શોધખોળ કરો

SRH IPL 2021: સનરાઈઝર્સ  હૈદરાબાદને મોટો ઝટકો, IPLમાંથી બહાર થયો આ સ્ટાર ઑલરાઉન્ડર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન 9 એપ્રિલથી શરૂ થઇ રહી છે. ત્યારે આઈપીએલ (IPL) સનરાઈઝર્સ  હૈદરાબાદની ટીમને  મોટો ઝટકો લાગ્યો છે.  

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન 9 એપ્રિલથી શરૂ થઇ રહી છે. ત્યારે આઈપીએલ (IPL) સનરાઈઝર્સ  હૈદરાબાદની ટીમને  મોટો ઝટકો લાગ્યો છે.  હૈદરાબાદના ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉન્ડર મિશેલ માર્શ (Mitchell Marsh) આઈપીએલ (IPL 2021)માંથી બહાર થઈ ગયો છે. ક્રિકબઝના અહેવાલ અનુસાર, માર્શે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ફ્રેન્ચાઈજીને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી.  

અહેવાલ અનુસાર, માર્શ લાંબા સમય સુધી બાયો બબલમાં નથી રહેવા માંગતો. આઈપીએલ 2021(IPL2021)ની શરુઆત 9 એપ્રિલથી ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં થશે.  રિપોર્ટ અનુસાર, હૈદરાબાદની ટીમ માર્શની  જગ્યાએ ઈંગ્લેન્ડના બોલર સાથે ચર્ચા કરી રહ્યાં છે. જેણે હાલમાં જ ભારત વિરુદ્ધ ટી20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આઈપીએલની વર્તમાન બાયો સિક્યોરિટી પ્રોટોકલ અનુસાર, માર્શે  સાત દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું પડતે.  

હૈદરાબાદની ટીમે માર્શને 2020ની હરાજીમાં તેની બેઝપ્રાઈઝ બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તે ગત સિઝનમાં પણ વધુ મેચ રમ્યો નહોતો.

માર્શે 10 વર્ષમાં આઈપીએલમાં 21 મેચ રમી છે. આ પહેલા ડેક્કન ચાર્જર્સ અને પૂણે વોરિયર્સ માટે રમ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સનરાઈઝર્સ  હૈદરાબાદે ચેન્નઈમાં પોતાની પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. હૈદરાબાદનો પ્રથમ મુકાબલો 11 એપ્રિલે એમએ ચિદંમ્બરમ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR)સામે છે.  

Delhi Capitalsએ રિષભ પંતને બનાવ્યો કેપ્ટન 

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 માં દિલ્હી કેપિટલના (Delhi Capitals) નિયમિત કેપ્ટન શ્રેયસ ઐયરની (Shreyas Iyer) ઈજા બાદ રિષભ પંતને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે. પંત અત્યારે ખતરનાક ફોર્મમાં છે અને આ વર્ષે આઈપીએલમાં તેની કેપ્ટનશીપ હેઠળ દિલ્હીની ટીમ કમાલ પણ કરી શકે છે. દિલ્હીની ટીમ ક્યારેય આઈપીએલ(IPL)નો ખિતાબ જીતી શકી નથી. બે વર્ષ પહેલા ગૌતમ (Gautam Gambhir) ગંભીરે ચાલુ સીઝનમાં જ કેપ્ટનશિપ છોડી દીધી હતી. ત્યારબાદ યુવા ખેલાડી શ્રેયસ ઐયરને કેપ્ટનશિપ આપવામાં આવી હતી.

---------

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget