શોધખોળ કરો

IPL 2021, PBKS vs RR:પંજાબના મોઢામાંથી જીતનો કોળિયો છીનવી લેનારા આ બોલરે શું કહ્યું ?

PBKS vs RR પંજાબને જીતવા આખરે આખરી ઓવરમાં માત્ર ચાર જ રનની જરુર હતી અને તેમની આઠ વિકેટ સલામત હતી.

RR vs PBKS:  કાર્તિક ત્યાગીએ આખરી ઓવરમાં માત્ર ૧ રન આપીને બે વિકેટ ઝડપતાં રાજસ્થાન રોયલ્સે પંજાબ સામે આઈપીએલ ટી-૨૦માં બે રનથી રોમાંચક જીત હાંસલ કરી હતી. જીતવા માટેના ૧૮૬ના ટાર્ગેટ સામે પંજાબની ટીમ ચાર વિકેટે ૧૮૩ રન કર્યા હતા. પંજાબને જીતવા આખરે આખરી ઓવરમાં માત્ર ચાર જ રનની જરુર હતી અને તેમની આઠ વિકેટ સલામત હતી. આ તબક્કે રાજસ્થાનના કેપ્ટન સેમસને ત્યાગીને બોલ સોંપ્યો હતો. જેણે બાજી પલ્ટી નાંખી હતી.

કેવી રહી આખરી ઓવર

આખરી ઓવરમાં ડોટ બોલથી શરૃ કરનારા ત્યાગીએ બીજા બોલે એક રન આપ્યો હતો. જે પછી તેણે પૂરણને વિકેટની પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. હૂડા એક ડોટ બોલ બાદ વિકેટકિપર સેમસનના હાથે કેચઆઉટ થતાં પંજાબને જીતવા આખરી બોલ પર ત્રણ રનની જરુર હતી. નવો બેટ્સમેન એલન રન લઈ શક્યો નહતો અને રાજસ્થાન જીતી ગયું હતુ. પંજાબ તરફથી અગ્રવાલે ૬૭ અને રાહુલે ૪૯ રન કર્યા હતા. અગાઉ રાજસ્થાને જયસ્વાલના ૪૯ અને મહિપાલ લોમરોરના ૧૭ બોલમાં ૪૩ની મદદથી ૧૮૫ રન કર્યા હતા. પંજાબના અર્ષદીપે પાંચ વિકેટ ઝડપી હતી.

મેચ બાદ શું બોલ્યો કાર્તિક ત્યાગી

મેચ બાદ કાર્તિક ત્યાગીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ભારતમાં આઈપીએલના પ્રથમ તબક્કામાં હું ઘાયલ થયો હતો. જ્યારે હું ઠીક થયો ત્યારે આઈપીએલ સ્થગિત કરવામાં આવી હતી, જેનાથી હુ દુખી થયો હતો. હવે મને સારું લાગી રહ્યું છે. હું વર્ષોથી મારા સીનિયર ખેલાડીઓ સાથે વાત કરતો આવ્યો છું અને તેઓ મને શું કરવાનું છે તે જણાવતા આવ્યા છે. આ કારણે મારે મારા પર ભરોસો રાખવાની જરૂર છે.

અગાઉ યશસ્વી જયસ્વાલના ૪૯ અને મહિપાલ લોમરોરના ૧૭ બોલમાં ૪૩ની મદદથી રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબ સામેની આઇપીએલ મેચમાં ૧૮૫નો સ્કોર નોંધાવ્યો હતો. રાજસ્થાનના ટોપ ઓર્ડરે આક્રમક સ્ટ્રોક્સ ફટકાર્યા હતા. જોકે મેચના અંત ભાગમાં પંજાબના બોલરોએ કમાલ દેખાડયો હતો. અર્ષદીપે માત્ર ૩૨ રન આપતાં પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમીને ત્રણ વિકેટ મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget