શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં આ ખેલાડીને સામેલ ન કરવા પર ભડક્યો હરભજન સિંહ, ટ્વિટ કરીને કહી આ મોટી વાત

હરભજને ટ્વિટ કરીને લખ્યું, મને સમજમાં નથી આવતું કે ટીમ ઈન્ડિયામાં સિલેકશન માટે સૂર્યકુમાર યાદવે વધુ શું કરવાની જરૂર છે.

નવી દિલ્હીઃ બીસીસીઆઈ દ્વારા ગઈકાલે રાત્રે ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈ વન ડે, ટી-20 અને ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. રોહિત શર્માને ઇજાનું બહાનું બતાવી ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો. ટી-20માં હાલ દુબઈમાં રમાઇ રહેલી IPL 2020માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી શાનદાર દેખાવ કરનારા સૂર્યકુમાર યાદવને પણ સ્થાન ન  મળતાં અનેક લોકોને આશ્ચર્ય થયું હતું. સૂર્યકુમાર યાદવને ટી-20માં સ્થાન ન મળતાં હરભજન સિંહ ભડક્યો હતો અને તેણે ટ્વિટ કરી સિલેક્ટર્સને તેનો રેકોર્ડ ચેક કરવા જણાવ્યું હતું. ઉપરાંત  સિલેક્શન માટે અલગ લોકો માટે અલગ માપદંડ કેમ અપનાવવામાં આવે છે તેવો પ્રશ્ન પણ પૂછ્યો હતો. હરભજને ટ્વિટ કરીને લખ્યું, મને સમજમાં નથી આવતું કે ટીમ ઈન્ડિયામાં સિલેકશન માટે સૂર્યકુમાર યાદવે વધુ શું કરવાની જરૂર છે. તે દરેક આઈપીએલ અને રણજી સીઝનમાં શાનદાર દેખાવ કરી રહ્યો છે. મને લાગે છે અલગ લોકો માટે અલગ નિયમ અપનાવવામાં આવે છે. હું તમામ સિલેક્ટર્સને તેનો રેકોર્ડ જોવાની વિનંતી કરું છું.
સૂર્યકુમાર યાદવ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સારો દેખાવ કરી રહ્યો છે. તેણે ચાલુ સીઝનમાં 11 મેચમાં 283 રન બનાવ્યા છે અને તેની સરેરાશ પણ 31.44ની રહી છે. આ ઉપરાંત તે બે અડધી સદી પણ ફટકારી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જાહેર થયેલી ભારતની T-20 ટીમઃ વિરાટ કોહલી, શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર,મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેંદ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચહર, વરુણ ચક્રવર્તી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગતPM Modi In Silvassa : બહેનોને ભલે ઠપકો ખાવો પડે તોય કયું કામ કરવાનું મોદીએ લોકો માંગ્યું વચન?Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?PM Modi In Gujarat:PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ | Abp Asmita | 7-3-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Embed widget