શોધખોળ કરો

IND vs NZ 3rd ODI: ટીમ ઇન્ડિયા પાસે નંબર-1 બનવાની સારી તક, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડેમાં આવી હોઇ શકે છે પ્લેઇંગ-11

ભારતીય ટીમ પાસે આ મેચ જીતીને ICC રેન્કિંગમાં નંબર-1 પર બનવાની સુવર્ણ તક છે.

ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ આજે ઈન્દોરમાં રમાશે.  રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આ મેચ જીતીને કિવીઓને ક્લીન સ્વીપ કરવાનું લક્ષ્ય રાખશે. ભારતીય ટીમ પાસે આ મેચ જીતીને ICC રેન્કિંગમાં નંબર-1 પર બનવાની સુવર્ણ તક છે.

ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ આજે ઈન્દોરમાં રમાશે.  રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આ મેચ જીતીને કિવીઓને ક્લીન સ્વીપ કરવાનું લક્ષ્ય રાખશે. ભારતીય ટીમ પાસે આ મેચ જીતીને ICC રેન્કિંગમાં નંબર-1 પર બનવાની સુવર્ણ તક છે.

 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મેચ આજે (24 જાન્યુઆરી) ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 12 રને હરાવ્યું હતું. આ સાથે જ બીજી મેચમાં તેણે આઠ વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયા આ મેચ જીતશે તો તે શ્રેણી 3-0થી કબજે કરી લેશે. ભારત પાસે ત્રીજી વનડે જીતીને નંબર-1 બનવાની તક પણ છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે.

કોહલી-રોહિત પાસે સારી ઇનિંગની આશા

ઓપનર શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે. ગિલે પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારી હતી અને બીજી મેચમાં અણનમ 40 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ બીજી મેચમાં પણ અડધી સદી ફટકારી હતી. શ્રીલંકા સામે બે અને બાંગ્લાદેશ સામે એક સદી ફટકારનાર વિરાટ કોહલી પ્રથમ બે મેચમાં નિષ્ફળ રહ્યો હતો, તેથી તેનું લક્ષ્ય પણ મોટી ઇનિંગ્સ રમવાનું રહેશે.

T20 નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પાસેથી સારી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવી હતી પરંતુ તે શ્રેણીની પ્રથમ મેચમાં નિષ્ફળ ગયો હતો. હાર્દિક પંડ્યા પણ મિડલ ઓર્ડરમાં પુરતું યોગદાન આપી શકતો નથી. પોતાના ડેબ્યુની રાહ જોઈ રહેલા રજત પાટીદાર પણ ટીમમાં હાજર છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ રજતને ડેબ્યૂ આપે છે કે નહીં તે જોવાનું રહેશે. પાટીદારે સ્થાનિક સ્તરે પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે.

ઉમરાન મલિક રમે તેવી શક્યતા છે

મોહમ્મદ શમી અથવા મોહમ્મદ સિરાજની જગ્યાએ ઝડપી બોલર ઉમરાન મલિકને તક મળે તેવી શક્યતા છે. લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલના નામ પર વિચાર કરી શકાય છે. જો કે, કુલદીપ યાદવને ડ્રોપ કરવામાં આવે તેવી શક્યતા નથી. વોશિંગ્ટન સુંદરને પણ પ્લેઈંગ-11માં રાખવામાં આવે તેવી આશા છે.

બીજી તરફ, ન્યૂઝીલેન્ડ આ મેચ જીતીને ભારતને ક્લીન સ્વીપ કરતા રોકવાનો પૂરો પ્રયાસ કરશે. ન્યૂઝીલેન્ડ બેટિંગમાં તેના કેપ્ટન કેન વિલિયમસનની ખોટ અનુભવી રહ્યું છે. ન્યૂઝીલેન્ડના ટોપ-6 બેટ્સમેનોએ છેલ્લી 30 ઇનિંગ્સમાં માત્ર સાત વખત 40 કે તેથી વધુ રન બનાવ્યા છે. અત્યાર સુધી માત્ર માઈકલ બ્રેસવેલ જ વર્તમાન સીરિઝમાં સારી બેટિંગ કરી શક્યો છે. જોકે મિશેલ સેન્ટનરે પણ હૈદરાબાદમાં પ્રથમ મેચમાં સારી બેટિંગ કરી હતી.

આ મેદાન પર વનડેમાં ભારતનો અજેય રેકોર્ડ છે

હોલકર સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે અનુકૂળ માનવામાં આવે છે અને અહીં બોલરોએ બેટ્સમેનોને કાબૂમાં લેવા માટે ઘણી મહેનત કરવી પડશે. તે જોવું જોઈએ કે ઝડપી બોલરોને બીજી ઈનિંગમાં થોડી મદદ મળી શકે છે, જ્યારે સ્પિનરો મધ્ય ઓવરોમાં અસરકારક સાબિત થઈ શકે છે. ઈન્દોરનું મેદાન ભારતીય ટીમ માટે ખૂબ જ નસીબદાર રહ્યું છે કારણ કે તેણે અહીં પાંચ વનડે રમી છે અને તે તમામ જીતી છે.

ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Embed widget