શોધખોળ કરો

UAEમાં થઈ શકે છે IPL-13નું આયોજન, BCCIને આપ્યો યજમાનીનો પ્રસ્તાવ

રિપોર્ટ અનુસાર, યૂએઈના બોર્ડે બીસીસીઆઈ સામે આઈપીએલ -13ના આયોજનનો પ્રસ્તાવ મુક્યો છે.

નવી દિલ્હી: કોરોના વાયરસના સંકટના કારણે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવેલી ઈન્ડિયન પ્રીમિયર લીગના આયોજનને લઈને હજું પણ સ્થિતિ સ્પષ્ટ નથી. બીસીસીઆઈ સહિત ફ્રેન્ચાઈઝી અને ખેલાડીઓને હજુ પણ આશા છે કે આ વર્ષે આઈપીએલ સિઝન 13નું આયોજન થશે. તેની વચ્ચે રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, સંયુક્ત આરબ અમીરાત(યૂએઈ)ના ક્રિકેટ બોર્ડે યજમાનીનો પ્રસ્તાવ મુક્યો છે અને હવે બોર્ડે તેની પુષ્ટી કરી છે. ‘ગલ્ફ ન્યૂ’ અખબારના રિપોર્ટ અનુસાર, યૂએઈના બોર્ડે બીસીસીઆઈ સામે આઈપીએલ -13ના આયોજનનો પ્રસ્તાવ મુક્યો છે. અખબારે બોર્ડના જનરલ સેક્રેટરી મુબશ્શિર ઉસ્માનીના હવાલાથી જણાવ્યું કે, યૂએઈ બોર્ડે ન્યૂટ્રલ વેન્યૂ તરીકે પોતાનો અનુભવ રજૂ કર્યો છે. અહેવાલામાં ઉસ્માનીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, “ભૂતકાળમાં પણ અમીરાત ક્રિકેટ બોર્ડે યૂએઈમાં સફળતાપૂર્વક આઈપીએલ મેચોની યજમાની કરી હતી. ન્યૂટ્રલ વેન્યૂ તરીકે કોઈ દ્વિપક્ષીય સીરીઝ અને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની યજમાનીનો અમારો રેકોર્ડ શાનદાર છે.” જો કે, યૂએઈ પહેલા શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પણ દુનિયાની સૌથી અમીર સ્પોર્ટ્સ લીગમાંની એક આઈપીએલની યજમાનીની ઈચ્છા વ્યક્ત કરી છે. હાલમાં બીસીસીઆઈ સૂત્રોએ પણ કહ્યું હતું કે, બોર્ડ વિદેશમાં પણ લીગનું આયોજન કરવા માટે તૈયાર છે. યૂએઈમાં 2014માં આઈપીએલ સીઝન દરમિયાન કેટલીક મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું. એશિયા કપ, ચેમ્પિયન ટ્રોફી જેવી ટૂર્નામેન્ટ સિવાય અનેક દ્વિપક્ષીય સીરીઝ પણ રમાઈ ચૂકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ
વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Gujarat rain live updates: રાજ્યમાં આજે 72 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં દોઢ ઈંચ
Gujarat rain live updates: રાજ્યમાં આજે 72 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં દોઢ ઈંચ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી
CAT 2026 Exam: CAT 2026 માટે 3 ઓગસ્ટથી શરૂ થશે રજિસ્ટ્રેશન, 29 નવેમ્બરના રોજ પરીક્ષા લેવાશે
CAT 2026 Exam: CAT 2026 માટે 3 ઓગસ્ટથી શરૂ થશે રજિસ્ટ્રેશન, 29 નવેમ્બરના રોજ પરીક્ષા લેવાશે
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
Embed widget