શોધખોળ કરો

IND vs WI, 2nd ODI: વેસ્ટ ઈન્ડિઝે શ્રેણી સરભર કરી, આ રહ્યા ભારતની હારના મુખ્ય ત્રણ કારણ

આ મેચમાં ભારતીય ટીમની હારનું સૌથી મોટું કારણ ટીમ સિલેક્શન માનવામાં આવે છે, જેમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરી જોવા મળી હતી.

India vs West Indies 2nd ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 3 મેચની વનડે સીરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત છેલ્લી 10 વનડેમાં ભારત સામે વિન્ડીઝ ટીમની આ પ્રથમ જીત છે. આ મેચ સાથે જ યજમાન ટીમને શ્રેણીમાં 1-1થી બરાબરી કરવાનો મોકો મળ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમની હારનું સૌથી મોટું કારણ ટીમ સિલેક્શન માનવામાં આવે છે, જેમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરી જોવા મળી હતી.

ભારતની હારના કારણો

  • રોહિત શર્મા, કોહલીને આરામઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી કરીને વર્લ્ડ કપ પહેલા કેટલાક વધુ ખેલાડીઓને પ્રયાસ કરવાની તક મળી શકે. ભારતીય ટીમનો આ નિર્ણય સંપૂર્ણપણે ખોટો સાબિત થયો જ્યારે આ મેચમાં આખી ટીમ માત્ર 181 રન પર સમેટાઈ ગઈ.
  • મિડલ ઓર્ડરનો કંગાળ દેખાવઃ ઈશાન કિશન અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 90 રનની ભાગીદારી કરીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. પ્રથમ વિકેટ પડવાની સાથે જ ટીમ ઈન્ડિયાએ ઝડપી ગતિએ વિકેટ ગુમાવવાનું શરૂ કર્યું હતું. અહીંથી ટીમની બેટિંગમાં અનુભવનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો. કોહલી અને રોહિતની હાજરીથી કદાચ આ સ્થિતિ દેખાઈ ન હોત. વિરાટ અને રોહિતની હાજરીથી ટીમના બેટિંગ ઓર્ડરને ચોક્કસપણે ફાયદો થયો હશે. વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ સીમિત ઓવરોમાં અત્યાર સુધીના બેટથી બંને ખેલાડીઓનો રેકોર્ડ શાનદાર છે.
  • બોલર્સનો કંગાળ દેખાવઃ પ્રથમ વન ડેમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 115 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી અને આ વખતે બોલર્સ પાસેથી પણ આવી આશા રાખવામાં આવી હતી. પરંતુ તેમ થયું નહોતું. શાર્દુલ ઠાકુરને 3 અને કુલદીપ યાદવને 1 વિકેટ મળી હતી. આ સિવાયના કોઈ બોલર વિકેટ લઈ શક્યા નહોતા. વેસ્ટ ઈન્ડીઝે 91 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી ત્યારે તેમનો ધબડકો થયા તેમ લાગતું હતું પરંતુ કેપ્ટન શાઈ હોપ અણનમ 63 રન અને કેસી કર્ટલીએ અણનમ 48 રન બનાવી ટીમને જીતાડી હતી.

વનડે સીરીઝની પ્રથમ મેચમાં જ્યારે ભારતીય ટીમ 115 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી, તે સમયે પણ ટીમે 5 વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં કોહલીને બેટિંગ કરવાની તક મળી ન હતી. આવી સ્થિતિમાં, બધાને આશા હતી કે તે બીજી વનડેમાં નંબર-3 પર રમતા જોવા મળશે, પરંતુ તેને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો ન હતો. બીજી વનડેમાં મિડલ ઓર્ડર સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો. આવી સ્થિતિમાં કોહલીનો અભાવ સ્પષ્ટપણે અનુભવાઈ રહ્યો હતો, જે આવી સ્થિતિમાં વિકેટો પડવા પર એક છેડો સંભાળીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Embed widget