શોધખોળ કરો

IND vs SL: સૂર્યકુમારને બીજી વન-ડેની પ્લેઇંગ ઇલેવનમાં પણ નહી મળે સ્થાન? આ ખેલાડી બની શકે છે કારણ

શ્રેયસની વાત કરીએ તો તેણે બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું.

Suryakumar Yadav India vs Sri Lanka 2nd ODI: ભારત અને શ્રીલંકા વચ્ચેની વન-ડે સીરિઝની બીજી મેચ ગુરુવારે કોલકાતામાં રમાશે. આ મેચ પહેલા ભારતે ગુવાહાટીમાં શાનદાર જીત નોંધાવી હતી. ટી-20 સીરિઝમાં જોરદાર પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપી નથી. તેના સ્થાને કેપ્ટન રોહિત શર્માએ શ્રેયસ ઐય્યરને તક આપી હતી. હવે સૂર્યકુમારને બીજી વનડેમાં પણ સ્થાન મળવાની શક્યતા ઓછી છે. ઐય્યરે વન-ડે ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે.

સૂર્યકુમાર યાદવે ટી-20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે છેલ્લી મેચમાં અણનમ સદી ફટકારી હતી. આમ છતાં સૂર્યકુમારને પ્રથમ વનડેની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું. તે બીજી વનડેની પ્લેઈંગ ઈલેવનમાંથી પણ બહાર થઈ શકે છે. વાસ્તવમાં શ્રેયસ ઐય્યરે વન-ડે ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે ફોર્મમાં પણ છે. આ કારણોસર સૂર્યાને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવું પડ્યું હતું. જોકે ઐય્યર પ્રથમ વનડેમાં 24 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. આ ઇનિંગમાં તેણે 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.

શ્રેયસની વાત કરીએ તો તેણે બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે મીરપુર વનડેમાં 82 રનની ઇનિંગ રમી હતી. આ પછી ચિત્તાગોંગ ટેસ્ટમાં 86 રન બનાવ્યા હતા. શ્રેયસે મીરપુર ટેસ્ટ મેચની એક ઇનિંગમાં 87 રન અને બીજી ઇનિંગમાં અણનમ 29 રન બનાવ્યા હતા. તેના ઓવરઓલ વન-ડે પ્રદર્શન પર નજર કરીએ તો તેણે 40 મેચમાં 1565 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 14 અડધી સદી ફટકારી છે. શક્ય છે કે શ્રેયસને બીજી વન-ડેની પ્લેઈંગ ઈલેવનમાં પણ સ્થાન મળે.

ભારતનો રેકોર્ડ છે દમદાર 
કોલકત્તામાં ભારતનો રેકોર્ડ ખુબ શાનદાર અને સારો રહ્યો છે. ટીમ ઇન્ડિયાએ ઇડન ગાર્ડન મેદાનમાં ઓવર ઓલ 21 વનડે મેચો રમી ચૂકી છે. આમાં ભારતીય ટીમને 12 મેચોમાં જીત હાંસલ થઇ છે, તો 10 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આમ તો ભારત કોલકત્તામાં કુલ 23 વાર વનડે મેચો રમવા ઉતર્યુ છે, પરંતુ વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચમાં એકપણ બૉલ ન હતો ફેંકાઇ શક્યો. ખરાબ હવામાન અને વરસાદના કારણે આ બે મેચો કેન્સલ થઇ થઇ હતી. 

શ્રીલંકા પર ભારે છે ટીમ ઇન્ડિયા
કોલકત્તામા ભારત અને શ્રીલંકાની વચ્ચે અત્યાર સુધી પાંચ વનડે મેચો રમાઇ છે. આ મેદાનમાં ટીમ ઇન્ડિયાનુ પલડુ લંકા સામે ભારે રહ્યું છે. આ પાંચ મેચોમાંથી ત્રણમાં ભારતીય ટીમે જીત મેળવી છે, જ્યારે એક મેચનુ પરિણામ ન હતુ આવી શક્યુ. શ્રીલંકા વિરુ્દ્ધ ઇડન ગાર્ડન પર છેલ્લે વર્ષ 1996 માં વનડે મેચ જીતી હતી. તે પછી કોલકત્તામાં જ્યારેય ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે મેચ રમાઇ છે, ત્યારે શ્રીલંકા ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ફેબ્રુઆરી, 2007માં રમાયેલી વનડેનું પરિણામ ન હતુ આવ્યુ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્યા-ગિલ ટીમની બહાર, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, BCCIએ જાહેર કરી 30 સંભવિત ખેલાડીઓની યાદી
સૂર્યા-ગિલ ટીમની બહાર, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, BCCIએ જાહેર કરી 30 સંભવિત ખેલાડીઓની યાદી
Watch: રાજસ્થાન રોયલ્સની હારથી ભાંગી પડ્યો વૈભવ સૂર્યવંશી, આંખમાંથી ધડધડ વહેવા લાગ્યા આંસુ, વિડિયો વાયરલ
Watch: રાજસ્થાન રોયલ્સની હારથી ભાંગી પડ્યો વૈભવ સૂર્યવંશી, આંખમાંથી ધડધડ વહેવા લાગ્યા આંસુ, વિડિયો વાયરલ
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી
સુનિલ ગાવસ્કરે પસંદગીકારો પાસે કરી મોટી માંગ, જાણો કઈ સિરીઝ માટે વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવા કહ્યું
સુનિલ ગાવસ્કરે પસંદગીકારો પાસે કરી મોટી માંગ, જાણો કઈ સિરીઝ માટે વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવા કહ્યું

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ દમ લાવશે દમ
Hun To Bolish | હું તો બોલીશ | સત્યમેવ જયતે
Hun To Bolish | હું તો બોલીશ | ક્રાઈમ કંટ્રોલ કે આઉટઓફ કંટ્રોલ ?
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
Embed widget