શોધખોળ કરો

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે જીત બાદ Virat Kohli એ ખેલાડીઓની કરી પ્રશંસા, રહાણેને લઈ કહી આ વાત

Virat Kohli Statement: કોહલીએ કહ્યું- ભારતમાં લોકો અપેક્ષા રાખે છે કે તમે 12 મહિનામાં રમો છો તે બધી મેચો જીતો. જો કે, માનવીય રીતે આમ કરવું શક્ય નથી

IND vs NZ: મુંબઈ ટેસ્ટમાં ભારતે ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવવાની સાથે સીરિઝ જીતી હતી. ભારતની રનના હિસાબે આ સૌથી મોટી જીત હતી.  જીત બાદ કોહલીએ દિલ ખોલીને ખેલાડીઓની પ્રશંસા કરી હતી.

વિરાટે ટીમ વિશે આ વાત કહી

ટીમ ઈન્ડિયાના પ્રદર્શન અંગે વિરાટે કહ્યું, "છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને T20 વર્લ્ડ કપની ફાઈનલ સિવાય અન્ય શ્રેણી અને ટૂર્નામેન્ટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. ભારતમાં લોકો અપેક્ષા રાખે છે કે તમે 12 મહિનામાં રમો છો તે બધી મેચો જીતો. જો કે, માનવીય રીતે આમ કરવું શક્ય નથી. તમે દરેક ટુર્નામેન્ટ જીતી શકતા નથી. આપણે જોવું પડશે કે શું ભારતીય ક્રિકેટ સતત ઉપર તરફ જઈ રહ્યું છે. અમે આ જ પ્રયાસ કરીએ છીએ અને આવનારી પેઢી પણ આ જ પ્રયાસ કરશે."

મયંક અને અક્ષરના વખાણ કર્યા

મયંક અગ્રવાલ અને અક્ષર પટેલની પ્રશંસા કરતા કોહલીએ કહ્યું, "મયંકે ખૂબ જ સારી ઈનિંગ્સ રમી અને સાબિત કર્યું કે તે અહીં લાંબા સમયથી છે. આવી ઈનિંગ્સ આગળ જતાં તેનો આત્મવિશ્વાસ વધારશે." વિરાટે અક્ષર પટેલના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરીને કહ્યું, "અક્ષર એક ઓલરાઉન્ડર છે અને તે ટીમમાં રહે છે, તો ટીમનું સંતુલન વધુ સારું રહે છે. જો તે તેની ફિટનેસ જાળવી રાખે તો તે લાંબા સમય સુધી રમી શકે છે."

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે જીત બાદ Virat Kohli એ ખેલાડીઓની કરી પ્રશંસા, રહાણેને લઈ કહી આ વાત

રહાણેને લઈ શું કહ્યું કોલીએ

મુંબઈ ટેસ્ટ જીત્યા બાદ વિરાટ કોહલીએ અજિંક્ય રહાણેનું સમર્થન કર્યું છે. રહાણેની ટીકા અંગે કોહલીએ કહ્યું, "અમે એવા લોકોમાંથી નથી કે જેઓ બે મહિના પહેલા કોઈના વખાણ કરતા હોય ત્યારે સારું કરે અને પછી અચાનક કહે કે તેને ટીમમાંથી બહાર કરી દો. અજિંક્ય રહાણેએ મહત્વની મેચોમાં પ્રદર્શન કર્યું છે અને તેમને સમર્થન આપવું જોઈએ. "

સતત ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા રહાણેને મુંબઈ ટેસ્ટ મેચમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. જોકે, બીસીસીઆઈએ કહ્યું કે તે ઈજા સાથે ઝઝૂમી રહ્યો છે. સવાલ એ છે કે શું રહાણેને સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં તક આપવામાં આવશે? ઘણા દિગ્ગજોએ કહ્યું છે કે રહાણેને આગામી શ્રેણીમાં તક નહીં મળે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટને અજિંક્યના સમર્થનમાં પોતાનું નિવેદન આપ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget