શોધખોળ કરો

IND vs SA 3rd T20I: સૂર્યકુમાર બાદ બર્થડે બોય કુલદીપનો કહેર, રોમાંચક મેચમાં ભારતની શાનદાર જીત

Team India Beat South Africa: જોહાનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી ટી-20 મેચમાં ભારતીય ટીમે 106 રનથી જોરદાર જીત નોંધાવી છે. કુલદીપ યાદવે શાનદાર બોલીંગનું પ્રદર્શન કર્યું હતું.

Team India Beat South Africa: જોહાનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી ટી-20 મેચમાં ભારતીય ટીમે 106 રનથી જોરદાર જીત નોંધાવી છે. કુલદીપ યાદવે શાનદાર બોલીંગનું પ્રદર્શન કર્યું હતું.

 

અહીં, ભારતે પ્રથમ બેટિંગ કરી અને 7 વિકેટ ગુમાવીને 201 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જવાબમાં પ્રોટીઝ ટીમ માત્ર 95 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. આ મેચ જીતીને ભારતીય ટીમે ત્રણ મેચની ટી-20 શ્રેણી પણ 1-1થી બરાબર કરી લીધી છે.

 

ત્રણ મેચની T20 શ્રેણીમાં 0-1થી પાછળ રહેલી ટીમ ઈન્ડિયા માટે આ કરો યા મરો મેચ હતી. શ્રેણીની આ છેલ્લી અને નિર્ણાયક મેચ જીતીને ભારતીય ટીમે શ્રેણી પણ 1-1થી બરાબર કરી લીધી છે. ભારતની જીતમાં સૂર્યકુમાર યાદવ અને કુલદીપ યાદવે મહત્વની ભૂમિકા ભજવી હતી. સૂર્યકુમાર યાદવે ઝડપી સદી ફટકારીને ભારતીય ટીમને 200નો આંકડો પાર કરાવ્યો હતો અને બાદમાં કુલદીપ યાદવે 5 વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાને 100નો આંકડો પાર થવા દીધો નહોતો.

સારી શરૂઆત અને પછી સતત બે આંચકા લાગ્યા
આ મેચમાં પ્રોટીઝના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતીય ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત કરી હતી અને પ્રથમ બે ઓવરમાં 29 રન બનાવ્યા હતા. આ સ્કોર પર શુભમન ગિલ (12)ને કેશવ મહારાજે પેવેલિયન મોકલી દીધો હતો. બીજા જ બોલ પર મહારાજે તિલક વર્મા (0)ને પણ આઉટ કર્યો. 2.3 ઓવરમાં 29 રનમાં બે વિકેટ પડી ગયા બાદ સૂર્યકુમાર યાદવ અને યશસ્વી જયસ્વાલે 69 બોલમાં 112 રનની શાનદાર ભાગીદારી કરીને ભારતીય દાવને ઉડાવી દીધો હતો. 14મી ઓવરમાં જ્યારે સ્કોર 141 રન પર પહોંચ્યો ત્યારે યશસ્વી આઉટ થઈ ગયો હતો. તેણે 41 બોલમાં 60 રન બનાવ્યા હતા.

કેપ્ટનની તોફાની ઇનિંગ્સ
યશસ્વી પેવેલિયન પરત ફર્યા બાદ સૂર્યાએ રિંકુ સિંહ સાથે મળીને દાવને આગળ ધપાવ્યો હતો. બંને વચ્ચે 27 બોલમાં 47 રનની ભાગીદારી થઈ હતી. અહીં રિંકુ સિંહ 10 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી તરત જ સૂર્યકુમાર યાદવે 55 બોલમાં પોતાની સદી પૂરી કરી અને તે પણ 56માં બોલ પર આઉટ થઈ ગયો. તેણે પોતાની ઇનિંગમાં 8 સિક્સર ફટકારી હતી. સૂર્ય છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો અને એ જ ઓવરમાં રવિન્દ્ર જાડેજા (4) અને જીતેશ શર્મા (4) પણ આઉટ થયા હતા. ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. અહીં દક્ષિણ આફ્રિકા તરફથી કેશવ મહારાજ અને લિઝાર્ડ વિલિયમ્સે 2-2 વિકેટ લીધી હતી. નાન્દ્રે બર્જર અને તબરેઝ શમ્સીએ એક-એક વિકેટ લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

CID Crime | CID ક્રાઇમના દરોડા બાદ આંગડિયા પેઢીઓમાં સન્નાટો, જુઓ અહેવાલSwaminarayan Gurukul | 'વિદ્યાર્થીને સાધૂ બનાવવા માગે છે સ્વામી', પિતાનો ગંભીર આરોપAhmedabad Police | અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે કેનાલમાં ઝંપલાવીને કરી લીધો આપઘાતSurat News | સુરતમાં તલાટી 40 હજારની લાંચ લેતા ઝડપાયો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Embed widget