શોધખોળ કરો

T20 WC: મહિલા ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ જાહેર, હરમનપ્રીત કૌર ચોથી વખત કરશે આ ટુનામેન્ટમાં કેપ્ટનશીપ

આગામી મહિલા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

આગામી મહિલા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ મંગળવારે ટીમની જાહેરાત કરી હતી. હરમનપ્રીત કૌર ટીમનું નેતૃત્વ કરશે. જ્યારે સ્મૃતિ મંધાના ટીમની વાઈસ કેપ્ટન હશે. મહિલા પસંદગી સમિતિએ 15 સભ્યોની ટીમની પસંદગી કરી હતી. મહિલા ટી20 વર્લ્ડ કપ આ વર્ષે સંયુક્ત આરબ અમીરાતમાં યોજાશે. ટૂર્નામેન્ટની આ નવમી સીઝન 3 થી 20 ઓક્ટોબર દરમિયાન દુબઈ અને શારજાહમાં રમાશે. ભારતને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. ભારતીય ટીમ 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 ઓક્ટોબરે શાનદાર મેચ રમાશે. આ બંને મેચ દુબઈમાં રમાશે.

આ ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું સારું મિશ્રણ છે. પસંદગીકારોએ ફરી એકવાર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની ઓપનિંગ જોડી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે મિડલ ઓર્ડરની જવાબદારી કેપ્ટન હરમનપ્રીત, જેમિમા, દીપ્તિ અને રિચા પર રહેશે. મેચ ફિનિશ કરવાની જવાબદારી પૂજા અને શ્રેયાંકા પર રહેશે. હરમનપ્રીત કૌર આ ટૂર્નામેન્ટમાં ચોથી વખત કેપ્ટનશીપ કરતી જોવા મળશે. તેણે 2018, 2020 અને 2023 મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી હતી.

સ્પિનની જવાબદારી અનુભવી દીપ્તિ, રાધા અને આશાના ખભા પર રહેશે. યુએઈમાં સ્પિનરોનું વર્ચસ્વ હોઈ શકે છે. ભારતીય મહિલા ટીમે છેલ્લે મે મહિનામાં દક્ષિણ આફ્રિકા સામે ટી-20 શ્રેણી રમી હતી. તે ટીમના ત્રણ ખેલાડીઓ આ ટીમમાં નથી. જેમાં ઉમા છેત્રી, શબનમ શકીલ અને અમનજોત કૌરનો સમાવેશ થાય છે. ઉમા ટ્રાવેલિંગ રિઝર્વમાં છે, જ્યારે શબનમ અને અમનજોતનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ભારતની A ટીમે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા-A સામે ટૂર્નામેન્ટ રમી હતી. આમાં મિન્નુ મણિ, સાઇકા ઈશાક અને મેઘના સિંહ જેવા  ખેલાડીઓને પણ તક આપવામાં આવી નથી.

મહિલા T20 વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેશે. આ બે જૂથોમાં વહેંચાયેલા છે. ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમોને ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. જ્યારે ગ્રુપ બીમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડની ટીમો સામેલ છે. ટૂર્નામેન્ટ પહેલા 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 10 પ્રેક્ટિસ મેચ રમાશે. ટૂર્નામેન્ટમાં દરેક ટીમ ચાર ગ્રુપ મેચ રમશે, જેમાં દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો 17 અને 18 ઓક્ટોબરે સેમિફાઈનલમાં પહોંચશે. આ પછી 20 ઓક્ટોબરે દુબઈમાં ફાઈનલ રમાશે. સેમિફાઇનલ અને ફાઇનલ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડHun To Bolish | હું તો બોલીશ | સારવારની શોધ?Hun To Bolish | હું તો બોલીશ | કોનું ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ?Arvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
Monkeypox In Pregnancy: પ્રેગ્નેન્ટ મહિલાઓને મંકીપોક્સથી વધુ ખતરો, રાખો આ સાવધાની  
Monkeypox In Pregnancy: પ્રેગ્નેન્ટ મહિલાઓને મંકીપોક્સથી વધુ ખતરો, રાખો આ સાવધાની  
Aadhaar Free Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે તમારી પાસે માત્ર એક દિવસ, જાણો પ્રોસેસ  
Aadhaar Free Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે તમારી પાસે માત્ર એક દિવસ, જાણો પ્રોસેસ  
Embed widget