શોધખોળ કરો

WTC 2023 Final: શુભમનના વિવાદિત કેચ બાદ સહેવાગે અમ્પાયર પર નિશાન સાધ્યું, જુઓ ટ્વિટ કરી શું કહ્યું ?

પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે ટ્વીટ કરીને થર્ડ અમ્પાયર પર નિશાન સાધ્યું છે.

Virender Sehwag On Shubman Gill, IND vs AUS: શુભમન ગિલ સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકોનું કહેવું છે કે જ્યારે કેમરુન ગ્રીને કેચ પકડ્યો ત્યારે તે સમયે બોલ જમીનને અડી ગયો હતો. જો કે હવે પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે ટ્વીટ કરીને થર્ડ અમ્પાયર પર નિશાન સાધ્યું છે. વિરેન્દ્ર સેહવાગે એક મીમ શેર કરી છે. આ મીમમાં આંખ પર પટ્ટી બાંધેલી વ્યક્તિની તસવીર મૂકી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે શુભમન ગિલને આઉટ આપતી વખતે થર્ડ અમ્પાયર… પૂર્વ ભારતીય ઓપનરે આગળ લખ્યું કે જો કોઈ નક્કર પુરાવા નથી, જો મામલો શંકાસ્પદ હોય તો નોટ આઉટ આપવો જોઈએ.

વીરેન્દ્ર સેહવાગનું ટ્વીટ થયું વાયરલ

જો કે, વિરેન્દ્ર સેહવાગની ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.   પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન કામરાન અકમલે કહ્યું કે મને નથી લાગતું કે કેમરૂન ગ્રીને શુભમન ગિલનો કેચ ક્લીન રીતે પકડ્યો હતો. હું માનું છું કે શુભમન ગિલને નોટઆઉટ આપવો જોઈતો હતો.

બોલ જમીનને સ્પર્શ્યા પછી કેમરુન ગ્રીને કેચ લીધો હતો ?

જણાવી દઈએ કે કેમરુન ગ્રીને સ્કોટ બાઉલેન્ડના બોલ પર સ્લિપમાં શુભમન ગિલનો કેચ પકડ્યો હતો. થર્ડ અમ્પાયરે ઘણી વખત રિપ્લેમાં કેમરુન ગ્રીનનો કેચ જોયો હતો.   આ પછી થર્ડ અમ્પાયરે કહ્યું કે જ્યારે કેમરુન ગ્રીને કેચ પકડ્યો  તે સમયે આંગળી બોલની નીચે હતી. જો કે, એવું લાગતું હતું કે જ્યારે કેમરુન ગ્રીન જમીન પર પડ્યો ત્યારે બોલ જમીન પર અડી ગયો  હતો. આ રીતે ઓસ્ટ્રેલિયન ખેલાડીએ જમીન પર પડ્યા બાદ બોલ ઉપાડ્યો હતો. 

ચોથા દિવસની રમત સમાપ્ત 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ચોથા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ભારતે બીજા દાવમાં 3 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને હવે જીતવા માટે 280 રનની જરૂર છે. ભારત તરફથી વિરાટ કોહલી 44 રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે અજિંક્ય રહાણે 20 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ પહેલા કેપ્ટન રોહિત શર્માએ 43 રનની મહત્વની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે 270 રન બનાવીને બીજો દાવ ડિકલેર કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: સિક્કિમમાં વાદળ ફાટવાથી 20 જેટલા ગુજરાતીઓ ફસાયા, 3 દિવસથી નથી થઈ શક્યો સંપર્ક
Ahmedabad: સિક્કિમમાં વાદળ ફાટવાથી 20 જેટલા ગુજરાતીઓ ફસાયા, 3 દિવસથી નથી થઈ શક્યો સંપર્ક
Lok Sabha Speaker: લોકસભામાં સ્પીકરને લઈને ઘમાસાણ, જાણો ઈન્ડિયા ગઠબંધનને શું માગ રાખી કે રાજકારણ ગરમાયું
Lok Sabha Speaker: લોકસભામાં સ્પીકરને લઈને ઘમાસાણ, જાણો ઈન્ડિયા ગઠબંધનને શું માગ રાખી કે રાજકારણ ગરમાયું
IND vs CAN: ટોસ વગર જ રદ્દ કરવામાં આવી ભારત-કેનેડા વચ્ચેની મેચ
IND vs CAN: ટોસ વગર જ રદ્દ કરવામાં આવી ભારત-કેનેડા વચ્ચેની મેચ
Odisha Cabinet Portfolio: ઓડિશામાં મંત્રિમંડળની જાહેરાત, જાણો સીએમ સહિત કોને ક્યું મળ્યું ખાતું?
Odisha Cabinet Portfolio: ઓડિશામાં મંત્રિમંડળની જાહેરાત, જાણો સીએમ સહિત કોને ક્યું મળ્યું ખાતું?
Advertisement
metaverse

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | પેટા કોન્ટ્રાક્ટનું કાળચક્રHu to Bolish | હું તો બોલીશ | કોંગ્રેસ જીવતી થઈ?Rajkot TRP Game Zone | Congress Protest | રાજકોટ આગકાંડને લઈને કોંગ્રેસનું જોરદાર વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone | Congress Protest | CP ઓફિસમાં એન્ટ્રી ન મળતા ઉકળી ઉઠ્યા લલિત કગથરા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: સિક્કિમમાં વાદળ ફાટવાથી 20 જેટલા ગુજરાતીઓ ફસાયા, 3 દિવસથી નથી થઈ શક્યો સંપર્ક
Ahmedabad: સિક્કિમમાં વાદળ ફાટવાથી 20 જેટલા ગુજરાતીઓ ફસાયા, 3 દિવસથી નથી થઈ શક્યો સંપર્ક
Lok Sabha Speaker: લોકસભામાં સ્પીકરને લઈને ઘમાસાણ, જાણો ઈન્ડિયા ગઠબંધનને શું માગ રાખી કે રાજકારણ ગરમાયું
Lok Sabha Speaker: લોકસભામાં સ્પીકરને લઈને ઘમાસાણ, જાણો ઈન્ડિયા ગઠબંધનને શું માગ રાખી કે રાજકારણ ગરમાયું
IND vs CAN: ટોસ વગર જ રદ્દ કરવામાં આવી ભારત-કેનેડા વચ્ચેની મેચ
IND vs CAN: ટોસ વગર જ રદ્દ કરવામાં આવી ભારત-કેનેડા વચ્ચેની મેચ
Odisha Cabinet Portfolio: ઓડિશામાં મંત્રિમંડળની જાહેરાત, જાણો સીએમ સહિત કોને ક્યું મળ્યું ખાતું?
Odisha Cabinet Portfolio: ઓડિશામાં મંત્રિમંડળની જાહેરાત, જાણો સીએમ સહિત કોને ક્યું મળ્યું ખાતું?
Gujarat Monsoon: રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી, અમદાવાદમાં પણ પડશે વરસાદ
Gujarat Monsoon: રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી, અમદાવાદમાં પણ પડશે વરસાદ
Surat Crime: સુરતમાં સામૂહિક આત્મહત્યાની ઘટના, ચાર વૃદ્ધો રાત્રિ ભોજન લીધા બાદ સવારે ઉઠ્યા જ નહીં, તપાસ શરૂ....
Surat Crime: સુરતમાં સામૂહિક આત્મહત્યાની ઘટના, ચાર વૃદ્ધો રાત્રિ ભોજન લીધા બાદ સવારે ઉઠ્યા જ નહીં, તપાસ શરૂ....
Surat Crime News: ભેસ્તાનમાં ભાણેજને ધમકાવી મામાએ આચર્યુ દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો
Surat Crime News: ભેસ્તાનમાં ભાણેજને ધમકાવી મામાએ આચર્યુ દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો
વિપક્ષના નેતા બનવા માટે 10 ટકા સાંસદ કેમ જરૂરી છે, લોકસભામાં કેટલા પાવરફૂલ હોય છે  નેતા વિપક્ષ?
વિપક્ષના નેતા બનવા માટે 10 ટકા સાંસદ કેમ જરૂરી છે, લોકસભામાં કેટલા પાવરફૂલ હોય છે નેતા વિપક્ષ?
Embed widget