શોધખોળ કરો

IPL 2021, PBKS vs RR:પંજાબના મોઢામાંથી જીતનો કોળિયો છીનવી લેનારા આ બોલરે શું કહ્યું ?

PBKS vs RR પંજાબને જીતવા આખરે આખરી ઓવરમાં માત્ર ચાર જ રનની જરુર હતી અને તેમની આઠ વિકેટ સલામત હતી.

RR vs PBKS:  કાર્તિક ત્યાગીએ આખરી ઓવરમાં માત્ર ૧ રન આપીને બે વિકેટ ઝડપતાં રાજસ્થાન રોયલ્સે પંજાબ સામે આઈપીએલ ટી-૨૦માં બે રનથી રોમાંચક જીત હાંસલ કરી હતી. જીતવા માટેના ૧૮૬ના ટાર્ગેટ સામે પંજાબની ટીમ ચાર વિકેટે ૧૮૩ રન કર્યા હતા. પંજાબને જીતવા આખરે આખરી ઓવરમાં માત્ર ચાર જ રનની જરુર હતી અને તેમની આઠ વિકેટ સલામત હતી. આ તબક્કે રાજસ્થાનના કેપ્ટન સેમસને ત્યાગીને બોલ સોંપ્યો હતો. જેણે બાજી પલ્ટી નાંખી હતી.

કેવી રહી આખરી ઓવર

આખરી ઓવરમાં ડોટ બોલથી શરૃ કરનારા ત્યાગીએ બીજા બોલે એક રન આપ્યો હતો. જે પછી તેણે પૂરણને વિકેટની પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. હૂડા એક ડોટ બોલ બાદ વિકેટકિપર સેમસનના હાથે કેચઆઉટ થતાં પંજાબને જીતવા આખરી બોલ પર ત્રણ રનની જરુર હતી. નવો બેટ્સમેન એલન રન લઈ શક્યો નહતો અને રાજસ્થાન જીતી ગયું હતુ. પંજાબ તરફથી અગ્રવાલે ૬૭ અને રાહુલે ૪૯ રન કર્યા હતા. અગાઉ રાજસ્થાને જયસ્વાલના ૪૯ અને મહિપાલ લોમરોરના ૧૭ બોલમાં ૪૩ની મદદથી ૧૮૫ રન કર્યા હતા. પંજાબના અર્ષદીપે પાંચ વિકેટ ઝડપી હતી.

મેચ બાદ શું બોલ્યો કાર્તિક ત્યાગી

મેચ બાદ કાર્તિક ત્યાગીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ભારતમાં આઈપીએલના પ્રથમ તબક્કામાં હું ઘાયલ થયો હતો. જ્યારે હું ઠીક થયો ત્યારે આઈપીએલ સ્થગિત કરવામાં આવી હતી, જેનાથી હુ દુખી થયો હતો. હવે મને સારું લાગી રહ્યું છે. હું વર્ષોથી મારા સીનિયર ખેલાડીઓ સાથે વાત કરતો આવ્યો છું અને તેઓ મને શું કરવાનું છે તે જણાવતા આવ્યા છે. આ કારણે મારે મારા પર ભરોસો રાખવાની જરૂર છે.

અગાઉ યશસ્વી જયસ્વાલના ૪૯ અને મહિપાલ લોમરોરના ૧૭ બોલમાં ૪૩ની મદદથી રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબ સામેની આઇપીએલ મેચમાં ૧૮૫નો સ્કોર નોંધાવ્યો હતો. રાજસ્થાનના ટોપ ઓર્ડરે આક્રમક સ્ટ્રોક્સ ફટકાર્યા હતા. જોકે મેચના અંત ભાગમાં પંજાબના બોલરોએ કમાલ દેખાડયો હતો. અર્ષદીપે માત્ર ૩૨ રન આપતાં પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમીને ત્રણ વિકેટ મળી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget