડ છેલ્લે વર્ષ 2018માં આ મેદાન પર હારી ગયું હતું. ત્યારબાદ ઈંગ્લેન્ડે યજમાન ટીમને 7 વિકેટે હરાવ્યું હતું. વેસ હેગલી ઓવલ ખાતે તમામ 15 થી વધુ વનડે રમાઈ છે. આમાંથી ચાર મેચ એવી હતી કે જેમાં ન્યૂઝીલેન્ડની ટીમ સામેલ ન હતી. કિવી ટીમના આ મજબૂત રેકોર્ડને જોતા ભારત માટે આ મેચ જીતવી આસાન નહીં હોય.

તમને જણાવી દઈએ કે વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસનને વનડે સીરીઝની છેલ્લી અને ત્રીજી મેચમાં ફરી એકવાર બહાર કરવામાં આવી શકે છે. તેના સ્થાને દીપક હુડ્ડા ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકે છે. ટીમના કેપ્ટન એક વધારાના બોલર માટે આ ફેરફાર કરી શકે છે. જો કે, તમને જણાવી દઈએ કે સંજુ સેમસન હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ/શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ/કુલદીપ યાદવ.

ન્યુઝીલેન્ડ ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન

કેન વિલિયમસન (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, ડેરી મિશેલ, જીમી નીશમ, મિશેલ સેન્ટનર, ફિન એલન, ડ્વેન કોનવે, ટોમ લાથમ, ગ્લેન ફિલિપ્સ, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, એડમ મિલ્ને, ટિમ સાઉથી.

14:49 PM (IST)  •  30 Nov 2022

વરસાદના કારણે મેચ રદ્દ, ભારત સિરીઝ હારી ગયું

કેપ્ટન શિખર ધવનના નેતૃત્વમાં ન્યુઝીલેન્ડ પહોંચેલી ટીમ ઈન્ડિયાને વનડે સીરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રેણીની બીજી અને ત્રીજી વનડે વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી, આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ 0-1થી શ્રેણી જીતવામાં સફળ રહ્યું હતું. ત્રીજી વનડેમાં ભારતની બેટિંગ ફ્લોપ સાબિત થઈ અને ન્યુઝીલેન્ડ જીત તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. વરસાદ પડ્યા બાદ લગભગ એક કલાક સુધી રાહ જોઈ, પરંતુ વરસાદ બંધ ન થયો અને આખરે મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ડકવર્થ લુઈસ નિયમ લાગુ પડતો ન હતો કારણ કે તેમાં 20 ઓવર હોવી જરૂરી હતી, પરંતુ ન્યૂઝીલેન્ડની ઈનિંગમાં માત્ર 18 ઓવરની હતી.

13:29 PM (IST)  •  30 Nov 2022

વરસાદના કારણે મેચ રોકાઈ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ODI વરસાદને કારણે પ્રભાવિત થઈ છે. ન્યુઝીલેન્ડનો દાવ માત્ર 18 ઓવર પૂર્ણ થયો છે અને ટીમનો સ્કોર 104/1 છે. આ દરમિયાન વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી છે. ન્યુઝીલેન્ડને જીતવા માટે હજુ 116 રનની જરૂર છે.

13:28 PM (IST)  •  30 Nov 2022

ઉમરાન મલિકે પ્રથમ સફળતા અપાવી

ફાસ્ટ બોલર ઉમરાન મલિકે ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા અપાવી, ઉમરાને 57ના સ્કોર પર ફિન એલનને આઉટ કર્યો. ન્યૂઝીલેન્ડનો સ્કોર 97/1 થઈ ગયો છે અને હવે જીત વધુ દૂર નથી. જો ભારતે મેચમાં વાપસી કરવી હોય તો વારંવાર અંતરે વિકેટ લેવી પડશે.

12:29 PM (IST)  •  30 Nov 2022

ટીમ ઈન્ડિયાના હાથમાંથી સરકી રહી છે મેચ?

ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની હાલત હવે ખરાબ થઈ રહી છે. ન્યૂઝીલેન્ડે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 70 રનનો સ્કોર પાર કરી લીધો છે અને હવે લક્ષ્યાંક ઓછો થઈ રહ્યો છે. હવે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 150થી ઓછા રનની જરૂર છે.

11:59 AM (IST)  •  30 Nov 2022

ન્યુઝીલેન્ડને જીતવા માટે 200થી ઓછા રનની જરૂર

ન્યૂઝીલેન્ડ માટે ઓપનરોએ શાનદાર શરૂઆત કરી છે. ફિન એલન અને ડેવોન કોનવેએ પ્રથમ 6 ઓવરમાં 24 રન ઉમેર્યા છે અને ટીમ ઈન્ડિયા હજુ પણ વિકેટની શોધમાં છે. ન્યુઝીલેન્ડને જીતવા માટે 200થી ઓછા રનની જરૂર છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Embed widget