શોધખોળ કરો

On This Day in Cricket: ધોનીએ આજના જ દિવસે ફટકાર્યો હતો ઐતિહાસિક છગ્ગો, ભારતને 28 વર્ષ બાદ અપાવ્યો હતો વનડે ક્રિકેટનો બીજો વર્લ્ડકપ

ખાસ વાત છે કે, ધોનીને ભારતીય ક્રિકેટ ઇતિહાસના સફળ કેપ્ટનોમાં ગણવામાં આવે છે, તેની આગેવાનીમાં ભારતીય ટીમ ત્રણ આઇસીસી ટ્રૉફીઓ પોતાના નામે કરી છે. 

On This Day in Cricket: આજના જ દિવસે, 2 એપ્રિલ, 2011ના દિવસે ધોનીએ ઐતિહાસિક છગ્ગો ફટકાર્યો હતો, આજના જ દિવસે ભારતે 28 વર્ષ પછી તેની બીજી ICC વર્લ્ડકપ ટ્રોફી જીતી હતી. આજનો દિવસ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં લખાઇ ગયો છે, કેમ કે પ્રદર્શન કરવાનું દબાણ અનુભવ, ભારતના તત્કાલિન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ બેટિંગ ક્રમમાં પોતાની જાતને આગળ વધારી અને સ્ટાર ઓપનર ગૌતમ ગંભીર સાથે મજબૂત ભાગીદારી કરી, જેમાં ધોનીએ અણનમ 91 રન અને ગંભીરે 97 રનની નિર્ણાયક ઇનિંગ રમી હતી. અણનમ ઇનિંગ્સ ભારતને જીત તરફ લઈ ગઈ. ભારતે 275 રનનો ટાર્ગેટ ચાર વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. આ પહેલા શ્રીલંકાએ મહેલા જયવર્દનેના 103 રનની મદદથી 274 રનનો પડકારજનક સ્કૉર ભારતને જીતવા માટે આપ્યો હતો.

ખાસ વાત છે કે, ધોનીને ભારતીય ક્રિકેટ ઇતિહાસના સફળ કેપ્ટનોમાં ગણવામાં આવે છે, તેની આગેવાનીમાં ભારતીય ટીમ ત્રણ આઇસીસી ટ્રૉફીઓ પોતાના નામે કરી છે. 

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 2011ના વર્લ્ડ કપની ફાઇનલમાં શ્રીલંકાને ભારત સામે ભારે નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે શ્રીલંકાની ટીમ સતત બીજી વખત વર્લ્ડકપની ફાઈનલ રમી રહી હતી. આ મેચમાં મહેલા જયવર્દનેએ અણનમ 103 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ 274 રન બનાવ્યા હતા. આ પહેલા કોઈ ટીમ પોતાના હૉમ ગ્રાઉન્ડમાં વર્લ્ડકપ જીતી શકી નથી. લક્ષ્યાંકનો પીછો કરતા માત્ર બે ટીમો જ ફાઈનલ જીતવામાં સફળ રહી હતી. ઉપરાંત, જે ટીમના બેટ્સમેને ફાઇનલમાં સદી ફટકારી હતી તે ક્યારેય હાર્યો ન હતો. આમ છતાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો.

સેહવાગ શૂન્ય રન પર થઇ ગયો હતો આઉટ - 
ભારતની બેટિંગ સારી હતી. 275 રનનો ટાર્ગેટ તેના માટે મોટો ન હતો, પરંતુ ભારતીય ઇનિંગ્સની શરૂઆતમાં સેહવાગ (0)ના આઉટ થવાને કારણે ટીમ ઈન્ડિયા થોડી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. કુલ 31ના સ્કોર પર સચિન તેંડુલકર 18 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી જ ગૌતમ ગંભીર (97 રન) અને વિરાટ કોહલી (35 રન)એ ટીમ ઈન્ડિયાની જીતનો પાયો નાખ્યો હતો. ધોનીએ કોઈ કસર છોડી ન હતી અને 91 રનની ધમાકેદાર ઈનિંગ રમીને પૂરી કરી હતી. ભારતને વર્લ્ડ કપની ટ્રોફી અપાવી.

આ ધોનીની યાદગાર ઇનિંગ હતી 
ફાઈનલ મેચમાં ધોની પાંચમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. પહેલા યુવરાજ સિંહ આ ઓર્ડર પર બેટિંગ કરવા આવતો હતો. કેટલાક લોકો કહે છે કે ધોની પોતે ઉપર આવ્યો હતો કારણ કે તે સમયે મુરલીધરન રંગમાં હતો અને યુવરાજ સિંહ માટે તેને રમવું મુશ્કેલ હતું. બીજી તરફ સેહવાગે એક વખત કહ્યું હતું કે સચિને ધોનીને ઉપર જવાની સલાહ આપી હતી. ધોની ઉપર આવ્યો અને પછી મેદાનમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો. આ પહેલા ધોની આખી ટૂર્નામેન્ટમાં ચાલી શક્યો ન હતો, પરંતુ વર્લ્ડકપ ફાઇનલમાં તેણે 91 રનની અણનમ ઇનિંગ રમીને ભારતને કપ જીતાડ્યો હતો. આ ટૂર્નામેન્ટ ધોનીની શાનદાર કેપ્ટનશિપ માટે પણ જાણીતી છે. ભારતને જીતવા માટે 11 બોલમાં 4 રનની જરૂર હતી, ત્યારે ધોનીએ સિક્સ ફટકારીને ભારતને કપ અપાવ્યો હતો. વાનખેડે મેદાન પર ધોનીએ વિનિંગ શોટ મારતાની સાથે જ આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. દેશમાં વૃદ્ધથી લઇને બાળકો સહિત તમામ ક્રિકેટ રસિયાઓ જીતના રંગમાં રંગાઇ ગયા હતા.

સચીન તેંદુલકરનુ સપનુ થયુ હતુ પુરુ -
સચીન તેંદુલકરનો વિશ્વ વિજેતા બનવાનુ સપનુ પુરુ થઇ ચૂક્યુ હતુ, ટીમે માસ્ટર બ્લાસ્ટરને ખભે બેસાડીને સ્ટેડિયમનું ચક્કર લગાવ્યુ અને જશ્ન મનાવ્યો હતો. મેચ ​​જીત્યા બાદ સચીનને વિરાટ કોહલી અને યુસુફ પઠાણે તેના ખભા પર બેસાડ્યો હતો. સચિન તેંડુલકરે ભારતના ધ્વજ માટે ખુશી વ્યક્ત કરી હતી. સચીન તેના છઠ્ઠા વિશ્વ કપમાં રમતી વખતે વિશ્વ ખિતાબ જીતનાર ટીમનો સભ્ય બન્યો હતો. આ ઐતિહાસિક ક્ષણને છેલ્લા 20 વર્ષમાં 'લૉરિયસ બેસ્ટ સ્પોર્ટ મૉમેન્ટ' તરીકે ગણવામાં આવી હતી. આ જ કારણે સચિનને આ એવોર્ડ મળ્યો છે, જે પોતાનામાં એક રેકોર્ડ છે.

યુવરાજ સિંહને મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ -
યુવરાજ સિંહને મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ આપવામાં આવ્યો હતો. વળી, તે આ ટૂર્નામેન્ટમાં ભારતનો ચોથો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. સચિન તેંદુલકર, ગૌતમ ગંભીર અને મહેન્દ્રસિંહ ધોનીએ તેના કરતા વધુ રન બનાવ્યા હતા. વળી, તે વિકેટ લેવાના મામલે માત્ર ઝહીર ખાનથી પાછળ હતો. વિરાટ કોહલીએ પોતાની રમત દ્વારા બતાવ્યું કે તે આવનારા સમયમાં એક મહાન બેટ્સમેન બની શકે છે. ત્રણ વખત વિરાટ દબાણની સ્થિતિમાં બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે ભારતની ઇનિંગ્સને સંપૂર્ણ જવાબદારી સાથે સંભાળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget