શોધખોળ કરો

World Cup 2023: વનડે વર્લ્ડકપ 2023માંથી કેએલ રાહુલનું પત્તુ કપાશે ? BCCIનો આડકતરો ઇશારો

ગયા રવિવારે એટલે કે 26 માર્ચે બીસીસીઆઇ તરફથી ખેલાડીઓના સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ, આ લિસ્ટમાં કેએલ રાહુલને મોટો ઝટકો લાગ્યો છે.

World Cup 2023, KL Rahul: ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ સતત પોતાના ખરાબ ફૉર્મની સામે ઝઝૂમી રહ્યો છે, રાહુલનું આ ખરાબ ફોર્મ તેને માટે ધીમે ધીમે મુસીબત બનતુ જઇ રહ્યું છે. એક સમય ટીમ ઇન્ડિયાના આગામી કેપ્ટન કહેવાતા કેએલ રાહુલ હવે ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવવી પણ મુશ્કેલ બની ગઇ છે. હવે બીસીસીઆઇએ કેએલ રાહુલને લઇને એક મોટો ફેંસલો કર્યો છે અને ઇશાર કર્યો છે કે આ વર્ષે રમાનારા વનડે વર્લ્ડકપમાં કેએલ રાહુલનું રમવુ મુશ્કેલ બની શકે છે. ખરેખરમાં, બીસીસીઆઇએ સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટમાં કેએલ રાહુલને ડિમૉશન કરી દીધો છે. 

A માંથી B ગ્રેડમાં પહોંચ્યો કેએલ રાહુલ - 
ગયા રવિવારે એટલે કે 26 માર્ચે બીસીસીઆઇ તરફથી ખેલાડીઓના સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ, આ લિસ્ટમાં કેએલ રાહુલને મોટો ઝટકો લાગ્યો છે. આ વખતે તેને પ્રમૉશન નહીં પરંતુ ડિમૉશન મળ્યુ છે. ગઇ વખતે કેએલ રાહુલ સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટના A ગ્રેડ ખેલાડીઓમાં સામેલ હતો, પરંતુ આ વખતે તેને B ગ્રેડ ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો છે. રાહુલના ખરાબ ફૉર્મના કારણે બીસીસીઆઇ તરફથી આ ફેંસલો કરવામાં આવ્યો છે. 

શું કેએલ રાહુલ વનડે વર્લ્ડકપ નહી રમે ?
રાહુલના ખરાબ ફૉર્મને ધ્યાનમાં રાખતા તેના વિશે અત્યારે કંઇજ કહેવુ મુશ્કેલ છે. કેએલ રાહુલ ટીમ ઇન્ડિયાનો રેગ્યૂલ ઉપકેપ્ટન હતો, પરંતુ ખરાબ ફોર્મના કારણે તેને આ પૉઝિશન પણ ગુમાવવી પડી છે. વળી, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી 4 ટેસ્ટ મેચોની સીરીઝમાં પણ તેને છેલ્લી બે મેચોમાંથી પ્લેઇંગ ઇલેવનમાંથી પણ બહાર રાખવામાં આવ્યો હતો, અને તે ટીમનો ઉપકેપ્ટન પણ નથી. આ તમામ વસ્તુઓને જોતા બીસીસીઆઇ આ વર્ષે રમાનારા વનડે વર્લ્ડકપ સુધી કેએલ રાહુલ પર શું ફેસલો લે છે, તો જોવનુ રહ્યુ. 

 

World Cup 2023 Schedule: વન-ડે વર્લ્ડકપની તારીખને લઇને ખુલાસો, અમદાવાદમાં રમાશે ફાઇનલ મેચ

ODI World Cup 2023 Schedule: ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023ની તારીખો જાહેર કરવામાં આવી છે. ફાઈનલ મેચ ક્યાં રમાશે તે પણ નક્કી થઈ ગયું છે. નોંધનીય છે કે આ વર્ષે વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. ESPNcricinfoના રિપોર્ટમાં વન-ડે વર્લ્ડકપની તારીખો અને સ્થળ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 10 ટીમોની આ ટુર્નામેન્ટ માટે એક ડઝન સ્થળોને શોર્ટલિસ્ટ કર્યા છે.

46 દિવસમાં કુલ 48 મેચો યોજાશે

BCCIએ વર્લ્ડ કપ ફાઈનલ માટે સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને શોર્ટલિસ્ટ કર્યું છે. મતલબ કે અહીં ફાઈનલ થવાની લગભગ નિશ્ચિત છે. આ ટુર્નામેન્ટ 46 દિવસ ચાલશે. આ દરમિયાન 10 ટીમો વચ્ચે 3 પ્લેઓફ સહિત કુલ 48 મેચો રમાશે.

આ તમામ મેચો માટે BCCIએ અમદાવાદ સહિત બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાળા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ઈન્દોર, રાજકોટ અને મુંબઈને શોર્ટલિસ્ટ કર્યા છે. જો કે, ICC ટૂર્નામેન્ટની તારીખો એક વર્ષ અગાઉ જાહેર કરવામાં આવે છે. પરંતુ આ વખતે BCCI કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભારત સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. બે મુખ્ય મુદ્દાઓ પાકિસ્તાન ટીમ માટે વિઝા મંજૂરી અને ટૂર્નામેન્ટ માટે કર મુક્તિ છે.

પાકિસ્તાનને વિઝાની ખાતરી

ICCની છેલ્લી બેઠક દુબઈમાં યોજાઈ હતી. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ મીટિંગમાં બીસીસીઆઈએ આશ્વાસન આપ્યું છે કે પાકિસ્તાનને વર્લ્ડ કપ માટે ભારતના પ્રવાસ માટે વિઝા મળશે. જ્યાં સુધી કરમુક્તિનો સવાલ છે, એવી પણ અપેક્ષા છે કે BCCI ટૂંક સમયમાં ICCને ભારત સરકારની ચોક્કસ સ્થિતિ વિશે અપડેટ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget