શોધખોળ કરો

' IPLની બાકીની મેચોમાં બુમરાહે મુંબઈ માટે ન રમવું જોઈએ...', જાણો પૂર્વ દિગ્ગજ ખેલાડીએ કેમ કહી આ વાત?

Wasim Jaffer On Jasprit Bumrah:  કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 24 રનથી હરાવ્યું. આ હાર બાદ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્લેઓફ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.

Wasim Jaffer On Jasprit Bumrah:  કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 24 રનથી હરાવ્યું. આ હાર બાદ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્લેઓફ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. તે જ સમયે, આ મેચ પછી જસપ્રિત બુમરાહ પર પૂર્વ ભારતીય વસીમ જાફરનું નિવેદન આવ્યું છે. વાસ્તવમાં, જસપ્રીત બુમરાહે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. આ બોલરે 3.5 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ લીધી હતી. હવે જસપ્રિત બુમરાહ 11 મેચમાં 17 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે, પરંતુ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરનું માનવું છે કે જસપ્રિત બુમરાહે આ સિઝનની આગામી મેચોમાં રમવું જોઈએ નહીં.

જસપ્રીત બુમરાહે IPLની આગામી મેચોમાં કેમ ના રમવું જોઈએ?

વસીમ જાફરનું કહેવું છે કે કારણ કે મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર છે. તેથી, જસપ્રીત બુમરાહે આગામી મેચોનો ભાગ ન હોવો જોઈએ, કારણ કે આ પછી ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં રમશે. જો જસપ્રીત બુમરાહને આ ટૂર્નામેન્ટ પહેલા આરામ આપવામાં આવે તો ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપમાં ફાયદો થશે. વાસ્તવમાં, મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઓફ રમવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે, તેથી વસીમ જાફર ઈચ્છે છે કે જસપ્રિત બુમરાહને આરામ મળે. જસપ્રીત બુમરાહ ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે મોટો ફેક્ટર સાબિત થઈ શકે છે.

જસપ્રીત બુમરાહ ફોર્મમાં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમની હાલત ખરાબ
તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહનું આ સિઝનમાં પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સના આ બોલરે 11 મેચમાં 16.12ની એવરેજથી 17 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે. જોકે મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સના 11 મેચમાં માત્ર 6 પોઈન્ટ છે. અત્યાર સુધીમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે 3 મેચ જીતી છે, જ્યારે 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

મુંબઈની પ્લે ઓફમાં જવાની આશા પર ફરી વળ્યું પાણી

 કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 24 રનથી હરાવ્યું છે. KKRએ પ્રથમ બેટિંગ કરતા 169 રન બનાવ્યા હતા, જેના માટે વેંકટેશ અય્યરે 70 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે 46 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા 11 રન, ઈશાન કિશન 13 રન અને નમન ધીર પણ માત્ર 11 રનનું યોગદાન આપી શક્યો હતો. સૂર્યકુમાર યાદવ મક્કમ રહ્યો, પરંતુ બીજા છેડેથી સતત વિકેટો પડી રહી હતી. સૂર્યકુમાર યાદવે 35 બોલમાં 56 રન બનાવ્યા, આ દરમિયાન તેણે 6 ફોર અને 2 સિક્સ પણ ફટકારી. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી સુનીલ નરેન અને વરુણ ચક્રવર્તીએ ખૂબ જ ચુસ્ત બોલિંગ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget