શોધખોળ કરો

શ્રીલંકન ખેલાડીઓ સાથે બાખડનારા વૈભવ સૂર્યવંશી પર શું પ્રતિબંધ લાગશે? જાણો ICC નો નિયમ

vaibhav suryavanshi ban rules: સુપર ઓવરમાં હાર્યા બાદ શ્રીલંકન ખેલાડીના સ્લેજિંગથી ઉશ્કેરાયેલા ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ મેદાનમાં ઝઘડો કર્યો; જાણો આ મામલે હવે શું કાર્યવાહી થઈ શકે છે.

vaibhav suryavanshi ban rules: શ્રીલંકામાં રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીમાં ભારત A અને શ્રીલંકા A વચ્ચેની મેચમાં ભારે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. 15 જૂનના રોજ રમાયેલી આ મેચ સુપર ઓવર સુધી ગઈ હતી, જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ પૂરી થયા બાદ ભારતીય યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી શ્રીલંકન ખેલાડીઓ સાથે સીધી ઝપાઝપી પર ઉતરી આવ્યો હતો. હવે ક્રિકેટ જગતમાં સૌથી મોટો સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે મેદાન પર આ પ્રકારના ઉગ્ર વર્તન બદલ શું વૈભવ પર પ્રતિબંધ મૂકવામાં આવશે કે કોઈ દંડ ફટકારાશે? ચાલો જાણીએ આ સમગ્ર વિવાદ પાછળનું સાચું કારણ અને આ અંગે નિયમો શું કહે છે.

આ બે લાઈનોથી ભડક્યો વૈભવનો ગુસ્સો

આખો વિવાદ સુપર ઓવરના અંતે શરૂ થયો હતો. મીડિયા અહેવાલો મુજબ, મેચ જીત્યા બાદ શ્રીલંકાના ખેલાડી વિશેન હલમ્બેગેએ વૈભવને ઉશ્કેરવા માટે સ્લેજિંગ કર્યું હતું. તેણે ટોણો મારતા વૈભવને કહ્યું હતું કે, "મેચ પૂરી થઈ ગઈ છે... હવે તું ઘરે જા." આ શબ્દો સાંભળતા જ વૈભવનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તે એકલા હાથે જ આખી શ્રીલંકન ટીમ સામે બાથ ભીડવા પહોંચી ગયો હતો. વાત માત્ર દલીલો પૂરતી સીમિત ન રહી, પરંતુ ખેલાડીઓ વચ્ચે ખુલ્લેઆમ ધક્કામુક્કી અને ઝઘડો પણ જોવા મળ્યો.

સુપર ઓવરમાં ભારતનું ખરાબ પ્રદર્શન

આ મેચમાં સુપર ઓવરની વાત કરીએ તો ભારત A નું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. શ્રીલંકાએ સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરતા 16 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ટાર્ગેટ ચેઝ કરવા મેદાનમાં ઉતરેલા ભારતના સૂર્યાંશ શેડગે અને વૈભવ સૂર્યવંશી ફક્ત 9 રન જ બનાવી શક્યા હતા.

આ પણ વાંચોઃ શ્રીલંકાના ખેલાડીઓ પર વૈભવ સૂર્યવંશી કેમ ભડક્યો? મેદાન પર થયેલા ઝઘડાનું સાચું કારણ આવ્યું સામે

શું ICC લેશે કડક પગલાં?

મેદાન પર ખેલાડીઓ વચ્ચે શારીરિક ઝપાઝપી થવી એ ક્રિકેટમાં બહુ ગંભીર બાબત ગણાય છે. જોકે, વૈભવ પર મોટી કાર્યવાહી થવાની શક્યતા બહુ ઓછી છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સામાન્ય રીતે કોઈપણ 'A' શ્રેણીની મેચો માટે પોતાના સત્તાવાર મેચ અધિકારીઓની નિમણૂક કરતું નથી. તેથી આવી મેચોમાં શિસ્તભંગના કોઈ મુદ્દાઓ પર ICC સીધો નિર્ણય લેતું નથી. આ કારણોસર વૈભવ પર પ્રતિબંધ લાગવાની કે તેને દંડ ફટકારાવાની સંભાવના નહિવત છે. હાલમાં આ મામલે પ્રતિબંધ કે કાર્યવાહી અંગે કોઈપણ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

આ પણ વાંચોઃ IND A vs SL A: સુપર ઓવરમાં હાર બાદ મેદાન પર ભયંકર બબાલ, આખી ટીમ સામે એકલો લડ્યો વૈભવ! જુઓ વીડિયો

Frequently Asked Questions

વૈભવ સૂર્યવંશી કઈ મેચમાં વિવાદમાં આવ્યો હતો?

તે ભારત A અને શ્રીલંકા A વચ્ચેની ત્રિકોણીય શ્રેણીની મેચમાં વિવાદમાં આવ્યો હતો. આ મેચ 15 જૂનના રોજ શ્રીલંકામાં સુપર ઓવર સુધી ચાલી હતી, જેમાં ભારતની હાર થઈ હતી.

વૈભવ સૂર્યવંશી ગુસ્સે થવા પાછળનું મુખ્ય કારણ શું હતું?

મેચ જીત્યા બાદ શ્રીલંકાના ખેલાડી વિશેન હલમ્બેગેએ વૈભવને

શું વૈભવ સૂર્યવંશી પર આ ઘટના બદલ પ્રતિબંધ લાગી શકે છે?

વૈભવ પર પ્રતિબંધ લાગવાની શક્યતા ઓછી છે, કારણ કે ICC 'A' શ્રેણીની મેચો માટે સત્તાવાર અધિકારીઓ નિયુક્ત કરતું નથી. તેથી, ICC શિસ્તભંગના મુદ્દાઓ પર સીધો નિર્ણય લેતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
Advertisement

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat Rain: 7 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે
Gujarat Rain: 7 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
Gold Silver Rate: ચાંદીમાં ₹4000 નો કડાકો, સોનું પણ થઈ ગયું સસ્તું, જાણો આજના ભાવ 
Gold Silver Rate: ચાંદીમાં ₹4000 નો કડાકો, સોનું પણ થઈ ગયું સસ્તું, જાણો આજના ભાવ 
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Embed widget