શોધખોળ કરો

Ravindra Jadeja: રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ, વિરાટ અને રોહિતની નિવૃત્તિ વચ્ચે આવ્યા આ મોટા સમાચાર

Ravindra Jadeja Huge Milestone: રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં એક મોટો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. જાડેજાના આ રેકોર્ડની બરાબરીમાં કોઈ ભારતીય કે વિદેશી ખેલાડી નથી.

Ravindra Jadeja Huge Milestone: રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. જાડેજા ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન ઓલરાઉન્ડર છે અને તે સૌથી લાંબા સમય સુધી આ સ્થાન પર રહ્યો છે. અત્યાર સુધી, વિશ્વભરના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં, કોઈ પણ ખેલાડી આટલા લાંબા સમય સુધી નંબર વન ઓલરાઉન્ડર રહ્યો નથી. રવિન્દ્ર જાડેજાને નંબર વન બન્યાને 1152 દિવસ થઈ ગયા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પણ એક પોસ્ટ શેર કરીને રવિન્દ્ર જાડેજાને અભિનંદન પાઠવ્યા છે.

 

રવિન્દ્ર જાડેજાની ટેસ્ટ કારકિર્દી
રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયા માટે બેટિંગ અને બોલિંગ બંનેમાં મજબૂત પ્રદર્શન આપે છે. જાડેજાએ અત્યાર સુધીમાં 80 ટેસ્ટ મેચ રમી છે. આ મેચોમાં જાડેજાએ 34.74 ની સરેરાશથી 3,370 રન બનાવ્યા છે. આ રન બનાવવામાં રવિન્દ્ર જાડેજાએ 4 સદી અને 22 અડધી સદી ફટકારી છે.

રવિન્દ્ર જાડેજાએ આ 80 મેચોમાં 323 વિકેટ લીધી છે. જાડેજાએ વર્ષ 2019 માં 200 વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો. તે 200 વિકેટ લેનાર સૌથી ઝડપી ડાબોડી બોલર બન્યો. જાડેજા 2013ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતો.

રોહિત-વિરાટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
ભારતીય ક્રિકેટ ટીમ 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવા માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જઈ રહી છે. પરંતુ ટીમ ઈન્ડિયાના આ પ્રવાસ પહેલા જ ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિત પછી, વિરાટ કોહલીએ પણ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. હવે ભારતની ટેસ્ટ ટીમ નવા કેપ્ટનની શોધમાં છે. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ક્યારે જાહેર થાય છે તે જોવાનું બાકી છે.

ઈંગ્લેન્ડ પ્રવાસ પર આવી હોઈ શકે છે ભારતની ટીમ

ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતની સંભવિત 15 સભ્યોની ટીમ - શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર, સરફરાઝ ખાન, નિતીશ કુમાર રેડ્ડી, જસરપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ.     

સંભવિત ટ્રાવેલ રિઝર્વ્ડ  ખેલાડીઓ- આકાશદીપ, શાર્દુલ ઠાકુર, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર અને દેવદત્ત પડિકલ  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
Embed widget