શોધખોળ કરો

T20 WC: મહિલા ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ જાહેર, હરમનપ્રીત કૌર ચોથી વખત કરશે આ ટુનામેન્ટમાં કેપ્ટનશીપ

આગામી મહિલા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

આગામી મહિલા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ મંગળવારે ટીમની જાહેરાત કરી હતી. હરમનપ્રીત કૌર ટીમનું નેતૃત્વ કરશે. જ્યારે સ્મૃતિ મંધાના ટીમની વાઈસ કેપ્ટન હશે. મહિલા પસંદગી સમિતિએ 15 સભ્યોની ટીમની પસંદગી કરી હતી. મહિલા ટી20 વર્લ્ડ કપ આ વર્ષે સંયુક્ત આરબ અમીરાતમાં યોજાશે. ટૂર્નામેન્ટની આ નવમી સીઝન 3 થી 20 ઓક્ટોબર દરમિયાન દુબઈ અને શારજાહમાં રમાશે. ભારતને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. ભારતીય ટીમ 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 ઓક્ટોબરે શાનદાર મેચ રમાશે. આ બંને મેચ દુબઈમાં રમાશે.

આ ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું સારું મિશ્રણ છે. પસંદગીકારોએ ફરી એકવાર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની ઓપનિંગ જોડી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે મિડલ ઓર્ડરની જવાબદારી કેપ્ટન હરમનપ્રીત, જેમિમા, દીપ્તિ અને રિચા પર રહેશે. મેચ ફિનિશ કરવાની જવાબદારી પૂજા અને શ્રેયાંકા પર રહેશે. હરમનપ્રીત કૌર આ ટૂર્નામેન્ટમાં ચોથી વખત કેપ્ટનશીપ કરતી જોવા મળશે. તેણે 2018, 2020 અને 2023 મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી હતી.

સ્પિનની જવાબદારી અનુભવી દીપ્તિ, રાધા અને આશાના ખભા પર રહેશે. યુએઈમાં સ્પિનરોનું વર્ચસ્વ હોઈ શકે છે. ભારતીય મહિલા ટીમે છેલ્લે મે મહિનામાં દક્ષિણ આફ્રિકા સામે ટી-20 શ્રેણી રમી હતી. તે ટીમના ત્રણ ખેલાડીઓ આ ટીમમાં નથી. જેમાં ઉમા છેત્રી, શબનમ શકીલ અને અમનજોત કૌરનો સમાવેશ થાય છે. ઉમા ટ્રાવેલિંગ રિઝર્વમાં છે, જ્યારે શબનમ અને અમનજોતનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ભારતની A ટીમે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા-A સામે ટૂર્નામેન્ટ રમી હતી. આમાં મિન્નુ મણિ, સાઇકા ઈશાક અને મેઘના સિંહ જેવા  ખેલાડીઓને પણ તક આપવામાં આવી નથી.

મહિલા T20 વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેશે. આ બે જૂથોમાં વહેંચાયેલા છે. ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમોને ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. જ્યારે ગ્રુપ બીમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડની ટીમો સામેલ છે. ટૂર્નામેન્ટ પહેલા 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 10 પ્રેક્ટિસ મેચ રમાશે. ટૂર્નામેન્ટમાં દરેક ટીમ ચાર ગ્રુપ મેચ રમશે, જેમાં દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો 17 અને 18 ઓક્ટોબરે સેમિફાઈનલમાં પહોંચશે. આ પછી 20 ઓક્ટોબરે દુબઈમાં ફાઈનલ રમાશે. સેમિફાઇનલ અને ફાઇનલ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs NZ: 40 દિવસમાં ભારત વિરુદ્ધ 12 મેચ રમશે ન્યૂઝીલેન્ડ, NZCએ જાહેર કર્યો કાર્યક્રમ 
IND vs NZ: 40 દિવસમાં ભારત વિરુદ્ધ 12 મેચ રમશે ન્યૂઝીલેન્ડ, NZCએ જાહેર કર્યો કાર્યક્રમ 
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
Embed widget