શોધખોળ કરો

2025 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ બદલાયું, ભારતની મેચ પર થશે અસર, બેંગ્લુરુના ચિન્નાસ્વામીમાં નહીં રમાય મેચ

મહિલા ODI વર્લ્ડ કપ 2025 ના શેડ્યૂલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમને ઓરિજનલ શેડ્યૂલમાંથી કાઢી નાખવામાં આવ્યું છે.

womens odi world cup schedule : મહિલા ODI વર્લ્ડ કપ 2025 ના શેડ્યૂલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમને ઓરિજનલ શેડ્યૂલમાંથી કાઢી નાખવામાં આવ્યું છે અને આગામી એક કે બે દિવસમાં તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકે છે. ક્રિકબઝ અનુસાર, બેંગલુરુમાં યોજાનારી મેચોનું આયોજન તિરુવનંતપુરમને સોંપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર સુધી ચાલશે અને આ ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે યોજી રહ્યા છે.

શેડ્યૂલમાં ફેરફારની હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી. ક્રિકબઝમાં પ્રકાશિત અહેવાલ મુજબ, શેડ્યૂલમાં ફેરફારનો નિર્ણય સોમવારે લેવામાં આવ્યો છે, કારણ કે કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (KSCA) ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચોનું આયોજન કરવા માટે કર્ણાટક સરકાર પાસેથી પરવાનગી મેળવવામાં નિષ્ફળ ગયું છે. BCCIએ KSCA ને પરવાનગી માટે વધુ 2 દિવસનો સમય આપ્યો હતો, તેમ છતાં તેને પરવાનગી મળી શકી નથી.

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોઈ મેચ નહીં થાય 

ચિન્નાસ્વામી સ્ટેડિયમને વર્લ્ડ કપમાં કુલ 5 મેચનું આયોજન સોંપવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટની પહેલી મેચ પણ અહીં 30 સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે રમવાની હતી. પરંતુ IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઐતિહાસિક જીત બાદ 4 જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ મચી ગઈ હતી, જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

વર્લ્ડ કપ મેચોના આયોજન અંગે અનિશ્ચિતતાનું કારણ જૂનમાં બેંગ્લોરમાં થયેલી ભાગદોડની ઘટના છે, જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે દુ:ખદ ઘટના પછી, કર્ણાટક સરકારે હજુ સુધી ચિન્નાસ્વામી સ્ટેડિયમને મેચોનું આયોજન કરવાની મંજૂરી આપી નથી. કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશનને પણ મહારાજા ટી20 ટુર્નામેન્ટ મૈસુરુ ખસેડવી પડી હતી. 

ICC મહિલા ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2025 30 સપ્ટેમ્બરથી શરૂ થશે.   ટુર્નામેન્ટનો સૌથી રોમાંચક અને રસપ્રદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ મેચ 5 ઓક્ટોબરના રોજ રમાશે. 3 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની મેચ અને 26 ઓક્ટોબરે ભારત વિરુદ્ધ બાંગ્લાદેશની મેચ રમાશે. 

મહિલા વનડે વર્લ્ડ કપ (women odi world cup 2025) આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં યોજાવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2 નવેમ્બર સુધી ચાલશે, જેમાં વિશ્વની ટોચની 8 ટીમો ભાગ લેશે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે વર્લ્ડ કપનું આયોજન કરવા જઈ રહ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ
Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
Embed widget