શોધખોળ કરો

IPL 2023 Mini Auction: શું ચેન્નાઈ સાથે રવિન્દ્ર જાડેજાના સંબંધોનો અંત આવશે? CSK લેવા જઈ રહી છે આ મોટું પગલું

આગામી 5 કે 6 દિવસમાં CSKમાં રવિન્દ્ર જાડેજાના ચાલુ રાખવા અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે CSK ટીમ મેનેજમેન્ટ એક સપ્તાહની અંદર રવિન્દ્ર જાડેજાનો સંપર્ક કરશે.

IPL 2023 Mini Auction: ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની હરાજીની તારીખ જાહેર થયા બાદ ફરી એક સવાલ ઊભો થયો છે કે શું ચેન્નાઈ સુપર કિંગ્સ અને રવિન્દ્ર જાડેજા વચ્ચેનો સંબંધ અકબંધ રહેશે? CSK તરફથી સતત એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રવિન્દ્ર જાડેજા તેની ટીમ સાથે રહેશે. પરંતુ અહેવાલો દ્વારા એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે રવિન્દ્ર જાડેજાએ CSKથી અલગ થવાનો નિર્ણય લીધો છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર હરાજી પહેલા CSK દ્વારા જાડેજાને રોકવાનો છેલ્લો પ્રયાસ કરવામાં આવશે.

ઈનસાઈડ સ્પોર્ટ્સના રિપોર્ટ અનુસાર, આગામી 5 કે 6 દિવસમાં CSKમાં રવિન્દ્ર જાડેજાના ચાલુ રાખવા અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે CSK ટીમ મેનેજમેન્ટ એક સપ્તાહની અંદર રવિન્દ્ર જાડેજાનો સંપર્ક કરશે. જો જાડેજાનો સંપર્ક થઈ શકતો નથી, તો CSK મીની હરાજી પહેલા તેને મુક્ત કરશે.

CSK ટીમ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, “દરેક વ્યક્તિ જાણે છે કે CSK અને રવિન્દ્ર જાડેજા વચ્ચે બધુ બરાબર નથી. છેલ્લા ઘણા મહિનાઓથી, રવિન્દ્ર જાડેજા CSK મેનેજમેન્ટના ફોન કૉલ્સ અને સંદેશાઓનો જવાબ આપી રહ્યા નથી. પરંતુ હજુ સુધી જાડેજાનો CAK સાથે કાનૂની કરાર છે. જેથી જાડેજા સાથે સંપર્ક સાધવાનો છેલ્લો પ્રયાસ કરવામાં આવશે. જો જાડેજા જવાબ નહીં આપે તો CSK તેની મુક્તિ અંગે BCCIને જાણ કરશે.

આ કારણે સંબંધો બગડ્યા

બીસીસીઆઈએ આઈપીએલની તમામ 10 ટીમોને 15 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે કે તેઓ જાહેર કરાયેલા અને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરે. આ સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે 16 ડિસેમ્બરે બેંગ્લોરમાં મિની ઓક્શન યોજાવાની છે. BCCIએ પણ ટીમોને ખેલાડીઓની ખરીદી માટે આ વખતે 90 કરોડને બદલે 95 કરોડ રૂપિયાનું બજેટ રાખવાની મંજૂરી આપી છે. પરંતુ રિટેન કરાયેલા ખેલાડીઓની ફી પણ આ બજેટમાંથી કાપવામાં આવશે.

જો CSK ટીમ રવિન્દ્ર જાડેજાને રિલીઝ કરે છે, તો નવા ખેલાડીઓની ખરીદી માટે તેનું બજેટ 19.45 કરોડ રૂપિયા હશે. આટલા પૈસાથી CSK ટીમ બે કે ત્રણ સારા ખેલાડીઓ પર દાવ લગાવી શકે છે.

તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા અને CSK વચ્ચેના ખરાબ સંબંધો આ વર્ષથી શરૂ થયા હતા. IPLની 15મી સિઝન માટે જાડેજાને અચાનક ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ખરાબ પ્રદર્શનને કારણે મધ્ય સિઝનમાં જ જાડેજાને કેપ્ટનશિપ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. ટીમ મેનેજમેન્ટના નિર્ણયથી જાડેજા દુખી છે અને તેના કારણે તે હવે નવી ટીમ સાથે જોડાવા માંગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: બન્ને દીકરાઓને કારણે મુશ્કેલીમાં મુકાયા સરફરાઝ ખાનના પિતા, જાણો સમસ્યાનો કેવી રીતે શોધ્યો ઉકેલ
IPL 2026: બન્ને દીકરાઓને કારણે મુશ્કેલીમાં મુકાયા સરફરાઝ ખાનના પિતા, જાણો સમસ્યાનો કેવી રીતે શોધ્યો ઉકેલ
એક IPL મેચનું આયોજન કરવામાં કેટલો થાય છે ખર્ચ? આંકડો જાણીને હોંશ ઉડી જશે
એક IPL મેચનું આયોજન કરવામાં કેટલો થાય છે ખર્ચ? આંકડો જાણીને હોંશ ઉડી જશે
CSK vs PBKS: આજે પંજાબ અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને કેવું રહેશે હવામાન
CSK vs PBKS: આજે પંજાબ અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને કેવું રહેશે હવામાન
શું IPLમાં નવી ટીમની થશે એન્ટ્રી? BCCIના વરિષ્ઠ અધિકારીના નિવેદનથી ચર્ચા તેજ
શું IPLમાં નવી ટીમની થશે એન્ટ્રી? BCCIના વરિષ્ઠ અધિકારીના નિવેદનથી ચર્ચા તેજ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું F-35 ફાઈટર જેટ, પાયલટને શોધવા ઈરાનમાં ઘુસી US વાયુસેના
ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું F-35 ફાઈટર જેટ, પાયલટને શોધવા ઈરાનમાં ઘુસી US વાયુસેના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Post Office માં ₹8000 મહિને જમા કરો તો મેચ્યોરિટી પર ₹5,70,926 ફંડ તૈયાર થશે, જાણો સ્કીમ અને કેલક્યુલેશન 
Post Office માં ₹8000 મહિને જમા કરો તો મેચ્યોરિટી પર ₹5,70,926 ફંડ તૈયાર થશે, જાણો સ્કીમ અને કેલક્યુલેશન 
Embed widget