અહેવાલો અનુસાર, 2026ની એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફારો થવાના છે, અને આ ફેરફારમાં સંજુ સેમસનનું પત્તું કપાઈ શકે છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
ઝિમ્બાબ્વે સિરીઝ અને ઈંગ્લેન્ડ સામેની મેચમાંથી બહાર થયા બાદ, હવે એશિયન ગેમ્સમાંથી પણ સંજુની થઈ શકે છે હકાલપટ્ટી.

- સંજુ સેમસન એશિયન ગેમ્સ ટીમમાંથી બહાર થઈ શકે છે.
- ઝિમ્બાબ્વે શ્રેણીમાંથી પણ બાદ, ઇંગ્લેન્ડમાં પડતો મુકાયો.
- તેની વન-ડે અને ટી૨૦ કારકિર્દી પ્રભાવશાળી આંકડા ધરાવે છે.
Sanju Samson Asian Games: ભારતીય ક્રિકેટના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. 2026 ના T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર આ ખેલાડીને હવે વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. અહેવાલો અનુસાર, 2026 ની એશિયન ગેમ્સ માટે અગાઉ જાહેર કરાયેલી ભારતીય ટીમમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, અને આ ફેરફારમાં સંજુ સેમસનનું પત્તું કપાઈ શકે છે.
એશિયન ગેમ્સની ટીમમાંથી થઈ શકે છે બહાર
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ, સંજુ સેમસનને એશિયન ગેમ્સની ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, 6 જૂને જ BCCI એ એશિયન ગેમ્સ માટે પુરુષ ટીમની જાહેરાત કરી હતી. જોકે, હવે આ સુધારેલી ટીમમાંથી તેનું નામ ગાયબ થઈ શકે તેવી અટકળો તેજ બની છે. આ ખેલાડી માટે આ સતત બીજો ફટકો છે. તાજેતરમાં જ 6 જુલાઈએ BCCI એ ઝિમ્બાબ્વે સામેની 3 મેચની T20 સિરીઝ માટે ટીમ જાહેર કરી હતી, તેમાં પણ સંજુનું નામ સામેલ નહોતું.
ઈંગ્લેન્ડ સિરીઝમાં પણ થયો અન્યાય!
આટલું જ નહીં, હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સિરીઝમાં પણ તેની સાથે કંઈક આવું જ થતું જોવા મળ્યું. સિરીઝની પ્રથમ મેચમાં સંજુ ભારતની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો, પરંતુ વરસાદને કારણે આ મેચ ડ્રો રહી હતી. ત્યારબાદ, બીજી જ T20 મેચમાં તેને પડતો મૂકવામાં આવ્યો અને તેના સ્થાને યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી.
સતત અલગ-અલગ સિરીઝ અને સ્થાનો પરથી બહાર થતા સંજુના ચાહકો ભારે નિરાશ છે. હવે સૌની નજર એ વાત પર છે કે BCCI એશિયન ગેમ્સ માટે સત્તાવાર રીતે સુધારેલી ટીમ ક્યારે જાહેર કરે છે. હાલમાં આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ
સંજુ સેમસનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર એક નજર:
જો સંજુની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના આંકડાઓ જોઈએ તો, તે અત્યંત પ્રભાવશાળી રહ્યા છે:
વનડે (ODI): તેણે અત્યાર સુધીમાં 16 ODI મેચ રમી છે, જેની 14 ઈનિંગ્સમાં તેણે 56.66 ની શાનદાર સરેરાશથી 510 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેના નામે 1 સદી અને 3 અડધી સદી નોંધાયેલી છે.
T20 ઈન્ટરનેશનલ: 65 T20 મેચની 57 ઈનિંગ્સમાં તેણે 155.42 ના આક્રમક સ્ટ્રાઈક રેટ અને 27.01 ની સરેરાશથી 1405 રન ફટકાર્યા છે, જેમાં 3 સદી અને 6 અડધી સદીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
Frequently Asked Questions
સંજુ સેમસન એશિયન ગેમ્સની ટીમમાંથી કેમ બહાર થઈ શકે છે?
તાજેતરમાં સંજુ સેમસનને કઈ અન્ય સિરીઝમાંથી પડતો મુકાયો છે?
તેને ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝ માટેની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત, ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝની પ્રથમ મેચ પછી તેને પડતો મુકીને વૈભવ સૂર્યવંશીને તક અપાઈ હતી.
સંજુ સેમસનની ODI અને T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીના આંકડા કેવા છે?
ODIમાં તેણે 16 મેચમાં 56.66ની સરેરાશથી 510 રન બનાવ્યા છે (1 સદી, 3 અડધી સદી). T20Iમાં 65 મેચમાં 27.01ની સરેરાશથી 1405 રન ફટકાર્યા છે (3 સદી, 6 અડધી સદી).



















