શોધખોળ કરો

Shreyas Iyer Injury: શ્રેયસ અય્યરે વધાર્યું કોલકાતા નાઈટ રાઈડર્સનું ટેન્શન, IPL 2023 થી થઈ શકે છે બહાર

આઈપીએલ 2023ની શરુઆત 31 માર્ચથી  થઈ રહી છે, પરંતુ તે પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો લાગ્યો છે. શ્રેયસ અય્યર આઈપીએલ 2023માંથી બહાર થઈ શકે છે.

Shreyas Iyer Injury Update: આઈપીએલ 2023ની શરુઆત 31 માર્ચથી  થઈ રહી છે, પરંતુ તે પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો લાગ્યો છે.  શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન શ્રેયસ અય્યર આઈપીએલ 2023માંથી બહાર થઈ શકે છે. હાલના સમયે તે ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે.   શ્રેયસ અય્યર અમદાવાદ ટેસ્ટમાં બેટિંગ કરવા આવ્યો ન હતો. જે બાદ શ્રેયસ ઐયરની ઈજાને લઈને સતત અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ખરાબ સમાચાર છે. મુંબઈનો આ યુવા બેટ્સમેન ઈજાના કારણે IPL 2023માંથી બહાર થઈ શકે છે. જો આમ થશે તો કોલકાતા નાઈટ રાઈડર્સ માટે તે મોટો ફટકો હશે.

શ્રેયસ અય્યરને ફિટ થવામાં સમય લાગશે - રોહિત શર્મા

અમદાવાદ ટેસ્ટ બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ શ્રેયસ અય્યરની ઈજાને લઈને મોટું અપડેટ આપ્યું હતું. તેણે કહ્યું કે શ્રેયસ ઐય્યર હાલમાં પીઠના નીચેના ભાગમાં થયેલી ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. ભારતીય કેપ્ટનના મતે શ્રેયસ અય્યરને ફિટ થવામાં સમય લાગશે. ખરેખર, IPL 2023ની શરુઆત 31 માર્ચથી થઈ રહી છે. આ રીતે IPL શરૂ થવામાં લગભગ 2 અઠવાડિયા બાકી છે. આવી સ્થિતિમાં શ્રેયસ અય્યરના આઈપીએલ સુધી ફિટ રહેવાની શક્યતા ઓછી છે. માનવામાં આવી રહ્યું છે કે તે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. હવે રોહિત શર્માના નિવેદનથી આ આશંકા વધી ગઈ છે.

શ્રેયસ અય્યર ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીનો ભાગ નહીં હોય

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ 19 માર્ચે મુંબઈમાં રમાશે. શ્રેયસ અય્યરનું ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાંથી બહાર થવું લગભગ નિશ્ચિત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓસ્ટ્રેલિયા સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં લગભગ 167 ઓવર ફિલ્ડિંગ કર્યા બાદ શ્રેયસ અય્યરને પીઠના નીચેના ભાગમાં ઈજા થઈ હતી. જેના કારણે તે બેટિંગ કરવા પણ આવી શક્યો ન હતો. તે જ સમયે, હવે એવું માનવામાં આવે છે કે શ્રેયસ અય્યર IPL 2023ની આખી સિઝનમાંથી બહાર થઈ શકે છે.  

'પ્લેયર ઓફ ધ મેચ' વિરાટ કોહલીએ પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અમદાવાદ ટેસ્ટ ડ્રો રહી હતી. જોકે, ભારતીય ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી હતી. વિરાટ કોહલીએ આ મેચમાં 186 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જો કે આ ઇનિંગ બાદ વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ વિરાટ કોહલીના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે. ટેસ્ટ ફોર્મેટ સિવાય વિરાટ કોહલી વનડે અને ટી-20 મેચમાં 10થી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે.

વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં 10થી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે

આ રીતે વિરાટ કોહલીએ ત્રણેય ફોર્મેટમાં 10થી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. આવું કરનાર તે એકમાત્ર ક્રિકેટર છે. અત્યાર સુધી વિરાટ કોહલી સિવાય અન્ય કોઈ ક્રિકેટરે આ કારનામું કર્યું નથી. ખરેખર, જો તમે આંકડા પર નજર નાખો તો, વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટમાં 10 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ચૂક્યો છે. આ સિવાય પૂર્વ ભારતીય કેપ્ટનનો ODI અને T20 ફોર્મેટમાં પણ જલવો જોવા મળ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget