શોધખોળ કરો

IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ

IND vs ZIM: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ T20 મેચ 6 જુલાઈએ રમાશે. ભારતીય સમય પ્રમાણે સાંજે 4.30 કલાકથી મેચનો પ્રારંભ થશે.

India Tour of Zimbabew 2024: T20 ક્રિકેટ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા (T20 World Cup winner Team India) પાંચ દિવસ બાદ ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની T20 સિરીઝ રમશે. જોકે, આ તે ટીમ નહીં હોય જેણે ટાઈટલ જીત્યું હોય. ખરેખર, ભારતની યુવા ટીમ ઝિમ્બાબ્વેના (India Tour of Zimbabwe 2024) પ્રવાસે જશે. ટીમ ઈન્ડિયાને ઝિમ્બાબ્વેમાં પાંચ મેચોની ટી-20 શ્રેણી રમવાની છે, જે 6 જુલાઈથી શરૂ થશે. ઝિમ્બાબ્વે પ્રવાસ પર શુભમન ગિલ (Shubhman Gill) ભારતીય કેપ્ટન હશે.

તમામ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ T20 મેચ 6 જુલાઈએ રમાશે. બીજી T20 મેચ 7મી જુલાઈએ, ત્રીજી T20 મેચ 10મી જુલાઈએ, ચોથી T20 મેચ 13મી જુલાઈએ અને પાંચમી અને અંતિમ T20 મેચ 14મી જુલાઈએ રમાશે. T20 શ્રેણીની તમામ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે સાંજે 4.30 કલાકથી મેચનો પ્રારંભ થશે.

પ્રસારણ અને સ્ટ્રીમિંગ વિગતો જાણો

ભારત વિ ઝિમ્બાબ્વે T20 શ્રેણી અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં પ્રસારિત થશે. ભારતીય ચાહકો સોની સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર લાઈવ મેચનો આનંદ માણી શકે છે. મેચોનું ટીવી પર સોની ટેન 3 (હિન્દી) અને સોની ટેન 4 (તમિલ/તેલુગુ) પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ 'સોની લિવ' એપ પર ઉપલબ્ધ હશે, જેના માટે તમારે સબસ્ક્રિપ્શન લેવું પડશે.

IPL 2024માં શાનદાર પ્રદર્શન કરનારા ઘણા ખેલાડીઓને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. તેમાં રાયન પરાગ, અભિષેક શર્મા, તુષાર દેશપાંડે, ખલીલ અહેમદ, ધ્રુવ જુરેલ, અવેશ ખાન, મુકેશ કુમાર અને રવિ બિશ્નોઈનો સમાવેશ થાય છે. BCCIએ ઝિમ્બાબ્વેમાં તદ્દન નવા ખેલાડીઓ મોકલવાની જાહેરાત કરી છે.

નીતીશ કુમાર રેડ્ડી ઈજાના કારણે બહાર

આઈપીએલ 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો હિસ્સો રહેલા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીનો પણ આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે હવે તે ઈજાના કારણે ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી બહાર છે. તેની જગ્યાએ શિવમ દુબેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે, રેડ્ડીને કઈ પ્રકારની ઈજા થઈ તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા - શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિવમ દુબે, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ. ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર અને તુષાર દેશપાંડે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
Embed widget