શોધખોળ કરો
Advertisement
IPL રમતા પહેલા ખેલાડીઓને દુબઇમાં કેટલા દિવસ સુધી રહેવુ પડશે ક્વૉરન્ટાઇનમાં, જાણો નિયમો વિશે
મીટિંગ બાદ ટીમો તરફથી જાહેર કરાયેલા નિવેદનમા કહેવામાં આવ્યુ કે, અમે ખેલાડીઓની હેલ્થની સાથે કોઇ ખતરો ઉઠાવવા માંગતા નથી. બધા ખેલાડીઓ અને સ્ટાફ દુબઇ પહોંચતા જ 6 દિવસ સુધી ક્વૉરન્ટાઇનમાં રહેશે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનનુ આયોજન દુબઇમાં થઇ રહ્યુ છે, હાલ કોરોનાની સ્થિતિની ધ્યાનમાં રાખીને આઇપીએલ માટે બીસીસીઇઆઇએ નવા નિયમો બનાવ્યા છે. આ નિયમો પર બધી ટીમોની સહમતી પણ સધાઇ ગઇ છે.
બીસીસીઆઇની ટીમ માલિકો સાથે થયેલી મીટિંગ બાદ નક્કી થઇ ગયુ છે કે, દુબઇમાં તમામ ટીમોના ખેલાડીઓને 6 દિવસ સુધી ક્વૉરન્ટાઇન રહેવુ પડશે. ખેલાડીઓની પ્રેક્ટિસ માટે આઇપીએલની તમામ ટીમો પોતાના ખેલાડીઓની સાથે 20 ઓગસ્ટે જ દુબઇ જઇ રહી છે.
મીટિંગ બાદ ટીમો તરફથી જાહેર કરાયેલા નિવેદનમા કહેવામાં આવ્યુ કે, અમે ખેલાડીઓની હેલ્થની સાથે કોઇ ખતરો ઉઠાવવા માંગતા નથી. બધા ખેલાડીઓ અને સ્ટાફ દુબઇ પહોંચતા જ 6 દિવસ સુધી ક્વૉરન્ટાઇનમાં રહેશે.
દુબઇ સરકારના નિયમ અંતર્ગત દેશમાં પહોંચનારા કોઇપણ વ્યક્તિને 96 કલાક પહેલા કોરોના ટેસ્ટ થવો જરૂરી છે. એટલુ જ નહીં દુબઇ પહોંચ્યા પછી પણ તે વ્યક્તિનો બીજો એક કોરોના ટેસ્ટ કરાવવામાં આવે છે. જોકે, દુબઇની સરકાર માત્ર પૉઝિટીવ આવનારા ખેલાડીઓને જ 14 દિવસ સુધી ક્વૉરન્ટાઇન કરે છે. દુબઇમાં કૉવિડ-19ના કારણે તે દરેકની પાસે Alhosn એપ હોવી જરૂરી છે.
આ ઉપરાંત બીસીસીઆઇએ તમામ ખેલાડીઓને એસઓપી જાહેર કરી દીધી છે. એસઓપીમાં ટીમોના બાયૉ સિક્યૉર પ્રૉટોકૉલ વિશે જાણકારી આપવામાં આવી છે ટીમના માલિકોએ બીસીસીઆઇના પોતાની સાથે માત્ર 24 ખેલાડીઓને જ રાખવાના ફેંસલા પર સહમતી દર્શાવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement